Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મુનીર માથે મધ્યસ્થીનો મુગટ:અમેરિકાથી ઑર્ડર છૂટ્યો! યુદ્ધ રોકવા પાકિસ્તાનનો કૂદકો, શરતો પર ઈરાનનો લાલ લીટો; ભારતનું ટેન્શન વધશે?

    13 hours ago

    માર્ચ 2026ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને એવામાં દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે. પર્શિયન ગલ્ફમાં ઈરાન અને ઈઝરાયેલની મિસાઈલો આકાશ ચીરી રહી છે, હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા દુનિયાની તેલ નસ દબાઈ ગઈ છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે, વિશ્વની કિસ્મતની ચાવી એક એવા દેશના હાથમાં આવી છે જે પોતે આર્થિક દેવાળિયાપણાની કગારમાં છે… આ દેશ એટલે પાકિસ્તાન! પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ગેરંટર બનવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ માનાતા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની નજર નીચે ઈસ્લામાબાદ હવે વર્લ્ડ પોલિટિક્સના સૌથી ખતરનાક ખેલનું સેન્ટર બનવા જવાનું છે. આ ખાલી શાંતિની વાત નથી પણ તેલ-ગેસ-મોંઘવારી અને ભૂખમરાથી બચવાનો પાકિસ્તાનનો છેલ્લો પ્રયાસ છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી થનાર આ સિક્રેટ મીટિંગ શું ઈતિહાસ બદલી દેશે? જો પાકિસ્તાન સફળ થાય તો કાશ્મીર વિવાદ વધુ વકરશે? આજે આપણે તેની વાત કરીએ. નમસ્કાર… સૌથી પહેલા તો આપણે સમજીએ કે પાકિસ્તાન પાસે આટલી મોટી જવાબદારી આવી તો આવી કઈ રીતે? તો વાત જાણે એમ છે કે ઈરાન દુનિયાનો સૌથી વધુ શિયા મુસ્લીમ પોપ્યુલેશનવાળો દેશ છે. તેના પછી સૌથી વધુ શિયા મુસલમાન કોઈ દેશમાં હોય તો તે છે પાકિસ્તાન. હાં... પાકિસ્તાન સુન્ની બહુમતિવાળો છે તે વાત અલગ છે. પણ અહીં જોવા જેવી વાત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સીધી રીતે વાતચીત નથી થતી. ઈરાનને પોતાના પાડોશી મુસ્લિમ દેશો પર જે મિસાઈલનો મારો ચલાવ્યો ત્યારથી તે દેશો પણ ઈરાન સામે મોઢું ફૂલાવીને બેઠા છે. તો હવે ઈસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન જ એવો દેશ બને જે ઈરાન અને અમેરિકા બંને સાથે મીડલમેન એટલે કે વચેટિયા તરીકે વાત કરી શકે. જો પાકિસ્તાન ઈસ્લામિક દેશ ન હોત તો તેની કોઈ હેસિયત નથી કે આટલા મોટા યુદ્ધમાં તે મધ્યસ્થી કરી શકે. પાકિસ્તાનને આટલી મોટી જવાબદારી કેમ? અગાઉ વાત કરી તેમ કતાર કે યુએઈ ઈરાનના એવા પાડોશીઓ અને ઈસ્લામિક ભાઈઓ છે જેમની પાસે અમેરિકન સૈન્ય મથકો છે. માટે જ તેને તબાહ કરવા માટે ઈરાને તેમના પર મિસાઈલ્સ છોડી હતી. પણ પાકિસ્તાનમાં અમેરિકાનું કોઈ સૈન્ય મથક નથી, માટે ઈરાને પાકિસ્તાન પર કોઈ મિસાઈલ નથી ચલાવી. પણ જો હોત તો ઈરાનની મિસાઈલ્સ પાકિસ્તાનના આકાશમાં પણ દેખાઈ હોત. આ સિવાય પાકિસ્તાન એકમાત્ર એવો ઈસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ તાકાત છે. માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ પાકિસ્તાનની વાત સાંભળે તેવું છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ મુનીર આ સિવાય એક ફેક્ટર એ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારો ઘરોબો છે. મુનીરને તો ટ્રમ્પે તેમના ફેવરિટ ફિલ્ડ માર્શલ પણ કહ્યા હતા. મુનીરની અમેરિકન ડિનર ડિપ્લોમસી પછી એવું કહેવાય રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન પર ઈરાન મામલે દાવ રમી શકે તેવો ઓપ્શન છે. હવે વાત કરીએ એ 15 મુદ્દાની જે અમેરિકાએ પાકિસ્તાનને વચ્ચે રાખીને ઈરાન સુધી પહોંચાડ્યા છે તેના વિશે. અમેરિકાએ ઈરાનને પ્રપોઝલ મોકલ્યો છે કે, ઈસ્લામાબાદની બેઠકમાં કોણ આવી શકે? જો ઈરાન આ બધી વાતો માની જાય તો પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પર વાતચીત થઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વાતચીતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ શામેલ થઈ શકે છે. ઈરાન તરફથી તેમના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે. પણ એવું કહેવાય છે કે આ 15 પોઈન્ટના પ્રસ્તાવમાં ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને પોતાનો પક્ષ પણ રાખ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્લમાઈલ બાઘેઈએ પ્રસ્તાવના અમુક ભાગોને નકારી કાઢ્યા છે. અમેરિકાના પ્રપોઝલ પર ઈરાને જવાબ આપ્યો છે કે, યુદ્ધ ભૂખમરો અને અંધકાર લાવ્યું હવે વાત કરીએ પાકિસ્તાનની કારણ કે તેના માટે આ મધ્યસ્થી જીવન-મરણનો પ્રશ્ન છે. સમજીએ કઈ રીતે, પહેલા તો પાકિસ્તાન અત્યારે મોટી તેલ-ગેસની એનર્જી ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ પાકિસ્તાન માટે ભૂખમરો અને અંધકાર લઈને આવ્યું છે. તેલ-ગેસના ભાવ વધતા પાકિસ્તાને પોતાની પાકિસ્તાન સુપર લીગમાં સરકારે સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવાને બદલે વોચ ફ્રોમ હોમની વાત રાખી છે. યુદ્ધના કારણે પાકિસ્તાન પરેશાન પાકિસ્તાને પોતાની જરૂરતનું 85-90 ટકા જેટલું તેલ અને ગેસ બીજા દેશો પાસેથી ખરીદે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી છે તેના કારણે પાકિસ્તાનની સપ્લાય ચેઈન ડખે ચઢી છે. પેટ્રોડ-ડીઝલના ભાવમાં સરેરાશ અંદાજે 200 ટકા જેટલો ભડકો થયો છે. જેના કારણે પાકિસ્તાન સરકારે શાળાઓ બંધ કરવી પડી છે અને કામકાજ માટે ફોર ડે વીક પ્લાન ઠોકી બેસાડ્યો છે. પાકિસ્તાન માટે ઈરાનની અસ્થિરતા એ બલૂચિસ્તાનમાં આતંકવાદ વધવાનું જોખમ છે. જો ઈરાન નબળું પડે, તો બલૂચ વિદ્રોહીઓ (BLA) વધુ સક્રિય થઈ શકે છે. આથી પાકિસ્તાન ઈચ્છે છે કે ઈરાનમાં શાસન સ્થિર રહે. આજની તારીખે સાઉદી અરેબિયામાં લાખો પાકિસ્તાનીઓ રહે છે અને કામ કરે છે. સાઉદીમાં અમેરિકાનું મિલેટરી બેઝ છે અને વિચારધારા અને યુદ્ધમાં સાઉદી અમેરિકા તરફ છે. પણ અહીં ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે જો સાઉદી અરેબિયા ઈરાનના કારણે પાકિસ્તાન પર કોઈ નિર્ણય લે તો ત્યાં કામ કરતા પાકિસ્તાનીઓને ઘરભેગા થવું પડે એવી પરિસ્થિતિ છે. પણ પાકિસ્તાને હોર્મુઝમાંથી પોતાના વેપારી જહાજો કાઢવા માટે ઓપરેશન મુહાભિજ ઉલ બહ્ર નામનું ઓપરેશન ચાલુ કર્યું છે જેથી તેની સપ્લાય ચેઈન ખોરવાય નહીં. ઈરાન સાઉદી પર હુમલો કરશે તો પાક.ના હાલ બેહાલ? ખાલી આટલું જ નહીં વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે SMDA નામની એક ડિલ પાર પાડી હતી. જેમાં એવી વાત છે કે પાકિસ્તાન પર હુમલો એટલે સાઉદી પર હુમલો અને સાઉદી પર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો ગણવામાં આવશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈરાન સાઉદી અરેબિયાની એનર્જી સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યું છે. જો સાઉદીમાં ઈરાન મોટો હુમલો કરી દે તો ન ચાહતા હોવા છતા પાકિસ્તાનને પોતાની ન્યુટ્ર્લ પોઝિશન પર ચોકડી મારીને સાઉદી સાથે ઈરાન સામે બાંયો ચઢાવવી પડશે. દેશમાં ઓહાપોહ છતાં પાક.ના ડીંગા? આવું પાકિસ્તાન હરગીઝ નથી ઈચ્છતું. કારણ કે પાકિસ્તાનને અત્યારે ઈરાન જેવા દેશ સાથે દુશ્મની પોસાય તેમ નથી. બીજું કે પાકિસ્તાની શિયા મુસલમાનો સરકાર સામે મોરચો માંડી શકે છે. પાકિસ્તાન એટલા માટે વચેટિયું બન્યું છે કારણ કે ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ એટલી હદે ન વકરે કે પાકિસ્તાનને સાઉદીનો સાથ આપીને ઈરાન સામે લડવું પડે. જ્યારે પાકિસ્તાન પોતે આર્થિક દેવાળિયા અને અફઘાન કે ભારત સરહદ પર તણાવમાં ફસાયું છે ત્યારે તેનું મધ્યસ્થી બનીને પશ્ચિમી દેશોને વ્હાલું થવું અતિ મહત્વનું અને મજબૂરી બની ગયું છે. જો આ થયું તો ભારતનું ટેન્શન વધી શકે જો પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મિડલમેન બનવામાં સક્સેસફૂલ જાય તો ભારત માટે ગ્લોબલ લેવલે ટેન્શન વધી શકે છે. કેન્દ્ર સરકારે પોતાની ઈમેજને વિશ્વગુરુ તરીકે પોર્ટ્રેઈટ કરી છે, પણ વિશ્વ ગુરુની ઈમેજ વચ્ચે કંગાળિયું પાકિસ્તાન બાજી મારી ગયું છે. ભારતની વિદેશનીતિ પાકિસ્તાનને ગ્લોબલ લેવલે એકલું પાડવાની રહી છે. પણ જો પાકિસ્તાન અમેરિકા અને ઈરાન જેવા દેશો સામે મધ્યસ્થી કરે તો ભારતની ફોરેન પોલિસી માટે આ મોટો લાલ લીટો બની શકે છે. જો પાકિસ્તાન ઈરાન સાથે સ્ટ્રોંગ રિલેશન બનાવી લે તો તે ભવિષ્યમાં ઈરાન સરકારને ભારત સામે ઉશ્કેરી શકે છે અને જો આવું થાય તો આપણા મિડલ ઈસ્ટ ઈન્ટ્રેસ્ટ પર મોટી નેગેટિવ અસર થઈ શકે તેમ છે. જો પાકિસ્તાન મિડલમેનની ભૂમિકામાં સફળ સાબિત થાય તો અમેરિકાનો પાકિસ્તાની પ્રેમ ફરી જાગી શકે છે અને અમેરિકા જેવી મહાશક્તિ પાકિસ્તાનને ફરી ફાઈનાન્શિયલ કે લશ્કરી સપોર્ટ આપવાનું પણ વિચારી શકે છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શન મુનીરે ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કરવાની વાત કરી હતી, આનાથી ટ્રમ્પને ખૂબ જ ગલગલિયાં થયા હતા. આ બધી વાતો આપણે ભૂલવી બિલકુલ ન જોઈએ. આટ આટલા ફાયદા સાથે એક મુદ્દો અહીં ચર્ચા કરવો બને જે છે કાશ્મીરનો મુદ્દો. આપણે જાણીએ છીએ કે આવું બધું પાકિસ્તાન મફતમાં નથી કરી રહ્યું. એક્સપર્ટ્સનું કહેવું છે કે પાકિસ્તાનને અમેરિકા પાસેથી કાશ્મીર મામલે છૂટછાટની પણ આશા અપેક્ષાઓ જાગી શકે છે. જો કે આપણે એટલે કે ભારતે કાશ્મીર મામલે ત્રીજા દેશની મધ્યસ્થીનો હંમેશા ઈનકાર કર્યો છે. કતાર અને ઓમાનની જગ્યાએ પાક.ને કેમ ચાન્સ? આ યુદ્ધમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હંમેશા કતાર અને ઓમાન મિડલમેન તરીકેની ભૂમિકામાં નજરે પડ્યા છે, પણ આ વખતે એવું નથી થયું. કારણ કે ઈરાને કતારના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કર્યા છે, જેના કારણે કતાર અમેરિકાના પક્ષમાં આવી ગયું છે અને મધ્યસ્થ મટી ગયું છે. ઈરાને કતારમાં આવેલા અલ ઉદેદ એરબેઝ પર પણ હુમલો કર્યો હતો. એટલે પાકિસ્તાનની પરિસ્થિતિ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન જેવી સ્થિતિ છે. પાકિસ્તાન પાસે ઈરાન સાથે 900 કિલોમીટરની જમીની સરહદ છે અને ઈરાન ઈસ્લામિક ભાઈનો પણ સંબંધ છે. પાકિસ્તાને ઈરાન પર કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ નથી લીધો જે પાકિસ્તાનને ઓમાન કે કતાર કરતા વધુ ન્યુટ્રલ બનાવે છે. જો કે પાકિસ્તાન સિવાય આ યુદ્ધ પૂરું કરાવવા માટે તુર્કી અને ઈજિપ્ત પણ પ્રયાસો કરી રહ્યા છે, પણ પાકિસ્તાન પાસે જેવો ટ્રમ્પનો એક્સેસ છે તેવો તુર્કી કે ઈજિપ્તનો નથી. પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જશે તો? એકવાત આપણે અહીં ધ્યાને લેવી જોઈએ કે જો પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જાય તો ભલે આપણને ડિપ્લોમેટિક નુકસાન થાય પણ એક રીતે પૂરી દુનિયા ઈચ્છે છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પૂરું થાય. આપણે પણ 80 ટકાથી વધુ તેલ-ગેસ હોર્મુઝ મારફતે મગાવીએ છીએ. જો યુદ્ધ લાંબુ ચાલે અને તેલ ગેસનો સપ્લાય રોકાય તો આપણે ત્યાં પણ મોંઘવારી આવતા વાર નહીં લાગે. નવી દિલ્લી અત્યારે વેઈટ એન્ડ વોચની સિચ્યુએશનમાં છે. પાકિસ્તાનની મધ્યસ્થી સફળ રહે તો નવી દિલ્લી ક્યારેય જાહેરમાં પાકિસ્તાનની વાહવાહી નહીં કરે પણ યુદ્ધ પૂરું થવાનો આકડકતો આર્થિક ફાયદો આપણને થશે તે નક્કી જ છે. મધ્યસ્થીની પળેપળની વિગત પર મુનીરની નજર એવી વાતો થઈ રહી છે કે બે દિવસ બાદ એટલે કે 27 માર્ચ 2026ના રોજ ઈસ્લામાબાદની સેરેના હોટલમાં મધ્યસ્થીની મીટિંગ થઈ શકે છે. આ હાઈપ્રોફાઈલ મીટિંગના કારણે પાકિસ્તાન સેનાએ આ વિસ્તારને રેડઝોન બનાવી દીધો છે. જો આ મીટિંગ થાય તો પાકિસ્તાન માત્ર યજમાન નહીં હોય પણ ટેબલ પર ગેરંટર તરીકે બેસશે. કારણ કે અગાઉ આપણે વાત કરી હતી કે અમેરિકાએ ઈરાનને ન્યૂક્લિયર શક્તિઓ ત્યાગ કરવા હાલક કરી છે પણ ઈરાનને બીક છે કે જો ઈઝરાયલ ફરી હુમલો કરે તો તકલીફ પડી શકે તેમ છે. સામેની બાજ પાકિસ્તાને કહ્યું છે કે ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો ન કરે અને હિઝબુલ્લાહ જેવા તેમના પ્રોક્સી ગ્રુપ્સ શાંત રહે તેના માટે ઈરાન પર ગ્રાઉન્ડ લેવલનું વેરિફિકેશન કરશે અને અમેરિકાને પળેપળની માહિતી આપશે. ઈરાન ન્યૂક્લિયર જીદ છોડે અને ઈઝરાયલ તેના પર ફરી હુમલો ન કરે તેની જ જવાબદારી માટે પાકિસ્તાન ગેરંટર બનવા જઈ રહ્યું છે. કહેવાય છે કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ વાટાઘાટો પર સીધી નજર છે. ઈન્ટરનેશનલ મીડિયામાં એવી વાતો પણ ચાલી રહી છે કે ઈરાન રશિયા કે ચીનના તાબામાં ન આવે તેની જવાબદારી પણ પાકિસ્તાને લીધી છે. અમેરિકા સાથે વાત કરવા તૈયાર! પણ લોકો? પણ પાકિસ્તાન માટે આ મીટિંગ આસાન નહીં હોય, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાની નાગરિકોએ યુદ્ધ બાદ અમેરિકાનો વિરોધ કરવા કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા. આ મોતના કારણે જ લોકોમાં અમેરિકા વિરોધી લાગણી ચરમસીમા પર છે. આ સિવાય પાકિસ્તાની શિયા કોમ્યુનિટી પાકિસ્તાની સરકાર પર દબાણ લાવવાની ટ્રાય કરી રહ્યું છે કે પાકિસ્તાન ઈરાનનો પક્ષ છોડીને પૂરી રીતે અમેરિકાના ખોળામાં ન બેસી જાય. પણ પાકિસ્તાની લોકો માટે આ મીટિંગ થાય તેની સારી વાત એ છે જે તેલ અને ગેસના ભાવ આસમાને છે તે ફરી ધડામ થઈને નીચે આવી શકે તેમ છે. જો પાકિસ્તાન મીડલ મેનની ભૂમિકામાં સક્સેસફૂલ રહે તો ભવિષ્યમાં ઘણા ફેરફારો આપણને જોવા મળી શકે છે જેમ કે, પાકિસ્તાન આતંકવાદીમાંથી શાંતિદૂત? પાકિસ્તાન આ મધ્યસ્થી ખાલી શાંતિ માટે જ નથી કરતું પણ તેને પોતાની દાગથી અને લોહીથી ભરેલી છબી પણ સુધારવી છે. હમણા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર બોમ્બમારો કર્યો હતો, આ હુમલામાં અફઘાનિસ્તાનમાં 400 નિર્દોષોના મોત થતા દુનિયાએ પાકિસ્તાનને ભારે ફટકાર લગાવી હતી. જો મંત્રણા સફળ રહે તો જેમ ગંગામાં ડૂબકી લગાવ્યા પછી દાગ ધોવાય તેમ દુનિયા અમેરિકાએ 400 નિર્દોષોના જીવ લીધા તે પણ ભૂલી શકે તેમ છે. મધ્યસ્થીમાં ઈઝરાયલનું કેમ નામ નથી? હવે સૌથી ભયાનક વાત કરીએ. આપણે આટલી વાત કરી એમાં ઈઝરાયલનો કોઈ ઉલ્લેખ નથી. સવાલ થાય કેમ? તો વાત જાણે એમ છે કે પાકિસ્તાન સીધું ઈઝરાયલ સાથે વાત નથી કરતું તે અમેરિકા સાથે વાત કરે છે અને અમેરિકા ઈઝરાયલ સાથે. અમેરિકા ઈઝરાયલની વાત રાખશે અને પાકિસ્તાન ઈરાનની. પાકિસ્તાનની મીટિંગમાં પણ ઈઝરાયલી અધિકારીઓ હાજર નહીં હોય, એવી વાત છે કે ઈઝરાયલી સ્પાય એજન્સી મોસાદે પાકિસ્તાનની મધ્યસ્થી પર બાજ નજર છે. જો પાકિસ્તાન ઈરાનને ન્યુક્લિયર પ્રોગ્રામ અટકાવવા મનાવી લે, તો ઈઝરાયેલ તેને છૂપી રીતે આવકારશે. અને તેનાથી પણ ખતરનાક વાત એ છે કે પાકિસ્તાન ઈઝરાયલને એક દેશ નથી માનતું. અને છેલ્લે... આ પાકિસ્તાનની પહેલી મધ્યસ્થી નથી. 1971માં પાકિસ્તાને અમેરિકા અને ચીન વચ્ચે સિક્રેટ મિડલમેન તરીકે કામ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ યાહ્યા ખાને વચેટિયાની ભૂમિકા ભજવી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ચીનના ઝાઉ એનલાઈ વચ્ચે સિક્રેટ મેસેજીસ શેર કર્યા હતા. આ મધ્યસ્થીનું નામ હતું ઓપરેશન માર્કો પોલો. જેમાં હેનરી કિસિંજરે ઈસ્લામાબાદથી PIAના વિમાનમાં છૂપી રીતે બેજિંગની મુસાફરી કરી હતી. આવું એટલે શક્ય બન્યું કારણ કે પાકિસ્તાનની ચીન અને અમેરિકા બંને સાથે દોસ્તી છે. જો કે આ મધ્યસ્થીના કારણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનની સાઈડ લીધી હતી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Why the Union Govt has asked Congress to vacate two bungalows in its possession on Delhi’s Akbar Road and Raisina Road
    Next Article
    ભાવનગરમાં અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયાનો આક્ષેપ:'લાંચ લેનારાનો વરઘોડો કાઢો' 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા-રામધૂનની હિન્દુ સંગઠનોની ચેતવણી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment