Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓની બદલી:જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને નવા કલેક્ટર મળ્યા, પી.આર. પટેલિયાની ફરી સચિવ તરીકે કરાર આધારે નિમણૂક

    8 hours ago

    રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ મહત્વના જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક સાથે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પી.બી. પંડ્યા બન્યા જામનગરના કલેક્ટર અમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.બી. પંડ્યા (IAS)ને જામનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કે.બી. ઠાકર (IAS)ના નિવૃત્તિ પછી આ જવાબદારી સંભાળશે. ઠાકર 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થવાના છે. સુરેન્દ્રનગરમાં જી.એચ. સોલંકીની ટ્રાન્સફર નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત જી.એચ. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં વધારાની જવાબદારી સંભાળતા કે.એસ. યાજ્ઞિક (IAS)ને રિલીવ કરશે. ગાંધીનગરમાં રવિન્દ્ર ખાતલે કલેક્ટર મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપતા રવિન્દ્ર ધ્યાનેશ્વર ખાતલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જે.એન. વાગેલા (IAS)ની વધારાની જવાબદારીને બદલશે. રાજ્ય વહીવટમાં નવી ગતિ આ બદલી-નિયુક્તિઓથી રાજ્યના વહીવટમાં નવી દિશા અને ગતિ આવવાની અપેક્ષા છે. સરકારના આ નિર્ણયને પ્રભાવશાળી વહીવટી વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પી.આર. પટેલિયાની ફરી સચિવ તરીકે કરાર આધારે નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 25 માર્ચ, 2026ના જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયા 31 માર્ચે નિવૃત્ત થવા છતાં તેમની સેવા ચાલુ રાખવામાં આવી છે. સરકાર દ્વારા તેમને 1 એપ્રિલ, 2026થી એક વર્ષ માટે કે આગળના આદેશ સુધી કરાર આધારે સચિવ તરીકે ફરી નિમણૂક આપવામાં આવી છે. સાતમા પગાર પંચ મુજબ “લાસ્ટ પે માઈનસ પેન્શન” ફોર્મ્યુલા આધારે તેમને વેતન ચૂકવાશે. તેમના કરારની અન્ય શરતો બાદમાં જાહેર કરવામાં આવશે, જે સરકારના નિર્ણયને લઈ પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. રાજ્યમાં 27 આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની બદલી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરના આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની વ્યાપક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 27 અધિકારીઓની સ્વવિનંતીથી વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જેમાં સેવા સુદ્રઢ બનાવવા અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બદલાયેલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગરથી જારી કરાયેલા આ આદેશમાં વિવિધ તાલુકા અને જિલ્લાની હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આયુર્વેદિક સારવાર સુવિધાઓ વધુ મજબૂત બને. આરોગ્ય વિભાગના આ નિર્ણયને કારણે તંત્રમાં ચુસ્તતા વધશે અને દર્દીઓને વધુ સુવિધાજનક સારવાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi told Trump to end war… India not a dalal nation (on Pak role): Govt
    Next Article
    કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં કંપની નિષ્ફળ:ખેડૂતનો વીમો ઉંમરના બહાને નકારતી કંપનીને કોર્ટે ફટકારી, વ્યાજ સાથે ક્લેઈમ ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment