Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુમાં IT એન્જિનિયર કપલની આત્મહત્યા:પતિએ ફ્લેટમાં ગળે ફાંસો ખાધો, પતિને લટકતો જોઈને પત્ની પણ 17મા માળેથી કૂદી પડી; મહિને લાખો કમાતા હતા; ધ્રુજાવી દે તેવી ઘટનાથી અરેરાટી

    6 days ago

    કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બેંગલુરુના કોથનૂર વિસ્તારમાં એક એન્જિનિયર કપલના દર્દનાક મોતની ભયાનક ઘટના સામે આવી છે. પહેલા પતિનો મૃતદેહ ફ્લેટના બંધ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો. પતિના મૃત્યુના થોડા જ મિનિટો પછી પત્ની ફ્લેટમાંથી બહાર નીકળી અને તે જ એપાર્ટમેન્ટના 17મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. બેંગલુરુના કોથનૂર વિસ્તારના એપાર્ટમેન્ટમાં એક એન્જિનિયર કપલના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પહેલા પતિનો મૃતદેહ ફ્લેટના બંધ રૂમમાંથી મળ્યો. ઘણી વાર દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળ્યો તો પત્નીએ સિક્યોરિટી અને પડોશીઓને બોલાવ્યા. દરવાજો તોડતા પતિનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો. તેના થોડી જ મિનિટો પછી પત્ની ફ્લેટમાંથી બહાર નીકળી અને તે જ એપાર્ટમેન્ટના 17મા માળેથી કૂદીને જીવ આપી દીધો. મૃતકોની ઓળખ તેલંગાણાના સિદ્દીપેટ રહેવાસી ભાનુ ચંદર રેડ્ડી કુંટા (32) અને તેમની પત્ની શાઝિયા (31) તરીકે થઈ છે. ભાનુ ચંદર સોફ્ટવેર એન્જિનિયર હતા. શાઝિયા IBMમાં કામ કરતી હતી. રેડ્ડીએ એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેમણે પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે જણાવ્યું છે. સાથે જ લખ્યું કે તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં ન આવે. થોડી જ મિનિટોમાં પતિ-પત્નીના મોતના સમાચારથી સમગ્ર વિસ્તાર માં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ લોકો વચ્ચે સવાલ એ ચર્ચાઈ રહ્યો હતો કે મહિને લાખો કમાતા આ કપલે મોતને કેમ વ્હાલુ કર્યુ. શું તે પારિવારિક ઝઘડો હતો કે બીજું કંઈક? કપલ લગ્ન પહેલા લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર, દંપતીના લગ્નને લગભગ નવ વર્ષ થયા હતા. આ પહેલા બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા હતા. સૂત્રોએ પોલીસને જણાવ્યું કે લગ્ન પછી તેમના વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. જોકે, બંને પરિવારો તેમના સંબંધોથી અજાણ હતા. બેંગલુરુ પોલીસે કેસ નોંધી લીધો છે અને તેમના મૃત્યુના કારણો શોધવા માટે વધુ તપાસ ચાલુ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ખરેખરમાં પતિની સ્વાસ્થ્ય સમસ્યાઓ જ આ ઘટના માટે જવાબદાર છે કે નહીં. આ ઉપરાંત, સંબંધોમાં તણાવ અને માનસિક દબાણ તથા અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વધુ તપાસ પછી જ મૃત્યુનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે. બેંગલુરુના ઘરમાં બે મહિલાઓના મૃતદેહ મળ્યા, બે ઘાયલ આ દરમિયાન, બેંગલુરુના બહારના વિસ્તારના એક ઘરમાં અન્ય બે મહિલાઓના ગળા કાપેલા મૃતદેહ મળી આવ્યા. જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ઘાયલ હાલતમાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના વધતા દેવાના કારણે આત્મહત્યાનો પ્રયાસ લાગી રહી છે. પોલીસે જણાવ્યું કે આશા (55) અને તેમની પુત્રી વર્ષિતા (32) ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં. આશાનો પુત્ર મોહન (27) અને 10 વર્ષનો પૌત્ર મયંક ગૌડા ઘાયલ હાલતમાં બચી ગયા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Bihar Temple Tragedy : PM Modi ने किया मुआवजे का एलान, जताया दुख | Nalanda Temple | CM Nitish
    Next Article
    અમદાવાદ ગુફામાં પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નો પ્રારંભ:ફિલ્મમેકર તન્મય શાહે કહ્યું- મારો પ્રયાસ માલિકીની માનસિકતા છોડી જવાબદારીની દૃષ્ટિ કેળવવાનો છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment