Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં બે વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી:રૂપવંત સિંહ બન્યા સ્ટેટ ટેક્સના નવા ચીફ કમિશનર, આલોક કુમાર પાંડેને મળ્યો આદિજાતિ વિકાસ વિભાગનો ચાર્જ

    2 days ago

    રાજ્ય સરકાર દ્વારા બુધવારે ભારતીય વહીવટી સેવા (IAS)ના બે વરિષ્ઠ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન અનુસાર રાજ્ય કર વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. રૂપવંત સિંહને રાજ્ય કર વિભાગની જવાબદારી વર્ષ 2003 બેચના IAS અધિકારી રૂપવંત સિંહ, જે હાલમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને અમદાવાદ ખાતે રાજ્ય કર (સ્ટેટ ટેક્સ) વિભાગના ચીફ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ડૉ. ટી. નટરાજન પાસેથી આ પદનો ચાર્જ સંભાળશે. સરકારે તેમને GMDCના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ પણ આગામી આદેશ સુધી યથાવત રાખ્યો છે. આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ વિભાગમાં નવી જવાબદારી વર્ષ 2006 બેચના IAS અધિકારી આલોક કુમાર પાંડે, જે હાલમાં મહેસૂલ વિભાગમાં રાહત કમિશનર અને એક્સ-ઓફિશિયો સચિવ તરીકે કાર્યરત હતા, તેમની બદલી કરીને તેમને ગાંધીનગર સ્થિત આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ પદનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા IAS અધિકારી શાહમીના હુસૈન પાસેથી જવાબદારી સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    સિંહે યુવકને ફાડી ખાધો, માથું મળ્યું:વડોદરામાં ટ્રકમાં લક્ઝરી બસ ઘુસી જતાં 8 લોકોનાં મોત, અમદાવાદમાં CA દંપતીએ સગાંઓનું 10 કરોડનું ફૂલેકું ફેરવ્ચું
    Next Article
    ગંદકી મુદ્દે અનોખો વિરોધ કરાયો:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કચરો સીધો VCના ટેબલ પર ઠાલવાયો, કુલપતિએ એક સપ્તાહમાં સફાઈ કરાવવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment