Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના મોતનો વિરહ જીરવી ન શક્યો GRD જવાન:આજીડેમ વિસ્તારમાં રહેતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પત્નીના અકાળે અવસાન બાદથી સતત માનસિક આઘાતમાં હતો

    1 week ago

    રાજકોટના આજીડેમ વિસ્તારમાં રહેતા અને યુનિ. પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવાન દિપક દિનેશ દાણીધારિયાએ પત્નીના મોતના વિયોગમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. કાલાવડના મોકાજી મેઘપર ગામના વતની દિપકે ગઈ રાત્રિના 11 વાગ્યાના અરસામાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પછી તે મવડી વિસ્તારમાં રહેતા કાકા મનોજભાઈના ઘરે ગયો હતો, જ્યાં અચાનક તબિયત લથડતા અને બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતક દિપક યુનિ. પોલીસમાં ફરજ બજાવવાની સાથે મેટોડામાં ઘડિયાળની કંપનીની બસ ચલાવી ગુજરાન ચલાવતો હતો અને તે પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો. 4 વર્ષ પહેલાં તેના લગ્ન રિદ્ધિબેન સાથે થયા હતા, પરંતુ માત્ર 3 મહિના પહેલા જ તેની પત્નીનું ફેફસામાં ઇન્ફેક્શન અને ટીબીની બીમારીને કારણે અવસાન થયું હતું. પત્નીના અકાળે અવસાન બાદ દિપક સતત માનસિક આઘાતમાં રહેતો હતો, જે અંતે તેના આપઘાતનું કારણ બન્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના 19 વર્ષીય યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટિયા પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં જૂનાગઢના વતની અને ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 19 વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. આ યુવાન જ્યારે હોટલથી જમવાનું લઈને પોતાના બાઈક પર પરત ફરી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 108ની ટીમને જાણ કરી હતી, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવાન પોતાના પરિવારમાં બે ભાઈ અને બે બહેનોમાં વચેટ હતો અને મહિકા પાટિયા પાસે ભાડાના મકાનમાં રહી મજૂરી કરતો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ગાય આડે ઉતરવાથી બાઇક સ્લીપ થતા પ્રૌઢનું કરૂણ મોત રાજકોટના સંતકબીર રોડ પર રહેતા 55 વર્ષીય પ્રૌઢનું માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ માધવજીભાઇ ભરાડ ગઇ તા. 22 ના રોજ પોતાના વતન પાટખીલોરી ગામ તરફ બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન પાટખીલોરી ગામ નજીક અચાનક ગાય આડે ઉતરતા વિનોદભાઇએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેમનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા અંતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. મૃતક દોશી હોસ્પિટલમાં કેન્ટીન ચલાવતા હતા. તેને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. હાલ આ મામલે પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી એક શાળાના પરિસરમાં નેપાળી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે. જામનગર રોડ વિસ્તારમાં રહેતા 15 વર્ષીય સગીરે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. આ અરજીમાં તેણે આક્ષેપ કર્યો છે કે, પાણીના પ્લાન્ટમાં કામ કરતી વખતે સંચાલક જયેશ મજેઠીયા અને લાલો પટેલ તેને લલચાવી-ફોસલાવી અવારનવાર હવસનો શિકાર બનાવતા હતા. આરોપીઓએ આ બાબતે કોઈને જાણ ન કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ સગીરે ઉલ્લેખ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીએસઆઈ એસ એમ રાણાની ટીમે સગીરનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તે સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસને આ મામલે વિડિયો આધારિત પુરાવા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર આક્ષેપો અને પ્રાથમિક પુરાવાઓના આધારે એ ડિવિઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. સગીરે પોતાની અરજીમાં અન્ય બાળકોના પણ શારીરિક શોષણ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના ચકચારી ઋષભ પટેલ આપઘાત કેસ:વોન્ટેડ આરોપી કલ્પેશ પટેલ પોલીસ સંકજામાં આવ્યો, ફરાર મનીષ અને ક્રિષાલની શોધખોળ ચાલુ
    Next Article
    Kutch Robbery Case Update | કચ્છના હમીરપૂરમાં મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો | Robbery In Temple

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment