Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે IAS રવિન્દ્ર ખટાલેએ ચાર્જ સંભાળ્યો:જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું, પ્રાથમિક બેઠક યોજીને કામગીરીઓને વેગ મેળવ્યો

    10 hours ago

    ગુજરાતના પાટનગર ગાંધીનગરના વહીવટી તંત્રમાં આજે એક મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. આજે 2016 બેચના IAS અધિકારી રવિન્દ્ર ખટાલેએ વિધિવત રીતે ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવેલા આ નિર્ણય બાદ નવા કલેક્ટરનું જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ મહેસાણા કમિશનર તરીકે ફરજ બજાવી હતી નવ નિયુક્ત ગાંધીનગર જીલ્લા કલેકટર રવિન્દ્ર ખટાલે અગાઉ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેમની વહીવટી કુશળતા અને કાર્યદક્ષતાને ધ્યાને રાખીને સરકારે તેમને પાટનગરની મહત્વની જવાબદારી સોંપી છે. આજે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે સત્તાવાર રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો. પુષ્પગુચ્છ સાથે જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાંત અધિકારીઓ અને અન્ય વિભાગીય વડાઓએ પણ નવા કલેક્ટર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પ્રાથમિક બેઠક યોજીને કામગીરીઓને વેગ મેળવ્યો ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીનગર કલેક્ટર તરીકેનો વધારાનો હવાલો જે.એન. વાઘેલા સંભાળી રહ્યા હતા.જેમને હવે આ વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ પદભાર સંભાળ્યા બાદ કલેકટર ખટાલેએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી.અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ વહીવટી પારદર્શિતા પર ભાર મૂક્યો હતો. પાટનગર હોવાના નાતે ગાંધીનગરમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.ત્યારે નવા કલેક્ટરના આગમનથી આ કામગીરીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોફ્ટવેર મેઇન્ટેનન્સના કારણે મનપાની તમામ ઓનલાઇન સેવાઓ બંધ:તા.1 અને 2 એપ્રિલના રોજ મિલકત વેરો નહીં ભરી શકાય, 3 એપ્રિલથી કામગીરી રાબેતા મુજબ થશે
    Next Article
    કપરાડાના એકલેરા ગામની સરકારી શાળાનું નવું ભવન ટૂંક સમયમાં તૈયાર:DEOએ સ્પષ્ટતા કરતાં કહ્યું - ગ્રામપંચાયત કચેરીમાં વિદ્યાર્થીઓ ભણતા ફોટા વાયરલ કરી વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment