Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ ખેંચાતા પાણીની તંગીના એંધાણ:મોરબી પંથકના 10 ડેમમાં માત્ર 22% પાણી બચતા પીવા અને સિંચાઈનું સંકટ

    1 day ago

    ચાલુ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં મોડું પડતાં મોરબી જિલ્લામાં વરસાદની રાહ લાંબી બની છે. જૂન મહિનાનું અંતિમ સપ્તાહ શરૂ થઈ ગયું હોવા છતાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી. પરિણામે જળાશયોમાં પાણીનો જથ્થો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષે 22 જૂન સુધીમાં જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ડેમોમાં નવી આવક શરૂ થઈ ગઈ હતી અને ખેડૂતોને વાવેતર માટે પૂરતું પાણી મળી ગયું હતું. જોકે આ વર્ષે સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટેના મુખ્ય 10 ડેમોની કુલ જળસંગ્રહ ક્ષમતા 10,829 MCFT છે. હાલ તેમાં માત્ર 2,400 MCFT જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ ક્ષમતાના 22.16 ટકા જેટલો થાય છે. ખેતી માટે અગાઉ પાણી છોડવામાં આવતાં ડેમોના જળસ્તરમાં વધુ ઘટાડો નોંધાયો છે. જો આગામી એક સપ્તાહ સુધી પણ સારો વરસાદ નહીં પડે તો પીવાના પાણી અંગે પણ ચિંતા ઊભી થઈ શકે છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં હાલ માત્ર 24.28 ટકા જ પાણી સંગ્રહિત છે. જિલ્લામાં સૌથી વધુ પાણી મચ્છુ-3 ડેમમાં 45 ટકા અને બંગાવડી ડેમમાં 44.34 ટકા છે. જ્યારે ડેમી-1માં 1.98 ટકા અને ડેમી-3માં માત્ર 0.98 ટકા પાણી જ બચ્યું હોવાથી સ્થિતિ ગંભીર બની છે. ખેતી ક્ષેત્રે પણ વરસાદની ખેંચ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે. ગત વર્ષે 20 જૂન સુધીમાં જિલ્લામાં 1,29,439 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઈ ગયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 80,899 હેક્ટરમાં જ વાવેતર થયું છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતો હવે પાક બચાવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઉભા પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે ડેમમાં સ્થિતિ સૌથી નાજુક ડેમી-1માં માત્ર 2.04 ટકા અને ડેમી-3માં માત્ર 0.59 ટકા પાણી બચ્યું છે. જિલ્લાના સૌથી ઓછા જળસંગ્રહ ધરાવતા ડેમોમાં તેમની ગણતરી થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પિતાની હત્યાના આઘાતમાં ગુમસૂમ રહેતી 15 વર્ષની પુત્રીનો આપઘાત‎:મોરબીમાં ટ્રકમાં હવા ભરતી વખતે અચાનક ટ્રકનું ટાયર ફાટતાં યુવાનનું મોત
    Next Article
    દરિયામાં થતી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં સહાય મળશે‎:વાડીનાર બેઝ પોર્ટ પર વેસલ ICGS અચલનું આગમન, સુરક્ષાને મજબૂતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment