Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગટર છાપ' Gen Z અચાનક દેશની તાકાત બની ગયા:ભાજપ સાંસદ કંગનાએ યુટર્ન લેતા કહ્યું- Gen Zના લીધે જ અમારી સરકાર, આપણા દેશની ધરોહર; થોડા દિવસ પહેલાં કોકરોચ કહ્યા હતા

    1 day ago

    ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત તેના વિવાદિત નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલાં તેણે Gen-Z ને 'ગટર છાપ' કહ્યું હતું. જોકે, હવે અચાનક કંગનાના સૂર બદલાયા છે. કંગનાએ Gen-Zને દેશની તાકાત અને દેશની સંસ્કૃતિને ઓળખ અપાવનારા ગણાવ્યા છે. 'જેન-ઝી આપણા દેશની ધરોહર છે' સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું કે, 'જેન-ઝી આપણા દેશની તાકાત છે. તે આપણા દેશની ખૂબ મોટી ધરોહર છે. આપણા જે યુવા બાળકો છે, તેણે પણ મોહન ભાગવતજીના જ્ઞાન અને તકોનો લાભ મળી રહ્યો છે.' તેણે વધુમાં કહ્યું કે, 'આપણા યુવાનો પણ આપણી સંસ્કૃતિના એમ્બેસેડર તરીકે ઝડપથી આગળ વધી રહ્યા છે. તે ખૂબ જ ખુશીની વાત છે.' 'જેન-ઝી સરકારનો જ ભાગ છે' સંસદ સત્ર દરમિયાન કંગનાનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે જેન-ઝીના વખાણ કરતી જોવા મળી રહી છે. કંગનાએ કહ્યું કે, 'જેન-ઝી સરકારનો જ ભાગ છે. તેમના જ મેન્ડેટને કારણે આટલા વર્ષોથી અમારી સરકાર છે. એવું નથી કે પ્રોટેસ્ટમાં 10-15 લોકો, જેમણે ગાળો આપી એ જ જેન-ઝી છે. આજે ઝારખંડમાં જે બાળકો બેઠા છે અને આટલી સરસ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એ યુવાઓ જે દેશ માટે આટલા બધા મેડલ લઈને આવ્યા, પ્રધાનમંત્રીજીને સમર્પિત કર્યા, તે પણ જેન-ઝી છે.' 'કેટલાક લોકો જેન-ઝીનું નામ બગાડી રહ્યા છે' તેણે આગળ કેટલાક લોકો પર નિશાન સાધતા કહ્યું કે, 'આ બ્રિગેડ જે પર્યાવરણ દિવસે વૃક્ષો વાવવાની વાત કરે છે, તો આજે હેન્ડલુમ દિવસ છે, મારે જોવું છે કે જે લોકો જ્ઞાન આપતા ફરે છે, તે હેન્ડલુમ ખરીદે છે. કેટલાક લોકો નામ ખરાબ કરી રહ્યા છે. જેન-ઝી આપણી સૌથી મોટી તાકાત છે. અમને જેન-ઝી પર ગર્વ છે.' નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડા મોહન ભાગવતના જેન-ઝી અને જેન-આલ્ફા સાથેના સંવાદ બાદ કંગના રનૌતની આ પ્રતિક્રિયા સામે આવી છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, જેન-ઝી અને જેન-આલ્ફા, જૂની પેઢી કરતાં પણ વધુ દેશભક્ત અને પ્રામાણિક છે. તેમણે કહ્યું- 'આપણે તેમની વાત સાંભળવી જોઈએ. તેમની સાથે વાતચીતમાં અભાવ હતો, એટલા માટે દિલ્હીના જંતર-મંતર પર આંદોલન થયું.' 'રીલ્સ જોઈને ઉલટી આવે છે, કેવું પાલનપોષણ થઈ રહ્યું છે' દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં યોજાયેલા સ્ટુડન્ટ પ્રોટેસ્ટ દરમિયાન કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, ‘પ્રદર્શનકારીઓની બોલવાની રીત અને ભાષા ખૂબ જ ખરાબ છે. મેં મારા જીવનમાં એકસાથે કોઈ ફ્રેમમાં આટલું અશ્લીલ કન્ટેન્ટ જોયું નથી. તેમને કોણ જન્મ આપી રહ્યું છે અને કેવું પાલનપોષણ આપી રહ્યું છે?’ કંગનાએ આગળ કહ્યું કે, 'આ રીલ્સ જોયા પછી હું ખૂબ જ પરેશાન થઈ ગઈ છું અને તેના મન પર તેની ખૂબ જ ખરાબ અસર પડી છે.' 'કોકરોચની જેમ વર્તીને દુનિયાને ગંદકી બતાવી રહ્યા છો' આંદોલનના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા 'કોકરોચ' શબ્દ પર પણ કંગનાએ તીખો હુમલો કર્યો હતો. તેણે લખ્યું, 'તમે પોતાને કોકરોચ કહો છો અને તેમની જેમ જ વર્તન પણ કરી રહ્યા છો. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તમે લોકો તમારી આ ગંદકી, કચરા અને અસભ્યતાને આખી દુનિયા સામે પીરસી રહ્યા છો.' કંગનાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યું છે. કંગનાએ જેન-ઝીને ગટર છાપ કહ્યા કંગના રનૌતે નવી પેઢીની ભારતીય મહિલાઓને ‘ગટર છાપ’ કહી. કંગનાનું કહેવું છે કે, 'આ મહિલાઓ સ્વતંત્ર મહિલાઓનો વાદ કરી નશો કરવો, દારૂ પીવો અને અસંખ્ય પુરુષો સાથે યૌન સંબંધ બાંધવાને સ્વતંત્રતા કહે છે.' કંગનાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરીમાં લખ્યું હતું કે, 'સૌથી શરમજનક વાત એ યુવા હિંદુ મહિલાઓનું વર્તન છે, જે સ્વતંત્ર અને કારકિર્દી બનાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે, પરંતુ તે આઝાદી સાથે આવતી જવાબદારીઓને નિભાવવા માંગતી નથી. સ્વતંત્ર મહિલાઓ વિદ્રોહી નિર્ણયો લે છે, સ્પષ્ટ અભિપ્રાય રાખે છે, પરંપરાઓથી હટીને કારકિર્દી પસંદ કરે છે અને પોતાના દરેક નિર્ણયની સંપૂર્ણ જવાબદારી પણ ઉઠાવે છે. તેમને પોતાના કર્મોની કિંમત પોતે જ ચૂકવવી પડે છે. તે પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે આવું કરતી નથી.' કંગનાએ આગળ લખ્યું, 'આજે કહેવાતી પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત ભારતીય મહિલાઓની એક નવી પેઢી સામે આવી છે. હું તેમને 'ગટર છાપ જનરેશન' કહું છું. આમાંથી કેટલીક પાસે સમાજને આપવા માટે કંઈ નથી. તે ભણવામાં સારી નથી, ઉપરાંત એટલી ખરાબ વિચારસરણી અને ભ્રષ્ટ માનસિકતા ધરાવે છે કે સારી ગૃહિણી પણ બની શકતી નથી.' 'તેમ છતાં તેઓ પોતાની કહેવાતી આઝાદીનો દેખાડો કરે છે, નશો, દારૂ અને અસંખ્ય જાતીય સંબંધોને પોતાની આઝાદી ગણાવે છે. શરમ વિના પોતાના માતા-પિતાની કમાણી પર જીવે છે અને સતત સ્વતંત્ર જીવન જીવવાની વાતો કરે છે, જ્યારે વાસ્તવમાં તેઓ આત્મનિર્ભર હોતી જ નથી. એક નાની યાદ અપાવી દઉં, આઝાદ જીવન કમાવવું પડે છે. જો જવાબદારી ઉઠાવ્યા વિના સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરશો, તો તમે ફક્ત એક વિકૃત માનસિકતાવાળા માણસ છો, 'ગટર છાપ'. '
    Click here to Read More
    Previous Article
    Amazon Great Freedom Sale 2026: Best Deals on Premium and Flagship Smartphones From Apple, Samsung and More
    Next Article
    મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધની ચેન આંચકનાર ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે બાવચાવાડના યોગેશ કહારને મુદ્દામાલ અને મોપેડ સાથે દબોચ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment