Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક

    4 days ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વિવિધ અધિકારીઓને જિલ્લામાં પ્રભારી સચિવને નિમણુક આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વરિષ્ઠ IAS અધિકારી રાજકુમાર બેનીવાલની વરણી કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલ હાલમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની લિમિટેડ ભરૂચ ખાતે વહીવટી નિયામક (MD) તરીકે કાર્યરત છે. સરકારના આ નવા આદેશ બાદ હવે તેઓ પોતાની વર્તમાન જવાબદારીઓની સાથે કચ્છ જિલ્લાના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ અને વહીવટી સંકલનની દેખરેખ રાખશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે અનુભવી અધિકારીની નિમણૂકથી વહીવટી પ્રક્રિયામાં વધુ વેગ આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ કચ્છના વિકાસ માટે પથદર્શક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વહીવટી કારણોસર અને જિલ્લાઓમાં કામગીરીના સુદ્રઢીકરણ માટે કુલ 15 જેટલા જિલ્લાઓના પ્રભારી સચિવોની બદલી અથવા નવી નિમણૂક કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલએ ડિસેમ્બર 2010 થી સપ્ટેમ્બર 2012 દરમિયાન કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમના સમયમાં કચ્છમાં પંચાયતી રાજના માળખાને મજબૂત કરવા અને ગ્રામીણ વિકાસની યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હવામાન વિભાગની આગાહી:29-30 મીએ ગાજવીજ- પવન વચ્ચે હળવા વરસાદની શક્યતા
    Next Article
    પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment