Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારના સલાહકારે કહ્યું- E20 ઇંધણથી ગાડીઓને નુકસાન:E10 પેટ્રોલ ફરી લાવવાની સલાહ આપી, ખાદ્ય સંકટની પણ વાત કરી

    9 hours ago

    સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનનું કહેવું છે કે જૂના ટુ-વ્હીલર્સ માટે E10 પેટ્રોલનું વેચાણ ફરીથી શરૂ કરવું જોઈએ. વી. અનંત નાગેશ્વરન અને આકાશ પૂજારીએ ચેતવણી આપી છે કે ઇથેનોલ બ્લેન્ડિંગને 20% થી આગળ વધારતા પહેલા ભારતે ‘ફૂડ વર્સિસ ફ્યુઅલ’ અને પાણીના વપરાશના સંતુલિત ગણિતની ગંભીર સમીક્ષા કરવી પડશે. 7.5 થી 8 કરોડ જૂના ટુ-વ્હીલર વાહનોને રાહતની જરૂર CEA નાગેશ્વરન અને પૂજારીએ 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત તેમના લેખમાં જણાવ્યું હતું કે દેશના રસ્તાઓ પર હાલમાં BS-IV ધોરણ પહેલાના 7.5 થી 8 કરોડ જૂના ટુ-વ્હીલર્સ દોડી રહ્યા છે, જેમાં કાર્બોરેટર ટેકનોલોજી લાગેલી છે. કાર્બોરેટરવાળા આ જૂના વાહનો ફ્યુઅલમાં ઇથેનોલની વધારાની ઓક્સિજન માત્રાને પારખીને હવા અને ઇંધણના મિશ્રણને જાતે એડજસ્ટ કરી શકતા નથી. આનાથી એન્જિન વધુ ગરમ થવાનું અને તેના રબરના ભાગોને નુકસાન થવાનું જોખમ રહે છે. CEA સૂચવે છે કે જ્યાં સુધી આ વાહનોને મોડિફાય કરવામાં ન આવે ત્યાં સુધી, પંપ પર E20ની સાથે E10 પેટ્રોલ પણ મળી રહેવું જોઈએ. 'ફૂડ વર્સિસ ફ્યુઅલ': જ્યારે ઇંધણના ચક્કરમાં ભોજનની જગ્યા છીનવાઈ જાય રિપોર્ટ અનુસાર ભારતે નિર્ધારિત સમય પહેલા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્ય હાંસલ કર્યો છે, જેનાથી ક્રૂડ ઓઇલની આયાતમાં બચત થઈ છે. પરંતુ ઇથેનોલની માંગ પૂરી કરવા માટે શેરડી, મકાઈ અને ચોખા જેવા પાકોનો વપરાશ ડિસ્ટિલરીઝમાં ઝડપથી વધ્યો છે. CEA એ ચેતવણી આપી કે જો ભારત E20 થી આગળ વધીને E27 કે E30 બ્લેન્ડિંગ તરફ પગલાં ભરશે, તો “બળતણ, ખોરાકની જગ્યા રોકવા લાગશે”. ઉદાહરણ તરીકે, મકાઈનો ઉપયોગ મુખ્યત્વે પોલ્ટ્રી અને પશુધનના ચારામાં થાય છે. જો ઇથેનોલ કંપનીઓ વધુ ભાવ આપીને મકાઈ ખરીદશે, તો પોલ્ટ્રી ઉદ્યોગ મોંઘો થશે અને તેની સીધી અસર ખાદ્ય મોંઘવારી પર પડશે. ખાંડની અછત અને પાણીના ભારે વપરાશનું સંકટ શેરડીના વેપારનું ઉદાહરણ આપતા રોઇટર્સના એક રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું છે કે સરકાર આગામી સિઝનમાં ઇથેનોલ માટે શેરડીના ઉપયોગ પર અંકુશ લગાવવાનું વિચારી રહી છે જેથી ઘરેલું બજારમાં ખાંડની કિંમતો ન વધે. આ સિઝનમાં લગભગ 30 લાખ ટન ખાંડ (વાર્ષિક ઉત્પાદનના 10%) ઇથેનોલમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઇથેનોલ માટે ઉગાડવામાં આવતા પાક (ખાસ કરીને શેરડી) ભારે માત્રામાં પાણીની જરુરિયાત રહે છે. CEAનું કહેવું છે કે માત્ર ઇથેનોલ પ્લાન્ટના પાણીનો વપરાશ ન જુઓ, પરંતુ તે પાક ઉગાડવામાં લાગતા ભૂગર્ભજળ અને તેના અન્ય વૈકલ્પિક ઉપયોગોનો પણ હિસાબ લગાવવો જરૂરી છે. સરકારનો દૃષ્ટિકોણ: E20 સુરક્ષિત છે, અલગ પેટ્રોલ વિકલ્પ આપવો સરળ નથી બીજી તરફ, સરકારે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો સતત બચાવ કર્યો છે. સરકારનો તર્ક છે કે E20 થી વિદેશી મુદ્રાની ભારે બચત થઈ રહી છે અને ખેડૂતોને પાકની સારી કિંમત મળી રહી છે. સરકારી ટેસ્ટિંગના આધારે એ પણ કહેવામાં આવ્યું છે કે E20થી વાહનોના એન્જિનને મોટા પાયે નુકસાન પહોંચવાના પુરાવા મળ્યા નથી. સાથે જ, સરકારે દેશભરમાં અલગ-અલગ પ્રકારના પેટ્રોલ (E10 અને E20) ના વિકલ્પો એકસાથે ઉપલબ્ધ કરાવવાની માંગને એવું કહીને ફગાવી દીધી હતી કે તેનાથી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનનો ખર્ચ ઘણો વધી જશે. આગળનો રસ્તો: E20 પર ટકી રહો, ઉતાવળમાં ફેરફાર ટાળો CEA નાગેશ્વરનનો મુખ્ય સંદેશ એ નથી કે ઇથેનોલ યોજના બંધ કરવામાં આવે, પરંતુ સંદેશ એ છે કે 20% પછી સાવચેતી રાખવામાં આવે. ઊર્જા સુરક્ષા (Energy Security) થી થતા ફાયદાઓની સરખામણી એ અણધાર્યા નુકસાન સાથે થવી જોઈએ જે કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય અર્થતંત્રને સહન કરવા પડી શકે છે. આ ચર્ચા માત્ર માઇલેજ કે એન્જિનની ઉંમર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એના પર આધાર રાખે છે કે ભારત ઇંધણ ઉત્પાદન માટે પોતાની કેટલી જમીન અને પાણી સમર્પિત કરવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકા પ્રવાસ પર કેએલ રાહુલે જણાવ્યું તૈયારીનો પ્લાન:ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટને કહ્યું- અનુભવનો લાભ ઉઠાવવો અને તકોને ઝડપવી જરૂરી
    Next Article
    યુવકે વીડિયોકોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો:યુવતીના પગમાં કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો, બ્લેકમેલ કરી રહેલા અમદાવાદના યુવક સામે ફરિયાદ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment