Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:સાવચેતી : વ્યારા જનરલમાં ઇબોલાને ખાસ ICU વોર્ડ તૈયાર

    18 hours ago

    વડોદરામાં ઇબોલા વાયરસની શંકાસ્પદ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. તાપી જિલ્લામાં હાલ એકપણ ઇબોલાનો કેસ નોંધાયો નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે વ્યારા જનરલ તમામ સુવિધાઓથી સજ્જ આઇસોલેશન અને ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વ્યારા જનરલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર ખાસ વોર્ડમાં 3 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ગંભીર દર્દીઓ માટે 2 વેન્ટિલેટર પણ કાર્યરત રાખવામાં આવ્યા છે. દર્દીઓની સારવાર અને દેખરેખ માટે ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ કર્મચારીઓ સહિત કુલ 10 સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. ઇબોલા જેવા ગંભીર ચેપી રોગમાં સંક્રમણને નિયંત્રિત રાખવું સૌથી મોટો પડકાર હોય છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મચારીઓ માટે જરૂરી પર્સનલ પ્રોટેક્શન કિટ (PPE), માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઇઝર અને અન્ય સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સાથે જ જરૂરી દવાઓ અને તાત્કાલિક સારવાર માટેના મેડિકલ સાધનો પણ સજ્જ રાખવામાં આવ્યા છે. જોકે, તાપી જિલ્લામાં હાલ એક પણ ઇબોલાનો કેસ નથી આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં હાલ ઇબોલા વાયરસનો એકપણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નોંધાયો નથી. જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો અને વ્યારા જનરલ હોસ્પિટલને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય છે. નાગરિકોએ અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા અને કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. ઇબોલાના લક્ષણો : ઇબોલા વાયરસ એક ગંભીર અને ચેપી રોગ છે. તેના પ્રારંભિક લક્ષણોમાં અચાનક તાવ આવવો, ભારે માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો અને નબળાઈનો સમાવેશ થાય છે. રોગની ગંભીરતા વધતા ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો, ચામડી પર ચકામા તેમજ કિડની અને લીવરની કામગીરી પર અસર થઈ શકે છે. કેટલાક ગંભીર કેસોમાં શરીરના વિવિધ ભાગોમાંથી રક્તસ્ત્રાવ થવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 8 જૂને I.N.D.I.A બ્લોકની બેઠક સંભવ:રાહુલ, મમતા અને અખિલેશ સહિત 15 પક્ષોના નેતાઓ આવી શકે છે; એકતા પર ચર્ચા
    Next Article
    વિરોધ:અણખોલની સોસાયટીમાં 7 વર્ષે પાણી ન મળ્યું, લોકોની વુડા ઓફિસે રામધૂન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment