Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ:કડીમાં યુવાન પર જીવલેણ હુમલા મામલે ક્ષત્રિય સમાજનો રોષ, મહેસાણામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર

    22 hours ago

    કડીમાં 25 દિવસ અગાઉ એક યુવાન પર થયેલા હિંચકારા અને અમાનવીય હુમલાના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસમાં થઈ રહેલી વિલંબ અને રાજકીય દબાણ હેઠળ ગુનેગારોને બચાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે 30 માર્ચે મહેસાણા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી બાદ મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવાઈ હતી. પીડિત પક્ષ અને ક્ષત્રિય સમાજનો આરોપ છે કે, રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અથવા તેમને છાવરવામાં આવી રહ્યા છે. યુવક પર જીવલેણ હુમલો મળતી માહિતી અનુસાર, આશરે 25 દિવસ પહેલા કડીમાં મનીષભાઈના પુત્ર યુવરાજ પર કેટલાક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે યુવાનના શરીરમાં 40 જેટલા ફ્રેક્ચર થયા હતાં. નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ પીડિત પક્ષ અને ક્ષત્રિય સમાજનો આરોપ છે કે, ઘટનાના આટલા દિવસો વીતવા છતાં મહેસાણા પોલીસ દ્વારા તપાસ યોગ્ય દિશામાં કરવામાં આવી રહી નથી. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અથવા તેમને છાવરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ ન્યાયની માંગ સાથે એકઠો થયો આ અંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો આજે ન્યાયની માંગ સાથે એકઠા થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વિરોધ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ સામે નથી, પરંતુ જે ગુનેગારોએ આ અમાનવીય કૃત્ય કર્યું છે અને જે લોકો તેમને આશ્રય આપી રહ્યા છે તેમની સામે છે. પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ક્ષત્રિય સમાજની મુખ્ય માંગ છે કે, આ કેસમાં કલમ 307 મુજબ ગુનો નોંધવામાં આવે અને કોઈ પણ રાજકીય વગ ધરાવતા શખ્સના દબાણમાં આવ્યા વગર સાચા ગુનેગારોની ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે, તો સમાજ દ્વારા આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર અને ડીએસપીને અપાયેલા આવેદનપત્રમાં ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેવીના જવાને ગર્લફ્રેન્ડના ત્રણ ટુકડા કર્યા:માથું સળગાવી દીધું, બોડીનો એક ભાગ પલંગ નીચે અને બીજો ફ્રિજમાં સંતાડ્યો; આંધ્રપ્રદેશમાં શ્રદ્ધા વાલકર જેવો કેસ
    Next Article
    સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો:અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment