Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોસા ખાવાથી બે બાળકીના મોત, માતા-પિતા ગંભીર, રહસ્યમય ઘટના:અમદાવાદમાં પરિવારનો આક્ષેપ-ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો ઊલટીઓ થઈ; FSLએ સેમ્પલ લીધા

    14 hours ago

    અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી. 'ઢોસા બનાવીને ખાધા બાદ ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ' પરિવારજન ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારો છોકરો સાંજે 8:00 વાગ્યે ઘનશ્યામ ડેરી આઈઓસી રોડથી ખીરું લઈને આવ્યો, પછી એને ઢોસા બનાવીને ખાધા હતા. પણ એને બીજા દિવસે સવારે ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ, પછી એને એડમિટ કર્યો હતો. ત્યારબાદ એની વાઈફને ખબર ન પડી કે આ ખાવાથી જ ઉલ્ટીઓ થઈ છે એટલે એણે પણ ખાધું અને એની નાની છોકરી હતી એને પણ એક ઢોસો ખવડાવ્યો હતો. એટલે એ લોકો પણ બીજા દિવસથી પાછા ઉલ્ટીઓ કરવા માંડ્યા હતા, અમે આ બધાને હોસ્પિટલ લઈ ગયાં. ‘બેબીની હેડકી ખાતા-ખાતા ડેથ થઈ ગઈ’ ગૌરીશંકર પ્રજાપતિએ કહ્યું કે, હોસ્પિટલ લઈ ગયા પછી દોઢ મહિનાની બેબીની હેડકી ખાતા-ખાતા ડેથ થઈ ગઈ હતી. પછી બીજા દિવસે સાડા ત્રણ વર્ષની બેબી હતી, એને પણ એડમિટ કરી હતી છતાં અમે છુટ્ટી લઈને આવ્યા હતાં. પછી બીજા દિવસે પાછી એને પણ પ્રોબ્લેમ થઈ એટલે કે.ડી. હોસ્પિટલ લઈ ગયા, પણ ડોક્ટરો બચાવી ન શક્યા. 'અમે તપાસ કરી રહ્યા છીએ'- AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. 3 કિલો ખીરું ખરીદ્યુ ને 300 ગ્રામના ઉપયોગથી પ્રશ્ર! મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ત્રણ કિલો જેટલું ખીરૂ ખરીદવામાં આવ્યું હતું. જેમાંથી બે દિવસ બાદ 2700 ગ્રામ જેટલું ખીરૂ ડેરી માલિકને પાછું આપવામાં આવ્યું હતું. જેથી માત્ર 300 ગ્રામ જેટલા ખીરામાંથી ઢોંસા બનાવવામાં આવ્યા હતા જે સમગ્ર શંકા ઉપજાવી રહી છે. 'એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું' ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે જણાવ્યું હતું કે, દિવસે સાંજે અમારે ત્યાં એ બહેન (ગ્રાહક) અને એમના મિસ્ટર ખીરું લેવા આવ્યા હતા. અમે એમને ખીરું આપ્યું હતું. તે સિવાય પણ અમારા બીજા ઘણા ગ્રાહકો, એટલે કે દિવસનું અમારે 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને બીજા અન્ય ગ્રાહકોને પણ આપ્યું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ, ઘનશ્યામ ડેરીમાં જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી. ‘1 એપ્રિલના ત્રણ કિલો ખીરું લઈ ગયા હતાં’ ઘનશ્યામ ડેરીના માલિક વિપુલ પટેલ જણાવ્યુ હતું કે, જ્યારે ખીરું લેવા કસ્ટમર આવ્યા, ત્યાં આગળ મોટાભાઈ બેઠાં હતા અને લગભગ ત્રણ કિલો ખીરું લઈ ગયા હતાં. તે 1 એપ્રિલે ખીરું લઈ ગયા હતા અને પછી 3 તારીખે કહેવા આવ્યા કે 'આ જે અમે લોકોએ ખીરું બનાવ્યું , એમાં પેટમાં કંઈ ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે.' 3 એપ્રિલે આવ્યા એટલે મેં કીધું વાંધો નહીં, એવું હોય તો પાછું લેતા આવજો. 'બધા જ ગ્રાહકને મેં ફોન કર્યો પૂછયું કે, તમને કોઈ તકલીફ પડી?’ તેને વધુમાં કહ્યું, મેં 1 એપ્રિલેના સીસીટીવી પણ ચેક કર્યા હતા. આગળ-પાછળના જેટલા પણ ગ્રાહક હતા, એ બધા જ ગ્રાહકને મેં ફોન કર્યો. જેટલા પણ નજીકના હતા બધાને મેં પૂછી જોયું કે 'તમને કોઈ તકલીફ પડી?' તો કહ્યું કે, 'ના, કોઈ તકલીફ નથી પડી.' એક બીજા સામે રહે છે, એમને પણ પૂછ્યું તો કે 'બીજા દિવસે મેં બાબાને ખવડાવ્યું, કોઈ તકલીફ નથી.' બીજા 4-5 કસ્ટમરને મેં પૂછ્યું કે ‘તમને કોઈ તકલીફ થઈ ખીરું તમે લઈ ગયા હતા?’. ‘મેં સીસીટીવી લગાવ્યા છે, તેમા દેખાશે’ વિપુલ પટેલે કહ્યું કે, એક બહેનની આ રીતના ફરિયાદ આવી હતી કે, તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું, તો મેં જે ખીરું આપ્યું હતું એ મેં સીસીટીવી લગાવ્યા છે જેથી કરીને આવો કોઈ આક્ષેપ થાય તો આપણી એક ક્લેરિટી રહે કે ભાઈ એમના પહેલા કેટલા કસ્ટમર લઈ ગયા છે, એમના પછી કેટલા કસ્ટમર લઈ ગયા છે, એ ડ્રમમાંથી બધાને ખીરું આપ્યું છે. તો જો તકલીફ હોય મારા ખીરામાં, તો બધાને પણ ફૂડ પોઈઝન થવાની શંકા હોય ને બરોબર? પણ એક્ચ્યુલી એમને જ ફૂડ પોઈઝન થયું. ‘એમના વાઈફ ફરિયાદ કરવા માટે આવ્યા હતાં’ વધુમાં ડેરી માલિક વિપુલ પટેલે કહ્યું કે, બાકી તે જ્યારે પાછું આપવા આવ્યા ત્યારે મેં સીસીટીવી જોવાનું ચાલુ કર્યું કે બહેનની કમ્પ્લેન સાચી છે કે ખોટી. ઘનશ્યામ ડેરીમાં મારે બધી જ જગ્યાએ સીસીટીવી લગાવેલા છે જેથી કરીને કોઈ તકલીફ હોય તો એનું સોલ્યુશન આવે. તો એ ખોટી વાત છે, મારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે જ્યારે એ મને 3 એપ્રિલના કમ્પ્લેન કરવા આવ્યા, ત્યારે મારે વોઈસ કેમેરો છે. ત્યારે એમણે કીધું હતું કે 'આજે અમે ખીરું ખાધું અને તમારા ખીરાથી પેટમાં દુખાય છે અને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે.' એ ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને એ વ્યક્તિ લેવા માટે આવ્યા હતા, એમના હસબન્ડ નહોતા આવ્યા. ‘અમને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી’ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લઈ જનાર અંકિતાબેને જણાવ્યું હતું કે, અમે એજ દિવસે ખીરું ખરીદ્યું હતું અને ઈડલી બનાવીને ખાધી હતી. બીજા દિવસે પણ મેં મારા બંને બાળકોને ઈડલી બનાવીને ખવડાવી હતી. પણ અમને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી. પરિવારે એ જ સાંજે અને બીજા દિવસે પણ ઢોસા ખાધા હતા ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું, 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અઢી મહિનાની દીકરીનું મોત થતાં પરિવારે પોલીસને જાણ કર્યા વિના અંતિમવિધિ કરી PI જે. કે. મકવાણાએ વધુમાં કહ્યું કે, 4 એપ્રિલના રોજ તેની અઢી મહિનાની દીકરીનું અચાનક મૃત્યું થયું હતું. જેની તેમણે પોલીસની જાણ કરી નહોતી અને અંતિમવિધિ પણ કરી નાખી હતી. ત્યાર બાદ તારીખ 5 એપ્રિલના રોજ તેની 3 વર્ષની દીકરી સવારે ઉઠી હતી અને અચાનક ચક્કર આવતા પડી ગઈ હતી. જેને KD હોસ્પિટલ લઈ જવામાં આવતાં ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃત દીકરીનું પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવ્યું છે. FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી મૃતના ઘર તેમજ ઘનશ્યામ ડેરીમાં તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજો કોઈ એંગલ નીકળશે તો પણ તપાસ કરવામાં આવશે પોલીસે કહ્યું કે, પરિવારને પહેલા ઉલ્ટી અને વીકનેસ લાગતાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ સામાન્ય દવાથી સારું લાગતા તેમને રજા આપી દેવામાં આવી હતી. ઘનશ્યામ ડેરીના માલિકની પૂછપરછ હજી ચાલુ છે. આ સિવાય પણ કોઈને આડઅસર થઈ છે કે નહીં તેની તપાસ ચાલુ છે. માતા-પિતા હાલ સારવાર હેઠળ છે એટલે ઉંડાણપૂર્વક પૂછપરછ થઈ શકી નથી.
    Click here to Read More
    Previous Article
    દાંતામાં વન અધિકારીઓ-પોલીસ ઉપર હુમલાનો કેસ:હાઇકોર્ટે કહ્યું- વહીવટી તંત્રે આદિજાતિઓને સમજાવવાને બદલે ફોર્સની તાકાત બતાવી, 13 એપ્રિલે કોર્ટમાં અધિકારીઓ હાજર રહે
    Next Article
    Vav Tharad Protest | વાવ થરાદની મોડલ હોસ્ટેલની વોર્ડન સામે વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ |Student Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment