Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUમાં ‘લેગેસી ઓફ અટલ બિહારી વાજપેયી’ પર સેમિનાર:અટલજીને આપણે રાજનેતાના રૂપમાં યાદ કરીએ છે પણ કવિના રૂપમાં નહીં

    14 hours ago

    આદમી ન ઊંચા હોતા હૈ, ન નીચા હોતા હૈ, ન બડા હોતા હૈ, ન છોટા હોતા હૈ, આદમી સીર્ફ આદમી હોતા હૈ.. સાંભળતાં જ અટલ બિહારી વાજપેયીની કવિ છબી નજર સમક્ષ આવતી હોય છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘હું અટલ છું’: અટલજીનું સાહિત્ય’ વિષયે યોજાયેલા પરિસંવાદમાં ડો.દર્શિની દાદાવાલાએ સમુદ્ર મંથનની કથાથી શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, માનવ દેવ કે દાનવ નથી. તેની શક્તિઓ સીમિત છે. આ કથાનો માનવ છલ નહીં, બલ પૂર્વક જીવે છે. સીમિત શક્તિઓનો અર્થપૂર્ણ ઉપયોગ કરે છે. આ માનવ વાસ્તવમાં કવિ છે. તેઓએ કાવ્યોથી જનવાણીમાં જીવન પ્રવાહ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. રાજનેતાના રૂપમાં યાદ કરીએ છીએ પણ કવિના રૂપમાં યાદ નથી કરતા. મ.સ.યુનિ.માં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં 120 જેટલા પ્રોફેસર, સંશોધક અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં એન એનોટેટેડ બિબ્લોગ્રાફી નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    14 માર્ચની રાતથી મીનારકનો પ્રારંભ:મીનારક શરૂ થતાં જ ગૃહપ્રવેશ, લગ્ન જનોઇ સહિતનાં કાર્યો પર બ્રેક લાગશે
    Next Article
    ઝળહળતી સિદ્ધિ:ડિસ્ટ્રિક્ટ લેવલ ચેસ કોમ્પિટિશનમાં અંડર-7માં રિદિત મલિક અને જિઆ ગાંધી બીજા ક્રમે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment