Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં MS યુનિવર્સિટીના કેમ્પસમાં મગર ઘૂસી આવ્યો:મગરને જોતા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી , ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું

    14 hours ago

    વડોદરાની MS યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક મગર દેખાતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીની ભૂખી કાંસ પાસે અંદાજે 9 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મગરને જોઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગની ટીમે મગનને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો વિદ્યાર્થીઓ સ્ટાફમાં દોડધામ મચી વડોદરા શહેરની MS યુનિવર્સિટીના કેમ્પસમાં મગર ઘૂસી આવ્યો હોવાના કોલને પગલે તુરંત જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને પાંજરામાં પૂરવામાં સફળતા મેળવી હતી. મગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને વન વિભાગમાં લઈ જવાયો હતો. વન વિભાગની તકેદારી હેઠળ મગરને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવશે. આ ઘટના બાદ યુનિવર્સિટી વહીવટી તંત્રે વિદ્યાર્થીઓને સાવધાની રાખવા અપીલ કરી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે વસેલી આ યુનિવર્સિટીમાં અગાઉ પણ મગરોની હાજરીની ઘટનાઓ બની ચૂકી છે. ‘અમે વનવિભાગની ટીમ સાથે જોડાઈને 9 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કર્યું’ જીવદયા પ્રેમી યશ તડવીએ જણાવ્યું હતું કે, વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી વન કેડી પાસે મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો આવ્યો હતો. આ મગરની લંબાઈ અંદાજે 9 ફૂટ જેટલી હતી. મગરની હાજરીની જાણ થતાં જ લોકોમાં થોડો ડર હતો, તેથી અમે તાત્કાલિક અમારી ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આ કામગીરીમાં અમારી સાથે વન વિભાગના કર્મચારી શૈલેષભાઈ પણ જોડાયા હતા. અમે સૌએ સાથે મળીને ખૂબ જ સાવધાનીપૂર્વક આ વિશાળ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે. હાલમાં મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો છે અને હવે તેને વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો છે. ત્યારબાદ નિયમ મુજબ તેને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગર ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?
    Click here to Read More
    Previous Article
    ચાર સગીરોનો ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો:ત્રણ ઘા ઝીંકતા હાલત ગંભીર, સુરતમાં બોર્ડ પરીક્ષાના બાકીના પેપર આપી શકશે નહી; બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો'તો
    Next Article
    ખેડૂતને ચાર શખ્સો મારમારી લૂંટ ચલાવી:ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો, લાખોની લૂંટ ચલાવી શખ્સો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment