Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં નવસારીને સૌથી વધુ બિનહરીફની ઉજવણી:બાઈક રેલી બાદ વિજય ઉત્સવમાં પાટીલની સભા, કહ્યું-નારાજ થવાનો અધિકાર કોઈને નથી; જલાલપોરના MLA આર.સી. પટેલ ગેરહાજર

    2 days ago

    નવસારી જિલ્લા ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો મેળવી ઐતિહાસિક જીતનો 'વિજય ઉત્સવ' ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સર્કિટ હાઉસથી સભા સ્થળ સુધી બાઈક રેલી યોજી વિજેતા ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલની ગેરહાજરી રાજકીય આલમમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. શિસ્ત અને સમર્પણ પર ભાર કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોને સંબોધતા સી.આર. પાટીલે પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને ધીરજ રાખવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ટિકિટ મળે તો ખુશ થાઓ, પરંતુ નારાજ થવાનો અધિકાર કોઈને નથી." પોતાના રાજકીય અનુભવનો દાખલો આપતા તેમણે ઉમેર્યું કે, 1989માં ભાજપમાં જોડાયા બાદ તેમને 20 વર્ષની પ્રતીક્ષા પછી 2009માં સાંસદની ટિકિટ મળી હતી. જો તે સમયે નારાજગી વ્યક્ત કરી હોત તો આજે તેઓ આ સ્થાને ન હોત. નેતાઓને ચેતવણી અને વિપક્ષ પર કટાક્ષ પાટીલે નેતાઓને અહંકાર છોડવાની સલાહ આપતા કહ્યું કે, "હું જ જીતાડું છું" તેવા ભ્રમમાંથી બહાર આવવું જોઈએ. તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને કડક શબ્દોમાં ચેતવ્યા હતા. વિપક્ષની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે, સામેની પાર્ટીને ઉમેદવારો મળતા નહોતા અને જે મળ્યા તે પણ મેદાન છોડી ગયા છે. અનંત પટેલ પર આકરા પ્રહાર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વગર પાટીલે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે નોંધ્યું કે, અનંત પટેલના પોતાના ગામ ઉનાઈમાં ભાજપ 1,100 મતોથી જીત્યું છે. સરકારી અધિકારીઓને ધમકાવનારા અને અશોભનીય વર્તન કરનારા નેતાઓને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. MLA આર.સી. પટેલની સૂચક ગેરહાજરી વિજયોત્સવ દરમિયાન જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલની ગેરહાજરીથી સંગઠનમાં રહેલા આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. ચર્ચા મુજબ, જિલ્લા સંગઠનમાં મહામંત્રી પદની માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ નારાજ છે. આ ઉપરાંત, જિલ્લા સંગઠનના ભૂરાલાલ શાહ સાથેના તેમના વિખવાદને પણ આ ગેરહાજરી માટે જવાબદાર માનવામાં આવે છે. ભવ્ય ઉજવણી અને રેલી નવસારીની 1 મહાનગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં ભાજપના શાનદાર વિજયને વધાવવા બી.આર. ફાર્મ ખાતે સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીએ વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર પુષ્પવર્ષા કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બાપ એ બાપ... સુપરહીરોની જેમ દીકરાને બચાવ્યો:ચાલતી ટ્રેને 2 વર્ષનો દીકરો પડી ગયો, પિતાએ પણ ટ્રેન નીચે કૂદીને બાળકને બચાવી લીધું; બાંગ્લાદેશનો બનાવ
    Next Article
    જામનગરમાં કાલાવડ નાકાનો જૂનો પુલ બંધ:નવા ફોરલેન પુલ માટે ડિમોલેશન શરૂ, ટ્રાફિક ડાયવર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment