Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમદાવાદમાંથી દબાણ હટ્યું હોય એવો એક રોડ બતાવો':હાઇકોર્ટે દબાણ અને ધ્વનિ પ્રદૂષણ મુદ્દે મ્યુનિ.કમિશ્નર, ગૃહ વિભાગના સેક્રેટરી, GPCB ચેરમેનને ઓનલાઈન હાજર કર્યા

    9 hours ago

    રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં દબાણ તેમજ ધ્વનિ પ્રદૂષણ મુદ્દે કન્ટેમ્પ અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઉપરોક્ત સમસ્યા અટકાવવા પોલિસી બનાવવામાં આવી છે, તો આ પોલિસીની અમલવારી માટે જવાબદાર કોણ છે પોલીસ અને મહાનગરપાલિકા ફક્ત નામ છે, જવાબદાર અધિકારીઓ કોણ છે? પોલીસી બનાવવા સિવાય ઓથોરિટીએ કશું કર્યું નથી. દબાણ દૂર થયું હોય તેવો અમદાવાદનો એક રોડ બતાવો! તમને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. કોર્ટ અને લોકોએ આશા છોડી દીધી છે તમે કશું કરવા માંગતા નથી! અમે પણ શહેરમાં ફરીએ છીએ. 'દબાણ હટ્યા તે વાત આ કોર્ટરૂમમાંથી કોણ સ્વીકારશે' કોર્ટે કહ્યુ, હવે અમે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરીએ અથવા કોમનવેલ્થ કે ઓલિમ્પિક વખતે તમે આ બધી કામગીરી કરશો? એ પણ અમદાવાદ શહેરને સારું બતાવવા પણ લોકો માટે નહીં! કોર્ટે પૂછ્યું હતું કે, દબાણ હટ્યા તે વાત આ કોર્ટરૂમમાંથી કોણ સ્વીકારશે.જેથી એડવોકેટ જનરલે કહ્યું હતું કે રાજ્યના કાયદા અધિકારી તરીકે તેઓ કહી રહ્યા છે કે કામગીરી થઈ છે, તેઓ સોગંદનામાં અને વિટનેસ બોક્ષમાં આવીને કહેવા તૈયાર છે. એડવોકેટ જનરલની ખાતરી બાદ હાઇકોર્ટે ધ્વનિ પ્રદૂષણના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 'ધ્વનિ પ્રદૂષણની પોલિસીમાં પોલીસની જવાબદારી, પરંતુ કોઈ પગલા લેવાયા નથી' હાઇકોર્ટે કહ્યું હતું કે, નિયમો મુજબ ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે દરેક પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું જોઈએ. તેનો અમલ થાય છે કે કેમ તે જોવાની જવાબદારી GPCBની છે. ધ્વનિ પ્રદૂષણની પોલિસીમાં પોલીસની જવાબદારી નક્કી કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલા લેવાયા નથી ગૃહ વિભાગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, પરંતુ GPCB એ શું કર્યું ? ગુજરાત હાઇકોર્ટે રિસેસ બાદ GPCB ચેરમેન, AMC કમિશ્નર અને ગૃહ વિભાગના સેક્રેટરીને ઓનલાઇન હાજર કરવા આદેશ આપ્યા હતા. '21 હજારથી વધુ ફેરિયાને ફૂટપાથ ઉપરથી દૂર કરાયા છે' હાઇકોર્ટે રિશેષ બાદની સુનવણીમાં જણાવ્યું હતું કે, શું નિયમો બનાવીને જવાબદારીઓ બીજા ઉપર ઢોળી દેવાની હોય? જો કે હાઇકોર્ટમાં ઓનલાઈન ઉપસ્થિત થયેલા AMC કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં શહેરમાં 33 હજારથી વધુ વાહનોને દંડ કરવામાં આવ્યો છે, 21 હજારથી વધુ ફેરિયાને ફૂટપાથ ઉપરથી દૂર કરાયા છે, તેઓને બાહેંધરી વગર પાછા લારી પાછી આપવામાં આવતી નથી. નિયમોના ભંગ બદલ 6.27 કરોડનો દંડ વસૂલવામા આવ્યો છે. અમદાવાદમાં એસ.જી.હાઇવે, જજીસ બંગલો, નારણપુરા જેવા સાતથી આઠ રોડ ઉપર કામગીરી કરવામાં આવી છે. એસ.જી.હાઈવે ઉપર આઇકોનિક રોડ બનાવાઇ રહ્યો છે. 'પોલિસી બનાવી પણ અમલવારી કેવી રીતે કરશો?' જેથી હાઇકોર્ટે AMC કમિશ્નરને ટકોર કરી હતી કે, અમદાવાદમાં ફક્ત પશ્ચિમ વિસ્તારો જ છે? અમદાવાદમાં એટલી સમસ્યા કે રોજના 6 કરોડ દંડ મેળવી શકાય! છેલ્લા 7 વર્ષથી યોગ્ય કામ થયું નથી, પોલિસી બનાવી પણ અમલવારી કેવી રીતે કરશો?. AMC કમિશ્નરે જણાવ્યું હતું કે, શહેરમાં ફૂટપાથને લઇને કામ થઈ રહ્યું છે. અત્યારે શહેરમાં 44 હજારથી વધુ કાર પાર્ક થાય તેવી વ્યવસ્થાઓ છે, જે પહેલાની ક્ષમતા કરતા ઘણી વધુ છે. 'કેટલી પબ્લિક એડ્રેસ સિસ્ટમ ધ્વનિ પ્રદૂષણ કરવા બદલ જપ્ત કરાઈ?' ધ્વનિ પ્રદૂષણના પ્રશ્ન ઉપર હાઇકોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરી નિપૂણા તોરવણેને પૂછ્યું હતું કે, તેઓ જણાવે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ધ્વનિ પ્રદૂષણ રોકવા તેઓએ શું પગલા લીધા? કોર્ટની વાતથી બધા કોર્ટમાં સહમત થઈ જાય છે, પણ બહાર કામગીરી થતી નથી. કેટલી પબ્લિક એડ્રેસ સિસ્ટમ ધ્વનિ પ્રદૂષણ કરવા બદલ જપ્ત કરાઈ? આખા રાજ્યના કેટલા પોલીસ મથકોએ કામગીરી કરી? મીટીંગો નહી કામ કરો. વળી પોલિસી મુજબ પોલીસ કર્મચારીઓની જવાબદારી નક્કી કરાઈ છે 'રાત્રે પણ DJ વાગતા હોય છે, તમે શું પગલા લીધા ?' ગૃહ વિભાગના સેક્રેટરી નિપુણા તોરવણેએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા GPCB ને સહયોગ કરાયો છે. DJ અને જાહેર રોડ ઉપર ફટાકડા ફોડનાર લોકો ઉપર પગલા લેવામાં આવ્યા છે. જો કે કોર્ટે કહ્યું હતું કે રાત્રે પણ DJ વાગતા હોય છે, તમે શું પગલા લીધા ? તમે કરેલા કેસ ફક્ત પેપર ઉપર છે, રાજ્યમાં રાત્રે 10 થી સવારે 06 સુધી લાઉડ સ્પીકર વાગે છે ! પગલા લો, ફક્ત DJ ટ્રક ઉપર જ નહીં, બધી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે,તેઓની સામે પગલાં લો. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપે 20 વર્ષ થયા પણ કામ થતું નથી. ઓથોરિટી ઉપરોક્ત મુદ્દે ડિટેલ રીપોર્ટ ફાઇલ કરે. જો નિયમોનું પાલન નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમ કરવામાં આવશે. આ સાથે જ વધુ સુનવણી 18 જૂન, 2026 ના રોજ નક્કી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં જમવા બાબતે પથ્થરના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું:પોલીસે 50થી વધુ CCTV ચેક કર્યા, ચાલવાની ઢબ પરથી પકડાયો હત્યારો
    Next Article
    Hormuz Traffic Remains Dry Amid Chokehold, 7 Ships Cross Strait In 24 Hours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment