Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેટિંગ, બોલિંગ પછી હવે કેપ્ટનશીપમાં પણ છવાયો વૈભવ સૂર્યવંશી:પહેલો જ DRS માસ્ટરસ્ટ્રોક બન્યો, અમ્પાયરે નિર્ણય બદલવો પડ્યો; આખી મેચ પલટાઈ ગઈ, VIDEO

    14 hours ago

    ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ રમાઈ રહી છે. મેચના પહેલા જ દિવસે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો. ત્યારબાદ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ટીમની કમાન સંભાળી. વૈભવ સૂર્યવંશીની ઉંમર ભલે માત્ર 15 વર્ષ હોય, પરંતુ ક્રિકેટની સમજ તેની ઉંમર કરતાં ક્યાંય આગળ દેખાઈ રહી છે. વૈભવને જ્યારે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન માટે અચાનક કેપ્ટનશીપ કરવાની તક મળી, ત્યારે આ યુવા ખેલાડીએ એવો નિર્ણય લીધો જેણે તેમની સૂઝબૂઝની ઝલક બતાવી દીધી. બેંગલુરુ સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સિલન્સ (COE) ગ્રાઉન્ડ-1માં રમાઈ રહેલી આ મેચમાં રેગ્યુલર કેપ્ટન ઇશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ વૈભવે ટીમની કમાન સંભાળી. કેપ્ટનશીપના આ ટૂંકા સ્પેલમાં તેના માટે સૌથી ખાસ મોમેન્ટ 40મી ઓવરમાં આવી, જ્યારે તેણે પોતાનો પહેલો DRS રિવ્યૂ લીધો અને નિર્ણય બિલકુલ સાચો સાબિત થયો. વૈભવને ખાતરી હતી કે બોલ બેટને અડ્યો સેન્ટ્રલ ઝોનની ઇનિંગ્સની 40મી ઓવરમાં મુકેશ કુમારે આર્યન જુયાલ સામે કેચની અપીલ કરી. અમ્પાયરે અપીલ ફગાવી દીધી, પરંતુ સ્લિપમાં ઉભેલા વૈભવ સૂર્યવંશીને ખાતરી હતી કે બોલ બેટને અડીને ગયો છે. મુકેશે કેપ્ટનને રિવ્યૂ લેવા માટે કહ્યું અને વૈભવે તરત જ DRS લેવાનો ઇશારો કરી દીધો. રિપ્લેમાં અલ્ટ્રાએજ પર બોલ બેટ પાસેથી પસાર થતી વખતે સ્પષ્ટ મુવમેન્ટ દેખાઈ. એવામાં થર્ડ અમ્પાયરે મેદાની અમ્પાયરનો નિર્ણય બદલી નાખ્યો. આ રીતે વૈભવની કેપ્ટનશીપ કરિયરનો પહેલો રિવ્યૂ સફળ રહ્યો. જુયાલ આઉટ થયા બાદ વૈભવનું રિએક્શન જોવા જેવું હતું. આ વિકેટ બાદ સેન્ટ્રલ ઝોનનો સ્કોર 99/4 થઈ ગયો. જુયાલ 46 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. વૈભવ સૂર્યવંશી આ નિર્ણયને લઈને સંપૂર્ણપણે કોન્ફીડન્ટ હતો કારણ કે તે સ્લિપમાં ઉભા રહીને બોલ અને બેટ વચ્ચે થયેલા સંપર્કને જોઈ ચૂક્યો હતો. કોમેન્ટ્રી દરમિયાન પણ આ વાત માટે તેની પ્રશંસા થઈ કે તેણે સ્ટમ્પ માઇક્રોફોનના અવાજ પર નિર્ભર રહ્યા વગર સ્થિતિને પારખી લીધી. સ્ટેન્ડિંગ વિકેટકીપર કુમાર કુશાગ્રએ પણ વૈભવને રિવ્યૂ લેવા માટે પૂરો આત્મવિશ્વાસ આપ્યો. ઈશાન કિશનને ઈજા થતાં સ્ટેન્ડ ઇન કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી મેચની શરૂઆતમાં ઇશાન કિશન જ ઇસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ 19મી ઓવર દરમિયાન તેની આંગળીમાં ઈજા થઈ અને તેને મેદાનની બહાર જવું પડ્યું. ઇશાન બહાર ગયા બાદ વાઇસ-કેપ્ટન વૈભવને આગેવાનીની જવાબદારી મળી. કુમાર કુશાગ્રએ વિકેટકીપિંગ સંભાળી, જ્યારે વૈભવે મેદાન પર ફીલ્ડ સેટ કરવાની અને બોલરો સાથે રણનીતિ બનાવવાની જવાબદારી ઉપાડી. ઇશાન બાદમાં હાથ પર ટેપ લગાવીને પરત ફર્યા, પરંતુ વિકેટકીપિંગની જવાબદારી ફરીથી ન સંભાળી. વૈભવ સૂર્યવંશી પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વખત કોઈ સિનિયર મેન્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. વૈભવ સૂર્યવંશીની આ માત્ર બીજી દુલીપ ટ્રોફી મેચ છે. તે અત્યાર સુધી નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. તેણે 2024ની શરૂઆતમાં રણજી ટ્રોફી દરમિયાન આ ફોર્મેટમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું અને તે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડીઓમાં સામેલ છે. ઈશાન કિશનની કાંડામાં બોલ વાગ્યો વિકેટકીપિંગ કરતી વખતે ઈશાન કિશનના જમણા હાથના કાંડા પર બોલ વાગ્યો. ફિઝિયોએ તેની તપાસ કરી. આ પછી કિશને મેદાન છોડવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી કિશનના હાથ પર સ્ટ્રેપિંગ બાંધેલું જોવા મળ્યું. તેની જગ્યાએ કુમાર કુશાગ્ર વિકેટકીપિંગ કરી રહ્યો છે. વૈભવે છેલ્લી મેચમાં 2 વિકેટ લીધી હતી વૈભવે નોર્થ-ઈસ્ટ ઝોન સામે ક્વાર્ટર ફાઇનલમાં 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી. જોકે, બેટર તરીકે તે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. ઇસ્ટ ઝોને આ મેચ એક ઇનિંગ્સ અને 210 રનથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… વૈભવ માટે રેડ બોલમાં સાબિત કરવાની તક IPLથી T20 ક્રિકેટમાં ઓળખ બનાવી ચૂકેલા વૈભવને હજુ રેડ-બોલમાં પોતાને સાબિત કરવાનું છે. દુલીપ ટ્રોફી ટેસ્ટ તેના માટે એક તક છે. તેણે IPL 2026માં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને ભારતની T20 ટીમમાં સ્થાન મળ્યું. ભારત માટે 6 T20માં 193 રન વૈભવ અત્યાર સુધી ભારત માટે 6 T20 ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છે. જેમાં તેણે 193 રન બનાવ્યા છે. તેની સરેરાશ 32.16 અને સ્ટ્રાઇક રેટ 189.21 છે. તેના નામે 2 ફિફ્ટી છે. વૈભવ તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે T20 સિરીઝની 3 ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા. તેની સરેરાશ 50.33 અને સ્ટ્રાઇક રેટ 196.10 રહ્યો. તેણે 2 અડધી સદી ફટકારી હતી. ---------------------------------- વૈભવ સૂર્યવંશી આ સમાચાર પણ વાંચો… વૈભવ સૂર્યવંશીએ કહ્યું- ઈશાનભાઈને નથી ખબર હું વિકેટ-ટેકર છું: દુલીપ ટ્રોફીમાં ત્રણ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, બેટિંગમાં નિષ્ફળ રહ્યો દુલીપ ટ્રોફીમાં નોર્થ-ઈસ્ટ ઝોન સામે 2 વિકેટ લેનાર વૈભવ સૂર્યવંશીએ એક કિસ્સો શેર કર્યો છે. વૈભવે કહ્યું- 'વિકેટ પડી રહી ન હતી, તેથી ઈશાન ભાઈએ મને 2-3 ઓવર બોલિંગ કરવા કહ્યું. તેમને લાગ્યું કે મને બોલ આપવો જોખમી છે. પરંતુ તેમને ખબર ન હતી કે હું વિકેટ લેનાર બોલર છું.' સંપૂર્ણ સમાચાર વાંચો… વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર: રાજકોટ-અમદાવાદીઓને મેદાનમાં નહીં જોવા મળે વિસ્ફોટક બેટિંગ; સેહવાગ-દ્રવિડના પુત્રોને ચાન્સ, તો યુવા સ્ટારને કેમ નહીં? BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું સિરીઝ માટે ભારતની 15 સભ્યોની અંડર-19 ટીમ જાહેર કરી છે. આમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. જોકે, BCCIના નિયમના કારણે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    "Don't Want To Talk About ODI Cricket, Maine Bohot Try Kiya": India Star's Honest Admission
    Next Article
    પાટણમાં વન્યપ્રાણીએ 15થી વધુ લોકોને બચકાં ભર્યા:બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાની માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી, વૌવા ગામના CCTVમાં કેદ થયું જંગલી જનાવર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment