Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: પાકિસ્તાનને ઉખાડીને ફેંકી દો:બલૂચિસ્તાનમાં વિદ્રોહ, મોદીને ખુલ્લું સમર્થન, ચીનની મેલી મુરાદનો સ્ફોટક ખુલાસો, ગુજરાત-ભારત માટે રેડ એલર્ટ જેવી સ્થિતિ

    1 day ago

    આજે આપણે જે વાત કરવાના છીએ એ સુરતના હીરાના કારખાનામાં બેઠેલા રત્નકલાકારથી લઈને મુન્દ્રા પોર્ટ પર જહાજોની અવરજવર જોતા શિપિંગ એજન્ટ અને તમામ ગુજરાતીઓને આડકતરી રીતે અસર કરવાની છે. કારણ કે આજનો વિષય આપણા ખિસ્સા અને ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનના વિસ્તાર બલૂચિસ્તાનના લીડરે ભારતને એક પત્ર લખ્યો છે જેમાં તેણે ભારતની અને ઓપરેશન સિંદૂરના ભરપેટ વખાણ કર્યા છે અને પાકિસ્તાનને ઉખાડી ફેંકવાની વાત કરી છે. અધૂરામાં પૂરું આજે સમાચાર આવ્યા છે કે આ જ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું હતું અને 60 વખત અમેરિકા આગળ ભીખ માગી હતી કે ભારતને કહો ઓપરેશન સિંદૂર રોકે. વાત કરીએ શું થયું હતું અને બલૂચિસ્તાન કેમ ભારતના વખાણ કરી રહ્યું છે અને પોતાના જ દેશને ગાળો ભાંડી રહ્યું છે. નમસ્કાર... આપણે ગુજરાતીઓ ધંધાદારી માણસો છીએ. આ સિવાય બજારની હલચલ પણ નજર રાખતા હોઈએ છીએ. હાલ અરબી સમુદ્રનાં મોજાં એક નવો ઈતિહાસ લખવાં જઈ રહ્યાં છે કારણ કે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટી હલચલ થઈ રહી છે. થયું કંઈક એવું કે ડિસેમ્બરના અંતમાં પાકિસ્તાનના બલોચ નેતા મીર યાર બલોચે ભારતને પત્ર લખીને ધમાકો કર્યો. આ સામાન્ય કાગળ ન હતો પણ પાકિસ્તાનના મૃત્યુઘંટનો રણકો હતો. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જો ભારત નહીં જાગે તો પાકિસ્તાનનાં ગ્વાદર બંદર પર ચીનની સેનાનાં બૂટના અવાજ સંભળાશે. જો આવું થાય તો તેની સીધી અસર ઓખા, પોરબંદર અને વેરાવળના માછીમારો પર પડશે. આ ગુજરાત અને ભારત માટે એક રેડ એલર્ટ સિચ્યુએશન છે. આપણે જે બલૂચિસ્તાનની વાત કરી રહ્યા છીએ એ શું છે અને ક્યાં આવેલું છે એ પણ જાણીએ પાકિસ્તાનના ચાર પ્રાંત છે, જેમાં સૌથી મોટો બલૂચિસ્તાન છે. દેશની 44 ટકા જમીન આ પ્રાંતમાં છે. પણ અહીંની વસતી 1.5 કરોડ એટલે કે કુલ વસતીના માત્ર 5 ટકા છે. તેની સરહદ ઇરાન અને અફઘાન સાથે જોડાયેલી છે. આ પ્રાંત કોલસો, તાંબુ, સોનું અને યુરેનિયમનો ભંડાર છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો સમજાય છે કે બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવા માંગતું નહોતું. 11 ઓગસ્ટ, 1947ના રોજ બલુચિસ્તાન (ત્યારે કલાત સ્ટેટ) આઝાદ હતું. પરંતુ 27 માર્ચ, 1948ના રોજ પાકિસ્તાની સેનાએ બળજબરીથી અને છેતરપિંડીથી તેના પર કબજો કર્યો. છેલ્લા 79 વર્ષથી બલોચ પ્રજા આ ગુલામી વિરુદ્ધ લડી રહી છે. 1998માં પાકિસ્તાને બલુચિસ્તાનના ચાગાઈ પહાડોમાં જે પરમાણુ પરીક્ષણો કર્યા, તેની કિરણોત્સર્ગી અસર આજે પણ ત્યાંના બાળકોમાં ખોડખાપણ રૂપે જોવા મળે છે. હવે જાણીએ મીર યાર બલોચ વિશે જેણે ભારતની મદદ માગી છે અને પાકિસ્તાનને મૂળથી ઉખાડી ફેંકવાની વાત કહી છે. હવે જાણીએ કે ભારત, વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરને મીર બલોચે લખેલા ખુલ્લા પત્રની પાંચ મોટી વાત શું છે. મીર બલોચના પત્રને બીટવીન ધ લાઈન્સ સમજીએ તો આખી વાર્તામાં પાકિસ્તાન તો માત્ર એક પ્યાદું છે. અસલી માસ્ટરમાઇન્ડ તો ચીન છે. ચીનનો ઈરાદો સ્પષ્ટ છે. પાકિસ્તાનને દેવાના બોજ હેઠળ એટલું દબાવી દેવું કે તે પોતાની જમીન ચીની સેનાને સોંપી દે. CPEC એટલે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર હવે આર્થિક પ્રોજેક્ટ નથી રહ્યો, પણ ભારતને ઘેરવાની એક લશ્કરી જાળ બની ગઈ છે. અરબ સાગરના કિનારે આવેલું પાકિસ્તાનનું ગ્વાદર બંદર હવે ચીનનું પશ્ચિમી મોરચો બનવા જઈ રહ્યું છે. મીર બલોચે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે તેની વાત કરીએ તો એપ્રિલમાં કાશ્મીર વિસ્તારના પહેલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીયોના માથા પર ગોળીઓ મારી હતી. ભારત ગિન્નાયુ અને 6-7 મેના દુનિયા સૂતી હતી ત્યારે પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેની આતંકી ફેક્ટરીઓ પર રાફેલ અને સુખોઈ ઉડાવ્યા અને ભારતની સરહદ નજીકના આતંકીઓના ચીંથરાં ઉડાવી ચાર દિવસમાં સરહદી સંઘર્ષ જીતી લીધો. આ બધી વિગતો આપણે જાણીએ છીએ પણ જે નથી જાણતા તે હવે સામે આવી છે. ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર લોંચ કર્યું ત્યારે પાકિસ્તાને 60 વાર અમેરિકાના ટોચના વહીવટી અધિકારીઓ, સાંસદો, પેન્ટાગોન અને વિદેશ વિભાગના અધિકારીઓ પાસે ભારતને રોકવા ભીખ માગી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને લિટરલી ક્રાઈસિસ લોબિંગ શરૂ કરી હતી. પાકિસ્તાન કોઈપણ રીતે ભારત પર અમેરિકાનું દબાણ બનાવીને યુદ્ધ રોકવા માંગતું હતું. તેણે ટ્રમ્પ પ્રશાસન સુધી ઝડપથી પહોંચ બનાવવા, વેપાર અને રાજદ્વારી નિર્ણયોને પ્રભાવિત કરવા માટે 6 લોબિંગ ફર્મ્સ પર લગભગ ₹45 કરોડ ખર્ચ કર્યા હતા. અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ એટલે કે FARAના લેટેસ્ટ રિપોર્ટ મુજબ પાકિસ્તાને અમેરિકાને ઓફર આપી કે અમને ભારતથી બચાવો અને બદલામાં અમારા લિથિયમ અને કોપરના ભંડારોની સપ્લાય ચેઈનમાં હિસ્સો લઈ જાવ. એક રીતે અમેરિકાએ ભારતથી બચવા અમેરિકાને પોતાનું સાર્વભૌમત્વ વેચી દીધું. આ મામલે ભારતે પણ દુનિયા સામે પોતાની વાત મજબુતાઈથી રાખવા અમેરિકામાં ખૂબ લોબિંગ કર્યું હતું. અમેરિકન લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC મુજબ10 મેના રોજ આ ફર્મે ભારતીય દૂતાવાસ વતી વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સૂસી વાઇલ્સ, અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના રિકી ગિલ સાથે સંપર્ક કરાવવામાં મદદ કરી હતી. લોબિંગ એટલે એક કાયદેસર પ્રક્રિયા જેમાં વ્યક્તિઓ, કંપનીઓ અથવા કોઈ વિદેશી સરકારો અમેરિકન સરકારના નિર્ણયો, કાયદાઓ અથવા તો નીતિઓમાં પોતાની વાતનો ભાર રાખવાનો પ્રયત્ન કરે. અમેરિકામાં લોબિંગ એટલે વિશ્વમાં પોતાની વાત મજબુતીથી મૂકવી. આ ઓપરેશનની વાત આવે અને ચીનની વાત ન આવે એવું બને નહીં. ચીને પાકિસ્તાનને CEPC પ્રોજેક્ટ માટે 62 બિલિયન ડોલર આપ્યા છે. જેનું વ્યાજ પાકિસ્તાનના કૂલ બજેટ કરતા પણ વધારે છે. એટલે ચીન હવે લોનના બદલે જમીનની નીતિ અપનાવશે. અમેરિકા સહિત યુરોપ ભારતને સતત સુફિયાણી સલાહો આપતું રહ્યું છે કે ભારતે પાકિસ્તાનના આંતરિક મામલામાં ન પડવું જોઈએ. યુદ્ધ થાય તો ભારતનું જ અર્થતંત્ર બગડશે. પણ આ જ વાત 1971માં પણ બીજા દેશો કહેતા હતા. જો આપણે પાકિસ્તાનના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કર્યો હોત તો ત્યારનું પૂર્વ પાકિસ્તાન અને આજનું બાંગ્લાદેશ આતંકવાદની મોટી ફેક્ટરી બની ગયું હોત. માટે આજે બલુચિસ્તાનની મદદ બાદ આપણે તેને પાકિસ્તાન સામે લડવા ટેકો નહીં આપીએ તો આવનાર સમયમાં ચીની નૌકાદળ ગ્વાદરમાં અને ચીની આર્મી પાકિસ્તાનમાં બેસીને ભારત સામે જ ફેણ ઉગામશે. ભારત બલુચની મદદ કરે તો તે હસ્તક્ષેપ નહીં પણ રશિયાએ યુક્રેન સાથે જે કર્યું તેવું આત્મરક્ષણ હશે. વોશિંગ્ટનમાં રિકી ગીલની એક ફાઈલ પરની સહી, રાવલપિંડીમાં પાકિસ્તાની જનરલનો ગભરાટ અને બલુચિસ્તાનના પહાડોમાં મીર યાર બલોચનો પત્ર આ બધું એકસાથે મળીને ભારત અને ગુજરાતના શેરબજારમાં અસર કરી શકે છે. જો ભવિષ્યમાં પાકિસ્તાનના ગ્વાદરમાં અશાંતિ વધશે, તો ઓઈલના જહાજોના રૂટ બદલાશે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. વિદેશ નિષ્ણાતો કહી રહ્યા છે કે જો ગ્વાદરમાં ચીની લશ્કરની ગતિવિધિ વધે તો ભારત સહિત મુન્દ્રા, કંડલા કે હજીરા પોર્ટ પર પણ અસર થઈ શકે. બની શકે કે ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પણ વધે. આપણે અખાતી દેશોમાં સાથે પેટ્રોલ સહિત બીજી વસ્તુઓની મોટાપાયે આયાત-નિકાસ કરીએ છીએ. જો દરિયાઈ માર્ગમાં અસ્થિરતા વધે તો માલની ડિલોવરીના નેટવર્ક અને ખર્ચાઓમાં પણ અસર પડી શકે છે. જો ચીની સેના ગ્વાદરમાં મિસાઈલો તહેનાત કરે તો ગુજરાતના કચ્છ, દ્વારકા કે પોરબંદર તેની સીધી રેન્જમાં આવી શકે. જો કે સામેની બાજુ બીજી પણ શક્યતાઓ છે. જો ભારત યુનાઈટેડ નેશન્સમાં બલોચનો માનવાધિકારનો મુદ્દો ઉઠાવે તો વિશ્વએ બલૂચિસ્તાનની પીડા સાંભળવી પડી શકે. જો આવું થાય તો આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનના ટુકડા થવાની પણ શક્યતા રહેલી છે. ચીન ગ્વાદરમાં અને કોરિડોરમાં મોટો ખર્ચો કરી રહ્યું છે પણ ત્યાના બલોચ બળવાખોરો ચીનને રોકવા લોહી અને પરસેવો એક કરી રહ્યા છે. એવું પણ બની શકે કે ગ્વાદર ચીન માટે ફેલ પ્રોજેક્ટ પણ સાબિત થાય. અને છેલ્લે... મીર યાર બલોચે હમણા એક પોસ્ટ કરી હતી જેમાં ભાગલા સમયે બલોચિસ્તાન છોડી ભારત આવતા એક હિન્દુ પોતાની દુકાનની ચાવીઓ તેના બલોચ મિત્રને સોંપી ગયા હતા. તે બલોચ પરિવાર આજે પણ એ આશામાં દુકાન સાચવી રહ્યો છે કે તે હિંદુનો પરિવાર ક્યારેક તો પાછો આવશે. આ છે ભારત અને બલુચિસ્તાનનો ભાઈચારો. ઈતિહાસ સાક્ષી છે કે સરહદો બદલાઈ શકે છે, પણ સદીઓ જૂના આત્મીય સંબંધો ક્યારેય ભૂંસાતા નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:મનપાના ‘સબ સલામત’ વચ્ચે વધુ 3 લીકેજ મળ્યાં
    Next Article
    Trump Says "My Own Morality" Is Only Restraint On Global Power

    Related વિડિઓ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment