Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KBCમાં ભાગ લેનારના પિતાને પોલીસનો સહયોગ, માર્ગમાં ભોજનની વ્યવસ્થા કરી:ધ્રોલ હાઈવે પર પદયાત્રામાં ભોજન પીરસી માનવતા દાખવી

    1 सप्ताह पहले

    જામનગરના ધ્રોલ હાઈવે પર પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. KBCમાં ભાગ લેનાર રાની પાટીદારના પિતા, જેઓ ઉજ્જૈનથી દ્વારકાધીશની પદયાત્રા પર હતા, તેમને પોલીસે ભોજન પીરસી અને આરામ કરાવી મદદ કરી. મધ્યપ્રદેશના આલોત નિવાસી રાની પાટીદારના પિતા વર્ષ 2022માં KBCમાં રાનીના ભાગ લેવા દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. તેમના સંઘર્ષને ખુદ અમિતાભ બચ્ચને મંચ પરથી બિરદાવ્યો હતો. હાલ તેઓ ઉજ્જૈનથી દ્વારકાધીશના દર્શનાર્થે હજારો કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. આ લાંબી યાત્રા દરમિયાન તેઓ ધ્રોલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ધ્રોલ હાઈવે પર ફરજ પર હાજર મુકેશભાઈ વિંઝુડા અને તેમની ટીમે આ વૃદ્ધ યાત્રિકને જોયા. તેમણે તાત્કાલિક પોતાની ફરજથી પર ઉઠીને મદદ કરવાનો નિર્ણય કર્યો. પોલીસે યાત્રિકને થોડો સમય વિશ્રામ કરવા જણાવ્યું અને તેમને ભોજન પીરસીને સેવા કરી. પોલીસે જણાવ્યું કે તેમને યાત્રિકની સેવા કરવાનો મોકો મળ્યો તે તેમનું સૌભાગ્ય છે. યાત્રિકે પોલીસની આ સેવાને દ્વારકાધીશની પ્રસાદી સમાન ગણાવી હતી અને કહ્યું કે ખાખીમાં માનવતાના દર્શન થતા રસ્તાનો થાક પણ ઓગળી જાય છે. પોલીસની આ કાર્યશૈલીએ ખાખી માત્ર સુરક્ષાનું પ્રતીક નથી, પરંતુ માનવતાનું ઉત્તમ માધ્યમ પણ છે તે સાબિત કર્યું.
    Click here to Read More
    Previous Article
    ભુજના APMCમાં ભીષણ આગ લાગી:4થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં 2 કલાક લાગ્યા, વેપારીઓને મોટું નુકસાન
    Next Article
    Philippines Earthquake Live | ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાના ભૂકંપથી તબાહીના દ્રશ્યો | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment