Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતો અને ભગવા વસ્ત્રોના અપમાનનો વિરોધ:સંસદ પરિસરમાં દાનચોરીના દેખાવના વિરોધમાં મોરબી સંત સમાજે સાંસદો સામે FIRની માંગ સાથે આવેદન આપ્યું

    2 days ago

    મોરબી જિલ્લા સનાતન સંત સમાજે સંસદ પરિસરમાં સંતો અને ભગવા વસ્ત્રોના અપમાનના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી અને FIRની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે નકલંગ મંદિરના દામજી ભગત, ભાણદેવજી મહારાજ અને કથાકાર રત્નેશ્વરી દેવી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન સંત સમાજે રાષ્ટ્રપતિ અને સરકારનું ધ્યાન સંસદ પરિસરમાં તાજેતરમાં બનેલી ઘટના તરફ દોર્યું હતું. આ ઘટનામાં ઉક્ત નેતાઓ અને તેમના સમર્થકો દ્વારા એક આયોજિત ષડયંત્રના ભાગરૂપે કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે, જેનાથી સમગ્ર દેશના સનાતન સંત સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ આક્રોશના ભાગરૂપે દેશભરના શહેરોમાં સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને આવેદનપત્રો સોંપવામાં આવ્યા છે. આ આવેદનમાં જણાવાયું હતું કે રાજકીય લાભ મેળવવા માટે સંતોનો વેશ ધારણ કરીને, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજની છબીને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. પ્રદર્શન દરમિયાન ભગવાનના ચિત્રને પગ પાસે રાખીને ઈશ્વરનું અપમાન કરવામાં આવ્યું હતું, જેનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. આ ઉપરાંત, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના પરંપરાગત 'શ્રાવણ ઝૂલા મહોત્સવ'માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડવા અને સંતોને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ થયો છે. આ કૃત્યથી આશ્રમોની દાન-સમર્પણ વ્યવસ્થાને આર્થિક નુકસાન પણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સનાતન સંત સમાજની મુખ્ય માંગણીઓમાં સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરનારાઓ સામે તાત્કાલિક FIR અને કાનૂની કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે. આયોજનબદ્ધ ગુનો કરવા બદલ ઉક્ત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધીને કઠોર કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી. વધુમાં, રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને સનાતન સંસ્કૃતિનું અનાદર કરનારા આ ચારેય સાંસદોનું સંસદ સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં એ પણ માંગ કરવામાં આવી હતી કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે. સનાતન સંત સમાજે ચેતવણી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા આ ગંભીર બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સનાતન સંત સમાજ અને સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ ઉગ્ર આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈ:કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા, શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતો હોવાનો દાવો, ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ
    Next Article
    રાજ્યમાં હવે હળવાથી મધ્યમ વરસાદનો દૌર:સીઝનનો વરસાદ સામાન્ય કરતાં 16% વધુ, માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment