Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના હરદાસપુરમાં વાવાઝોડાથી વીજ પોલ ધરાશાયી:રાત્રિના ભારે પવનથી વીજ પુરવઠો ખોરવાયો, MGVCL ટીમ કાર્યરત

    9 घंटे पहले

    મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમિયાન આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે. લુણાવાડા તાલુકાના હરદાસપુર ગામમાં એક મોટું ઝાડ વીજ વાયર અને ફીડર પર ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે વીજ પોલ અને ફીડરને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજ પુરવઠો બંધ થવાથી સ્થાનિક ગ્રામજનોને રાત્રિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાવની જાણ થતાં જ ગામના લોકોએ JCBની મદદથી રસ્તા અને વીજ લાઈન પર પડેલા ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ, MGVCLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાનગ્રસ્ત વીજ વ્યવસ્થાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. વાવાઝોડા બાદ સામે આવેલા દ્રશ્યો પવનની તીવ્રતા દર્શાવે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ પુરવઠાને ગંભીર અસર પહોંચી છે, જેના સમારકામની કામગીરી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:IPL ફાઇનલમાં RCBના ફેન્સે તો વટ પાડી દીધો, ભારે ભીડ જમાવી, બ્લેકમાં ટિકિટના 10 ખેલાડીએ ખેલ પાડ્યો
    Next Article
    વડોદરાના જેલ રોડ પર દલિત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:જાતિ વિષયક અપશબ્દોના આક્ષેપથી શરૂ થયેલો વિવાદ હિંસામાં પલટાયો, રેલી કાઢી ચક્કાજામ કરનાર ટોળા પર પોલીસ તૂટી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment