Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના હમીરપુર ગામે ખુલ્લા વીજ વાયરથી ભેંસનું મોત:ખેતરમાં ચરતી ભેંસને કરંટ લાગ્યો, MGVCL સામે રોષ

    1 week ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર ગામે 7 જૂનના રોજ સાંજના સમયે એક ભેંસનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. ખેતરમાં ખુલ્લા પડેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી. હમીરપુર ગામના પશુપાલક દિનેશભાઈ બારીયાની ભેંસ સીમમાં ચરી રહી હતી. તે સમયે ખેતરમાંથી પસાર થતો એક જીવંત વીજ વાયર તૂટીને ખુલ્લો પડ્યો હતો. ભેંસ અજાણતામાં આ ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. પશુપાલક દિનેશભાઈ બારીયા માટે આ ભેંસ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતી. ભેંસના મોતથી તેમને આર્થિક નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી વીજ લાઈનોના કારણે આવા અકસ્માતો બનતા રહે છે. સ્થાનિકો દ્વારા MGVCL ને ખુલ્લા જીવંત વીજ વાયરોનું તાત્કાલિક સમારકામ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આરોપી ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો:લેબર કોન્ટ્રાક્ટમાં માણસોને વર્ક પરમિટ પર સિંગાપોર મોકલવાના બહાને 37.98 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી 8 મહિનાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી દબોચ્યો
    Next Article
    નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 4ની ધરપકડ:લોનની લાલચ આપી US નાગરિકોને જાળમાં ફસાવી 150-200 ડોલર પડાવતા, વેબ સીરીઝમાંથી શીખ્યા ફ્રોડનો ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment