Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેશ પટેલ અને સંઘવી વચ્ચે અડધો કલાક બંધ બારણે ચર્ચા:રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના ઘરે પહોંચ્યા

    2 days ago

    રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા છે. અહીં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક ચાલી રહી છે. વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ જામનગર રોડ પર નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પૂલ તરીકે લોકપ્રિય છે, તે જનતા માટે ખુલ્લો મુકાયો હતો. ‘નરેશભાઈની શુભેચ્છા મુલાકાતની હર્ષ સંઘવીની ઈચ્છા હતી’ ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે , ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જઈએ જેથી અહીં તેઓ મળવા આવ્યા છે. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી. આકર્ષક રોશનીની વચમાં ‘હેપી સ્ટ્રીટ’નો પ્રારંભ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 74.32 કરોડના ભારેખમ ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ અદ્યતન ઓવરબ્રિજનું ભવ્ય લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે 13 જૂન, 2026ને શનિવારે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોકાર્પણ પૂર્વે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી, યાદગાર અને ઉત્સાહભરી સાંજનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 12 જૂન, 2026ને શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યાથી એરપોર્ટ ગાર્ડન સામે, સાંઢિયા પૂલ બ્રિજ ખાતે ભવ્ય અને આકર્ષક રોશનીની વચમાં ‘હેપી સ્ટ્રીટ’નું ભવ્ય આયોજન કરાયું હતું. આ અનોખા ઉત્સવમાં બ્રિજ પર મોજ કરવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ઉત્સવમાં ફેરવાઈ ગયો હતો. બાળકોથી લઈ વડીલોએ વિવિધ રમતો રમીને ભરપૂર આનંદ માણ્યો આ ‘હેપી સ્ટ્રીટ’ અંતર્ગત સાંઢિયા પૂલ પર નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલોએ વિવિધ રમતો રમીને ભરપૂર આનંદ માણ્યો હતો. લોકોએ લીંબુ ચમચી, સાપસીડી, કોથળા દોડ, લુડો અને રસ્સા ખેંચ સહિતની પરંપરાગત અને આધુનિક રમતો રમીને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સાથે જ હજારો લોકો કરોડોના ખર્ચે બનેલા આ ભવ્ય પૂલને જોવા માટે પણ ખાસ એકઠા થયા હતા. લાંબા સમયના વિવાદો અને રાહ જોયા બાદ આખરે સાંઢિયો પૂલ શરૂ થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. આ પૂલ કાર્યરત થવાથી રાજકોટના લોકોને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર .સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા દ્વારા સંયુક્ત યાદી પ્રગટ કરીને રાજકોટવાસીઓને આ ઝગમગતી સાંજે પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગર ‘ભૂતિયા’ ડિમોલિશનમાં SMC કમિશનરને દિલ્હીનું તેડું:PMOની એન્ટ્રીથી ગાંધીનગરથી દિલ્હી સુધી ફફડાટ, પ્લાન પાસ કરાવવા 'રસ્તા'નો વિવાદ અને SOG-મનપાના અધિકારીનો કારસો
    Next Article
    રાજકોટવાસીઓની આતુરતાનો અંત:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ. 74.32 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત સાંઢિયાપુલનું લોકાર્પણ કર્યું, ખુલ્લી જીપમાં સવારી કરી ટ્રાફિક ખોલવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment