Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EPS-95 યોજના હેઠળના નિવૃત્ત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન:પેન્શનમાં વધારો, મોંઘવારી ભથ્થું સહિતની માંગ સાથે સાંસદ અને કલેક્ટરને આવેદન સુપરત

    18 hours ago

    વલસાડમાં EPS-95 યોજના હેઠળના નિવૃત્ત કર્મચારીઓએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોંઘવારીના આ સમયમાં માત્ર 1000 થી 2500 રૂપિયાના નજીવા પેન્શનમાં જીવન ગુજારવા મજબૂર બનેલા આ કર્મચારીઓએ તેમની માંગણીઓ સાથે સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ (NAC)ના નેજા હેઠળ આયોજિત પત્રકાર પરિષદમાં નિવૃત્ત કર્મચારીઓએ તેમની ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. આ માંગણીઓમાં નિવૃત્ત કર્મચારીઓને પૂરતું અને સન્માનજનક પેન્શન મળે તે સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે. તેમની પ્રથમ માંગણી છે કે, હાલમાં મળતા નજીવા પેન્શનને વધારીને ઓછામાં ઓછું 7,500 રૂપિયા કરવામાં આવે અને તેની સાથે મોંઘવારી ભથ્થું (DA) પણ આપવામાં આવે. આનાથી નિવૃત્ત કર્મચારીઓ મોંઘવારીનો સામનો કરી શકશે. બીજી માંગણીમાં નિવૃત્ત કર્મચારી અને તેમના જીવનસાથીને સંપૂર્ણ નિઃશુલ્ક તબીબી સારવારની સુવિધા પૂરી પાડવાની વાત છે. ત્રીજી માંગણી 04-11-2022ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઉચ્ચ પેન્શનનો લાભ કોઈપણ ભેદભાવ વગર તમામ નિવૃત્ત કર્મચારીઓને આપવાની છે. ચોથી માંગણી મુજબ, જે નિવૃત્ત કર્મચારીઓ EPS-95 યોજનામાં સામેલ નથી, તેમને પણ દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે. આ માંગણીઓનો ઉદ્દેશ્ય તમામ નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. સમિતિના જિલ્લા પ્રમુખ દયારામ ભંડારીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી આ લડત ચલાવી રહ્યા છે અને બુલઢાણામાં 2600 થી વધુ દિવસોથી ક્રમિક ઉપવાસ ચાલુ છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો ચાલુ સંસદ સત્રમાં એટલે કે 2 એપ્રિલ સુધીમાં સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે, તો 3જી એપ્રિલથી દેશવ્યાપી 'રસ્તો રોકો, રેલ રોકો અને આમરણાંત ઉપવાસ' જેવા આક્રમક પગલાં લેવામાં આવશે. આ આવેદન પત્ર આપવા માટે ST નિગમ, GEB, અતુલ કંપની, GIDC, ડિસ્ટ્રિક્ટ બેંક અને ટોરેન્ટ પાવર જેવી વિવિધ સંસ્થાઓના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે સાંસદ ધવલ પટેલ અને શ્રમ મંત્રી મનસુખ માંડવીયાના નામે આવેદન સુપરત કરી વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે. નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પેન્શન વધારાની આશામાં દરરોજ 200 થી 250 વૃદ્ધ પેન્શનરોનું અવસાન થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત:ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, બાલારામ બ્રિજ નજીક સર્જાઈ દુર્ઘટના
    Next Article
    ધારાસભ્યની ગ્રાન્ટથી જળક્રાંતિનો પ્રારંભ:રાજકોટના વોર્ડ 2 માં 20 રિચાર્જ બોર સાથે ગીરગંગા ટ્રસ્ટનો વિશેષ સહયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment