Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સીએમ હસ્તે મિયાવાકી વનનું લોકાર્પણ:GNFCનો સુવર્ણ જયંતી મહોત્સવ; ભવ્ય વિકાસયાત્રાની ઉજવણીમાં મંત્રીઓ અને મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

    15 hours ago

    ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ભરૂચ જિલ્લાની મુલાકાત દરમિયાન, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. આ ગૌરવશાળી કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુથી કંપની દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન ‘મિયાવાકી વન’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ઉદ્યોગ અને પર્યાવરણના સમન્વયને ઉજાગર કરવામાં આવ્યો હતો. 92 પ્રજાતિના 1 લાખથી વધુ વૃક્ષો સાથે મિયાવાકી વનનું સર્જન આશરે 22,000 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ અનન્ય ‘મિયાવાકી વન’માં પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 92 અલગ-અલગ પ્રજાતિના કુલ 1,01,972 જેટલા વૃક્ષોનું વ્યવસ્થિત વાવેતર કરવામાં આવ્યું છે. ટૂંકા સમયમાં ગીચ જંગલ તૈયાર કરવાની આ જાપાનીઝ પદ્ધતિ દ્વારા ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળીનો વ્યાપ વધશે. મુખ્યપ્રધાને આ નવતર પ્રયોગને પ્રત્યક્ષ નિહાળીને બિરદાવ્યો હતો. પર્યાવરણ જતન અને હરિયાળું ગુજરાત બનાવવા મુખ્યપ્રધાનનો આહવાન આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે GNFCની આ ગ્રીન ઇનિશિયેટિવ પહેલને પર્યાવરણના જતન અને 'હરિયાળું ગુજરાત' બનાવવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે રાજ્યના અન્ય ઉદ્યોગોને પણ આમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે પ્રકૃતિના રક્ષણ માટે આવી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. કંપનીની 50 વર્ષની ભવ્ય ઔદ્યોગિક અને કૃષિ યાત્રાની ઉજવણી ગોલ્ડન જુબિલી મહોત્સવના આ મંચ પરથી GNFC કંપનીની પાછલા 50 વર્ષની ભવ્ય વિકાસયાત્રા, કૃષિ ક્ષેત્રે ખાતર પૂરું પાડવામાં આપેલું અમૂલ્ય યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓનું રસપ્રદ પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કંપનીની પર્યાવરણ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને પણ વિગતવાર ઉજાગર કરાઈ હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કંપનીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'સાથ સોઓગે નહીં તો રિપ્લેસ કર દેંગે':22 વર્ષની 'છાવા' ફેમ સંચિતા ઉગલેની આત્મહત્યા બાદ ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીને એક્સપોઝ કરી
    Next Article
    લાલપુરમાં એક મહિનાના ભક્તિ કાર્યક્રમનું સમાપન:સિદ્ધનાથ મહાદેવ મંદિરે ગૌરી માતાજીનું જલવિસર્જન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment