Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:MPમાં ક્રૂઝ ડૂબ્યું, 4 મોત; મમતાએ કહ્યું, એક્ઝિટ પોલ ભાજપના ઈશારે આવ્યા, ઈરાને કહ્યું- હોર્મુઝમાંથી ભારતના જહાજોને પસાર થવાની છૂટ

    8 hours ago

    નમસ્તે, ઈરાને કહ્યું કે તે ન્યૂક્લિયર પ્રોગ્રામ ક્યારેય નહીં છોડે. બીજી તરફ, રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' પોતાની મરજીથી રોકવામાં આવ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં ક્રૂઝ ડૂબવાથી 4 લોકોના મોત થયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઓડિશામાં ₹1700 કરોડના રોડ પ્રોજેક્ટ્સ શરૂ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- હોર્મુઝમાંથી ભારતીય જહાજોને પસાર થવા પર રોક નથી:10 હજાર ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા, ચાબહાર રેલવે લાઈનનું 90% કામ પૂરું ભારતમાં ઈરાનના રાજદૂત ડૉ. મોહમ્મદ ફતાલીએ જણાવ્યું છે કે સંઘર્ષ છતાં, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગની ખાતરી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સહિત મિત્ર દેશોના જહાજો પર કોઈ પ્રતિબંધ નથી. એક મુલાકાતમાં, ફતાલીએ જણાવ્યું હતું કે ઈરાન વિરુદ્ધ યુએસ-ઇઝરાયલી કાર્યવાહીમાં સામેલ ન હોય તેવા દેશોના જહાજો સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે. ઘણા ભારતીય જહાજો આ માર્ગ પરથી પસાર થઈ ચૂક્યા છે. ચાબહાર બંદરને પ્રાદેશિક જોડાણ માટે મહત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ સતત આગળ વધી રહ્યો છે અને ક્યારેય અટક્યો નથી. ફતાલીના મતે, ચાબહાર-ઝોહેદાન રેલ્વે લાઇન પર લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયું છે, અને રેલ્વે લાઇન ટૂંક સમયમાં પૂર્ણ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. MPના જબલપુરમાં ક્રૂઝ ડૂબ્યું, 4 મૃતદેહ મળ્યા:15થી વધારે લાપત્તા, 19ને બચાવાયા; તોફાનના કારણે નર્મદાના બરગી ડેમમાં દુર્ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પર આવેલા બરગી ડેમ ખાતે ગુરુવારે સાંજે પ્રવાસીઓને લઈ જતું એક ક્રૂઝ જહાજ ડૂબી ગયું. આ અકસ્માત ખમરિયા ટાપુ નજીક થયો હતો. અહેવાલો અનુસાર એમપી ટુરિઝમ ક્રુઝમાં 29 પ્રવાસીઓ સવાર હતા. પંદર લોકો તરીને સુરક્ષિત બહાર નીકળી ગયા. માહિતી મળતાં એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી શરૂ કરવા પહોંચી હતી. અત્યાર સુધીમાં બે મહિલાઓ સહિત 4 મૃતદેહો મળી આવ્યા છે. આઠ હજુ પણ ગુમ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે અચાનક આવેલા તોફાનને કારણે ક્રુઝ સંતુલન ગુમાવી બેઠું હતું અને ડૂબી ગયું હતું. શરૂઆતમાં, એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં 30 થી વધુ લોકો સવાર હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ પીડિતાના ગર્ભપાત પર સમય મર્યાદા હટાવો:કેન્દ્રને કહ્યું- તમારા કાયદામાં ફેરફાર કરો, હાલમાં 6 મહિના સુધી ગર્ભપાતનો નિયમ સુપ્રીમ કોર્ટે 15 વર્ષની રેપ પીડિતાને 30 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં ગર્ભપાતના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્રને કહ્યું કે આવા કિસ્સાઓમાં ગર્ભપાત માટે સમય મર્યાદા સંબંધિત કાયદામાં ફેરફાર કરવામાં આવે. CJIએ કહ્યું- કાયદો એવો હોવો જોઈએ જે સમય સાથે બદલાતો રહે અને વર્તમાન પરિસ્થિતિઓ અનુસાર ચાલે. સગીરને બળજબરીથી માતા બનવા માટે મજબૂર કરી શકાય નહીં અને આવા કિસ્સાઓમાં નિર્ણય પીડિતાનો જ હોવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાજનાથે કહ્યું- ઓપરેશન સિંદૂર અમારી મરજીથી રોક્યું:ન્યુક્લિયર હુમલાથી ડર્યા નથી; ભારત ITનું હબ જ્યારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિઝમનું રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂરને પોતાની મરજી અને પોતાની શરતો પર રોક્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર પડી તો દેશ પાકિસ્તાન વિરુદ્ધ લાંબી લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ ભારત તેનાથી ડર્યું નહીં. તેમણે કહ્યું કે ભારતીય સેનાની સર્જ કેપેસિટી (અચાનક તાકાત વધારવાની ક્ષમતા) પહેલા કરતા વધુ મજબૂત છે. રાજનાથે કહ્યું- ભારત આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) માટે જાણીતું છે જ્યારે પાકિસ્તાનને "IT એટલે કે ઇન્ટરનેશનલ ટેરરિઝમ"નું કેન્દ્ર માનવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપી અને બિહારમાં વાવાઝોડા-વરસાદથી 18નાં મોત:બાંદામાં સતત ત્રીજા દિવસે પારો 45°C પાર; રાજસ્થાન-દિલ્હીમાં અડધો દિવસ લૂ, અડધો દિવસ વરસાદ દેશમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ હવામાન જોવા મળ્યું. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ પારો 40થી 46°Cની વચ્ચે રહ્યો. જોકે, વાવાઝોડા અને હળવા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન 2થી 3°C સુધી ઘટી ગયું. દિલ્હીમાં બપોર પછી કરા પડ્યા. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે 13 લોકોના મોત થયા. સુલતાનપુરમાં સૌથી વધુ 7 મોત થયા. જ્યારે, બિહારમાં પણ 5 લોકોના મોત થયા છે. પટનામાં વાવાઝોડાથી દીવાલ પડવાને કારણે 2 લોકોના મોત થયા. ઘણા જિલ્લાઓમાં વૃક્ષો પડી ગયા. ઉત્તરાખંડના મસૂરીમાં ગુરુવારે કરા પડ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ધોળકા-બગોદરા માર્ગે વાલથેરા પાસે સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત:બારેજાથી ભમાસરા સગાઈ માટે જઈ રહ્યાં હતા, સગાઈ હતી તે યુવક સહિત 3 ગંભીર ઈજાગ્રસ્ત ધોળકા-બગોદરા માર્ગ પર આજે બપોરે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાલથેરા ગામ નજીક બાપા સીતારામની મઢી પાસે સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર યુવકો બારેજાથી ભમાસરા સગાઈ માટે જઈ રહ્યાં હતા. કારમાં કારચાલક સહિત 6 યુવાનો સામેલ હતા. કાર ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર રસ્તા પરથી ઉંધાઈ ગઈ હતી. આ ઘટનામાં 3 યુવકોના ઘટનાસ્થળે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિનો આપઘાત:7 મિનિટનો વીડિયો અને બે પેજની સુસાઈડ નોટ લખી, રડતા-રડતા કહ્યું- મારા બાળકોને ગળે લગાવી રડવા માંગતો હતો અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગત 22 માર્ચના રોજ દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્નીના અનૈતિક સંબંધો અને આર્થિક છેતરપિંડીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકે આપઘાત પહેલા બનાવેલા વીડિયોના આધારે રાણીપ પોલીસે ગુનો નોંધી, બનાવ બાદથી ફરાર થઈ ગયેલી પત્ની ભગવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતકે આત્મહત્યા પહેલા 6.51 મિનિટનો અંતિમ વીડિયો બનાવ્યો હતો તેમજ બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં પત્નીના અન્ય પુરુષો સાથે સંબંધ હોવાના આક્ષેપો કર્યો હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતા બોલ્યા- એક્ઝિટ પોલ ભાજપના ઈશારે બતાવવામાં આવ્યા:ખડગેએ કહ્યું- TMC સાથે ગઠબંધન પર પછીથી નિર્ણય; બંગાળમાં EVM ચેડાંના 77 કેસ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં 'ઓપરેશન ધુરંધર' ચાલુ:જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહર ખતમ; બે દિવસમાં બે કમાન્ડર માર્યા ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર:ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા દરેક બાળકને આજીવન મફતમાં ઇન્સ્યુલિન મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : એપસ્ટીન સાઉદી ક્રાઉન પ્રિન્સનો સલાહકાર બનવા માંગતો હતો:આઈલેન્ડ પર ‘મસ્જિદ’ બનાવી, તેમાં સોનાનો ગુંબજ, મક્કાથી કાપડ અને ઉઝબેકિસ્તાનની ટાઇલ્સ લગાવી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રૂપિયો રેકોર્ડ ઓલ ટાઈમ લો પર આવ્યો:1 ડોલરની કિંમત 95.20 રૂપિયા થઈ, તેનાથી મોંઘવારી વધવાનું જોખમ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતના પ્રથમ ઓફિશિયલ Formula 1® પ્રોગ્રામની જાહેરાત:શ્રેયસ અય્યર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, તેણે કહ્યું- ભારતીય આ પ્લેટફોર્મ પર દેખાશે તો ગર્વ અનુભવાશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતોષ જ સૌથી મોટી સંપત્તિ:નિર્ધન ખેડૂતે સંઘર્ષોમાંથી મુક્તિ મેળવવા ભક્તિ કરી, દેવી પાસેથી આશ્ચર્યજનક વરદાન માંગ્યું; જાણો પ્રેરક કથા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દુલ્હને વરરાજાને બદલે પ્રેમીને વરમાળા પહેરાવી મધ્યપ્રદેશના છિંદવાડામાં વરમાળાની વિધિ દરમિયાન દુલ્હન સ્ટેજ પરથી નીચે ઉતરી અને સીધી જઈને પોતાના પ્રેમીને ભેટી પડી. એટલું જ નહીં, તેણે બધાની સામે પ્રેમીને વરમાળા પણ પહેરાવી દીધી. આ જોઈને વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી. બીજી તરફ, યુવતીના પરિવારજનોએ પ્રેમીને પકડીને બેફામ માર માર્યો હતો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : “3500 આપો, કાશ્મીરી ઘાસ બતાવીશું, લોકો પૂછશે ક્યાં જઈ આવ્યા”:નળ સરોવરમાં પાછલા રસ્તે ઘૂસણખોરી; લોકોને આંતરીને રૂપિયા પડાવતી ગેંગ; અધિકારીઓની રહેમનજરનો પર્દાફાશ 2. ભાસ્કર એક્સપ્લેનર : તમારું AC પણ ફાટી શકે છે, કેવી રીતે બચવું:ઉનાળામાં AC ફાટવાના 5 મોટા કારણો સમજો; ગરમીમાં તેમાં શું ખામી સર્જાય છે તે જાણો 3. ભાસ્કર એક્સપ્લેનર:નાણા મંત્રાલયના રિપોર્ટમાં લખ્યું- 'પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાનું ટાળી ન શકાય'; આખરે કેટલા ભાવ વધશે, સરકાર અત્યાર સુધી કેવી રીતે રોકી શકી? 4. બ્લેકબોર્ડ: સ્ટેમ્પ પેપર પર પત્ની, 1.5 લાખમાં ખરીદી:મામાએ કમિશન લીધું, લગ્નના 4 દિવસ પછી ભાગી ગઈ; જેટલા હાથમાં દુલ્હન વેચાય, કિંમત એટલી વધારે 5. ભાસ્કર એક્સપ્લેનર : બંગાળમાં BJPની સરકાર કેમ બનતી દેખાઈ રહી છે:માછલીની મિજબાની, અમિત શાહની નવી રણનીતિ અને SIR; BJPના 5 મોટા દાવ 6.પારકી પંચાત : ‘તમારે રેલો હેઠો ઉતરી ગયો છે’:કુમાર કાકા ખીજાઈ ગયા; હાર પછી કોંગ્રેસના ગ્રુપમાં મેસેજ આવ્યો - ‘ચાવડા-સોલંકીને કાઢો’ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કર્ક રાશિના લોકોને મહેનતનું શ્રેષ્ઠ ફળ મળશે, સિંહ રાશિના જાતકોએ રોકાણમાં સાવધાની રાખવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Pune: 35 year old man dies after being hit during bullock cart race
    Next Article
    'Irrfan Khan Wanted To Play Langda Tyagi In Omkara,' Reveals Vishal Bhardwaj

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment