Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા વહીવટી તંત્રમાં બે IAS અધિકારીની બદલી:ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાની બદલી

    19 hours ago

    રાજ્ય સરકાર દ્વારા મોડીરાત્રે 72 IAS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરાના બે અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હરિપરાની બદલી થઈ છે. ગંગાસિંઘ નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે. વડોદરાને મળ્યા નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘની બદલી થતા બોટાદના જિલ્લા વિકાસ અધિકારી (DDO) અક્ષય બુદાનિયાને વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુદાનિયાની છબી એક કાર્યદક્ષ અને કડક અધિકારી તરીકેની રહી છે, જેનો સીધો લાભ વડોદરાના અટવાયેલા પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં મળશે તેમ મનાય છે. મમતા હિરપરાની અમદાવાદ AMCમાં બદલી વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર મમતા હિરપરાની હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી પકડ મજબૂત કરનાર હિરપરાના મેનેજમેન્ટ કૌશલ્યનો ઉપયોગ હવે રાજ્યના સૌથી મોટા કોર્પોરેશનમાં કરવામાં આવશે. તેઓના સ્થાને ડાંગ આહવામાં ટ્રાયબલ એરિયા સબ પાનના એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા પાટીલ આનંદ અશોકને નિયુક્ત કરવામાં આવ્યા છે. નર્મદા કલેક્ટર તરીકે ગંગા સિંઘની નિમણૂક વડોદરામાં મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ગંગા સિંઘને હવે પાડોશી અને સંવેદનશીલ નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકેની કમાન સોંપાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન ક્ષેત્રોના વિકાસ સાથે આદિવાસી સમાજની સુખાકારી જાળવવાનું મહત્વનું કાર્ય હવે તેમના શિરે રહેશે.
    Click here to Read More
    Previous Article
    નિંગાળાની કેરી નદી 10 વર્ષથી સાફ નથી:ગ્રામ રક્ષક પાળો નબળો પડતા ચોમાસા પૂર્વે સફાઈની માંગ
    Next Article
    અમરાપુરમાં સૌની યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અને વળતરનો વિવાદ.:અમરાપુરમાં સૌની યોજનામાં ભ્રષ્ટાચાર અને વળતર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર રોષ; સિંચાઈ વિભાગે આક્ષેપો નકારી ગુણવત્તાનો લુલ્લો બચાવ કર્યો,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment