Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LTના એન્જિનિયરે ગળાફાંસો ખાધો:લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આપઘાત કર્યાની આશંકા, વડોદરા પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરમાં રહેતા 30 વર્ષીય LTના એન્જિનિયર નીરવ ગોપાલરાવ વિચારેએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેડરૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ પ્રાપ્ત વિગતો અનુસાર, નીરવ ગોપાલરાવ વિચારે LT કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. આ યુવક નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ તેમણે પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો. મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી બનાવની જાણ થતાં પરિવારજનો અને મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આપઘાત કર્યાની આશંકા પ્રાથમિક તપાસમાં લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આ ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આદિ કૈલાસ યાત્રા 1 મેથી શરૂ કરવાની તૈયારી:એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી પરમિટ મળશે; ગયા વર્ષે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા
    Next Article
    S Jaishankar's Intervention Behind Iran's Hormuz Clearance To India: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment