Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન:વડોદરાએ લોક નેતાને રડતી આંખે વિદાય આપી; કેદારનાથમાં 11 લાખ રુદ્રાક્ષ ચઢાવી અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે

    1 day ago

    વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો અને પરિવારજનો અને વડોદરાવાસીઓએ રડતી આંખે જન નેતાને વિદાય આપી હતી. યોગેશ પટેલનું ગત મંગળવાર, 2 જૂનના રોજ નિધન થયું હતું. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા આ લોકનેતાની સ્મશાનયાત્રા આજે એટલે કે 4 જૂન, 2026 ગુરૂવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત 'અમદાવાદી પોળ' ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી ખાસવાડી સ્મશાન પહોંચી હતી. MLA યોગેશ પટેલ શિવ ભક્ત હતા. તેમણે શ્રાવણ મહિનામાં કેદારનાથ ખાતે 11 લાખ રુદ્રાક્ષ ચડાવવાનો સંકલ્પ લીધો હતો. આ રુદ્રાક્ષ નેપાળમાં તૈયાર થઈ ગયા છે. શિવ પરિવાર યોગેશ પટેલનો આ સંકલ્પ પૂર્ણ કરશે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમજ રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે 5 મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા 182 થઈ ગઈ હતી, પરંતુ 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. નિવાસ સ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો અંતિમયાત્રા પહેલાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો. જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીથી લઇને મંત્રી, ધારાસભ્યો અને કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓએ તેમણે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. અંતિમયાત્રાના રૂટ પર શ્રદ્ધાંજલિ બેનરો લાગ્યા હતા યોગેશ પટેલના અમદાવાદીપોળ ખાતેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા શરૂ થઈ અંદાજિત 2.4 કિમી સુધી નીકળી હતી. જે રૂટ પરથી અંતિમયાત્રા પસાર થઈ હતી તે આખા માર્ગ પર યોગેશ પટેલના મોટા-મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવાયા હતા. મુસ્લિમ સમુદાય દ્વારા યોગેશ પટેલના માનમાં સ્મશાનની બહાર પાણીની સેવા મુસ્લિમ સમુદાય દ્વારા યોગેશ પટેલના માનમાં સ્મશાનની બહાર પાણીની સેવા શરૂ કરાઈ હતી. સેવા આપનાર મુસ્લિમ વ્યક્તિએ જણાવ્યું હતું કે, યોગેશભાઈ ક્યારેય નાત જાત જોતા ન હતા. બધાના કામ કર્યા છે અમારા લોક લાડીલા નેતા હતા. પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપ્યો અંતિમયાત્રા ખાસવાડી સ્મશાન પહોંચતા પરિવારજનોએ યોગેશ પટેલના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી અને પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપી રડતી આંખે પરિવારજનો અને વડોદરાવાસીઓએ લોકલાડીલા નેતાને વિદાય આપી હતી. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. જ્યાં તેમણે યોગેશ પટેલની કાર્યશૈલી અને લોકસેવાને યાદ કરી હતી. જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા: પ્રદિપસિંહ જાડેજા ભાજપ નેતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા. સતત 8 ટર્મ સુધી તેઓ જીત્યા અને લોકોની સેવા કરી છે. કાકા અમર રહેશે હંમેશા લોકોના દિલમાં રહેશે: કેતન ઈનામદાર સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, કાકાએ સાવલીના સ્વામીના આદેશથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી છે. કાકા અમર રહેશે હંમેશા લોકોના દિલમાં રહેશે. તેઓ સરકાર સામે પણ લોકોના પ્રશ્નો મૂકી તેનું પરિણામ લાવ્યા છે. મેં સાથી ગુમાવ્યા: શૈલેષ મહેતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, મેં એક સાથી ગુમાવ્યા છે. તેઓએ શહેરમાં શિવજીની વિરાટ પ્રતિમા સ્થાપિત કરી છે. તેઓની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તેવી પ્રાર્થના. તેમની ખોટ હંમેશા પડશે: મનીષા વકીલ મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે કાકા હંમેશા સંકલનની બેઠકમાં પણ પોતાના પ્રશ્નો લખીને લાવતા હતા. પ્રજાલક્ષી કામો કરવા હંમેશા તત્પર રહેતા. તેઓ મુખ્યમંત્રી સમક્ષ પણ લોકોના પ્રશ્નો રજૂ કરતા હતા. તેઓની ખોટ હંમેશા પડશે. શિવભક્ત યોગેશભાઈ શિવમાં લીન થયા: રંજન ભટ્ટ પૂર્વ સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું કે કાકાના હુલામણા નામથી જાણીતા અને પરમ શિવભક્ત યોગેશભાઈ આજે શિવમાં લીન થયા છે. તેઓ શહેર માટે હંમેશા ઊભા રહેતા હતા. ઇશ્વર તેઓની આત્માને શાંતિ આપે. તેઓ ક્યારેય પક્ષાપક્ષીમાં માનતા ન હતા: ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે શહેરે એક નેતા નહીં, પરંતુ પરમ ભક્ત ગુમાવ્યા છે. તેઓ ક્યારેય પક્ષાપક્ષીમાં માનતા ન હતા. શહેર માટે હંમેશા વિચાર્યું છે. તેઓએ શિવજીની પ્રતિમા સ્થાપિત કરી છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઇશ્વર તેઓના પરિવારને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. તેઓનું માર્ગદર્શન હંમેશા મળ્યું છે: આશિષ જોષી કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું કે, કાકા પરમ શિવભક્ત હતા. મને જ્યારે મળતા ત્યારે મહાદેવનો જયકારો કરીને બોલાવતા. તેઓનું માર્ગદર્શન હંમેશા મળ્યું છે. તેઓની ખોટ હંમેશા પડશે. ઇશ્વરને પ્રાર્થના કે તેમના જેવો બીજો નેતા શહેરને મળે. તેઓને કોટી કોટી વંદન. યોગેશ પટેલ નીડર નેતા હતા: ફરીદભાઈ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ફરીદભાઈએ યોગેશ પટેલને નીડર નેતા ગણાવ્યા હતા. તેઓએ યોગેશ કાકાએ કરેલા આંદોલનોને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનગરપાલિકાની વિવિધ પોલિસીમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે: અરુણ મહેશ બાબુ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની વિવિધ પોલિસીમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ હંમેશા ગરીબો માટે અવાજ ઉઠાવતા હતા. તેઓની સાદગી ઉડીને આખે વળગે તેવી હતી. તેઓએ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય કે અન્ય કોઈ પણ પોલિસી હોય હંમેશા માર્ગદર્શન આપતા હતા. આજે આખી મહાનગરપાલિકા તેઓને અંતિમ વિદાય આપવા સમર્પિત છે. યોગેશ પટેલની અંતિમ સફરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    ગોવિંદાને બ્રેક આપનાર ડિરેક્ટર-પ્રોડ્યુસર પહલાજ નિહલાણીનું 75 વર્ષની ઉંમરે નિધન:'શોલા ઔર શબનમ', 'આંખેં' જેવી ફિલ્મો બનાવી, બપોરે અંતિમ સંસ્કાર
    Next Article
    લાખો રૂપિયા રૂપિયામાં થતી જટિલ સારવાર ફ્રીમાં થશે:વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓનો વધારો, અત્યંત આધુનિક નેવિગેશન સિસ્ટમ પ્રાપ્ત થઈ, હવે નાકની જટિલ સર્જરી પણ સરળતાથી થઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment