Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની જેમ MPમાં પણ લઠ્ઠાકાંડમાં 11ના મોત:રાત્રે દારુ પીધા બાદ તબિયત લથડી, 24 લોકો હોસ્પિટલમાં દાખલ; 4 ગામમાં શોકનો માહોલ

    1 day ago

    મધ્યપ્રદેશના સાગરમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. લગભગ 35 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે. તેમને બુંદેલખંડ મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલ સાગર રિફર કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજી વધવાની આશંકા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં લાવવામાં આવેલા દર્દીઓના શરીર વાદળી પડી ગયા હતા. ઘટના બાદ અસરગ્રસ્ત ગામોમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. દારૂ પીનારા લોકોને તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. કલેક્ટર પ્રતિભા પાલે લોકોને અપીલ કરી છે કે જો છેલ્લા 24 થી 48 કલાકમાં કોઈપણ પ્રકારનો દારૂ પીધો હોય અથવા ઝેરી દારૂના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તરત જ સ્ક્રીનિંગ કરાવો. તેમણે કહ્યું કે લોકો સ્થાનિક ડોકટરોની ટીમનો સંપર્ક કરી શકે છે અથવા સીધા સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ કરાવી શકે છે. મોત બાદ પ્રશાસન એક્શનમાં છે. વિસ્તારની 6 દારૂની દુકાનોને સીલ કરીને સેમ્પલિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગેરકાયદેસર દારૂના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે. બે તસવીરો જુઓ… મૃત્યુઆંક વધવાની આશંકા જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે ઘૂઘર, નૌરાજ, બરાજ અને આસપાસના વિસ્તારના લોકોએ દારૂ પીધો હતો. ત્યારબાદ તેમની તબિયત બગડી હતી. પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કલેક્ટરે કહ્યું- ઝેરી દારૂ પીવાથી બીમાર પડ્યા કલેક્ટરે જણાવ્યું કે મેડિકલ ટીમ તમામ કેસો પર સતત નજર રાખી રહી છે. પરિસ્થિતિ અનુસાર જરૂરી મેડિકલ અને વહીવટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકોમાં ચાર ગામના લોકો સામેલ હોવાનું કહેવાય છે. વહીવટીતંત્ર આ મામલે તપાસ કરી રહ્યું છે અને દારૂના સેવનથી થયેલા મૃત્યુના કારણો અંગે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના ભાઈએ કહ્યું- અડધા કલાકમાં મોતને ભેટ્યા આ ઘટનામાં બમુરાબેડા ગામના રામકુમાર દાંગીના પિતરાઈ ભાઈનું પણ મૃત્યુ થયું છે. રામકુમાર દાંગીએ જણાવ્યું, "દારૂ પીવાથી મૃત્યુ થઈ રહ્યા છે. અમારા ગામમાં ચાર મૃત્યુ થયા છે. છેલ્લા બે દિવસમાં, પહેલા દિવસે એક અને બીજા દિવસે ત્રણ મૃત્યુ થયા છે. અમને દારૂથી મૃત્યુ થયાનું ત્યારે ખબર પડી કારણ કે ત્રણ લોકોએ સાથે દારૂ પીધો હતો. અચાનક તેમનું શરીર ઠંડું પડવા લાગ્યું હતું. અડધા કલાકમાં મોતને ભેટ્યા. ઉચ્ચ અધિકારીઓ નૌરાજ અને ગૂગરા ખુર્દ પહોંચ્યા મોત બાદ સાગર કમિશનર, આઈજી, કલેક્ટર અને એસપી નૌરાજ અને ગૂગરા ખુર્દ ગામ પહોંચ્યા. અધિકારીઓએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ ગેરકાયદેસર દારૂના વેપારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ સાવચેતીના ભાગરૂપે વિસ્તારની 6 દુકાનો સીલ કરવામાં આવી છે. સાથે જ તાત્કાલિક સેમ્પલિંગના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. પ્રશાસને અપીલ કરી છે કે જે લોકોએ દારૂ પીધો છે અને તેમને ઉલટી, માથાનો દુખાવો કે તાવ જેવા લક્ષણો અનુભવાઈ રહ્યા છે, તેઓ સાવચેતીના ભાગરૂપે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર પહોંચીને તપાસ કરાવે.
    Click here to Read More
    Previous Article
    स्टारडम छोड़ चूल्हे-चौके तक पहुंचीं एक्ट्रेस कंगना रनौत, अपने हाथों से बनाई ये खास डिश
    Next Article
    APK ફાઇલ ડાઉનલોડ થતા ખાતામાંથી 5.67 લાખ ઉપડી ગયા:ક્રેટાનું બાકી ચલણ ભરવા ઠગે મકરબાના વૃદ્ધ વેપારીને મોકલેલી ફાઇલ ડાઉનલોડ કરીને ફોન હેક થયો'તો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment