Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બોટાદ ITI પહોંચ્યા:તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી

    2 days ago

    ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બોટાદ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાના વિવિધ ટ્રેડનું નિરીક્ષણ કરી તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. મુલાકાત દરમિયાન, મંત્રીએ સંસ્થામાં કાર્યરત તમામ ટ્રેડના વર્ગો અને વર્કશોપની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે તાલીમાર્થીઓ (વિદ્યાર્થીઓ) સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. મંત્રીએ તાલીમાર્થીઓને મળી રહેલી તાલીમની ગુણવત્તા, પ્રાયોગિક શિક્ષણ અને સુવિધાઓ અંગે પ્રશ્નોત્તરી કરીને માહિતી મેળવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના વિવિધ ટ્રેડોની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, મંત્રીએ આચાર્યની ઓફિસ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લામાં આગામી સમયમાં નવા ઉદ્યોગો અને ફેક્ટરીઓ આવે તો તેની જરૂરિયાતોને અનુરૂપ સંસ્થામાં નવા ટ્રેડ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બોટાદ જિલ્લાના એપ્રેન્ટિસના લક્ષ્યાંકો પૂર્ણ થઈ શકે તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘બાબા બર્ફાની’ના 5.5 ફૂટના દિવ્ય હિમલિંગના દર્શન:‘બમ બમ ભોલે’ના નાદ સાથે આજથી અમરનાથ યાત્રાના પ્રારંભ, ગુજરાતીઓ સહિત 5 હજાર ભક્તોએ દર્શન કર્યા
    Next Article
    ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી:3 મહિનામાં જ 3.44 લાખ કરદાતાઓએ રૂ.245 કરોડ ચૂકવ્યા, રાજકોટમાં વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment