Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં DGP કે.એલ.એન. રાવનું મહામંથન:એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું નવું કેન્દ્ર ખુલશે, પોલીસ જવાનોના રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ માટે નવી એપ્લિકેશન લોન્ચ થશે

    8 hours ago

    સુરત શહેર આજે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ બન્યું હતું. અહીં આયોજિત પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન અને સુરત રેન્જના પાંચ જિલ્લાઓના ટોચના પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2024 અને 2025ના ગુનાખોરીના આંકડાઓની સમીક્ષા કરવાનો હતો. DGP ડો. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા એ હવે પ્રાથમિકતા રહેશે. પોલીસ હવે જૂની પદ્ધતિઓ છોડી આધુનિક ડેટા એનાલિસિસ દ્વારા ગુનેગારો સુધી પહોંચશે. 'કાળાબજારી કરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીશું' કોન્ફરન્સ દરમિયાન DGP ડો. કે.એલ.એન. રાવનો મિજાજ અત્યંત કડક જોવા મળ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં બુટલેગરો અને કાળાબજારી કરનારા તત્વોને ચેતવણી આપી હતી કે ગુજરાત પોલીસ તેમને કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. DGPએ જણાવ્યું કે, સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગ પર નજર રાખવા માટે સ્પેશિયલ યુનિટ્સને સક્રિય કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, તેમના વિરુદ્ધ ગુજસીટોક અને પાસા (PASA) જેવા કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ્ય માત્ર ગુનો ઉકેલવાનો જ નહીં, પરંતુ ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો પણ છે. ગેસ સિલિન્ડર સંગ્રહખોરો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક સામાન્ય જનતાને સીધી અસર કરતા મુદ્દાઓ પર પણ આ કોન્ફરન્સમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજાર રોકવા માટે સુરત પોલીસ હવે વિશેષ અભિયાન ચલાવશે. DGPએ સૂચના આપી છે કે લોકો સુધી સમયસર રાંધણ ગેસ પહોંચી રહે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની જવાબદારી છે. ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કરનારા તત્વોને શોધી કાઢી તેમના પર કાયદાનો ગાળિયો કસવામાં આવશે. સુરતના તમામ પોલીસ મથકના પીઆઈ (PI) ને આ બાબતે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. પોલીસ હવે ગેસ એજન્સીઓ અને સપ્લાય ચેઈન પર નજર રાખશે જેથી સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે. ગેસના વાહનોને અવરોધ વિના પહોંચાડવા પોલીસ કરશે કામગીરી ગેસ સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો અને ટેમ્પોઝ ઝડપભેર એજન્સી સુધી પહોંચે તે માટે પોલીસ ખાસ કોરિડોર જેવી સુવિધા અથવા પ્રાથમિકતા આપશે. સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસની જરૂરિયાત વધુ હોવાથી, સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે તે માટે પીઆઈ સ્તરના અધિકારીઓને દેખરેખ રાખવા જણાવાયું છે. ગેરકાયદેસર રિફિલિંગ કે ચોરીના કિસ્સામાં તુરંત ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પગલાથી ગૃહિણીઓને ગેસ સિલિન્ડર મેળવવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા છે. રાજ્યમાં 39 પોલીસ સ્ટેશન અને નવા સેન્ટર વર્તમાન સમયમાં ડિજિટલ ફ્રોડ સૌથી મોટો પડકાર છે. DGPએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ 39 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. સાયબર ગુનેગારોને પકડવા માટે રાજ્ય સરકાર 'સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' વિકસાવી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ એસપી (SP) અને એક આઈજી (IG) કક્ષાના અધિકારીઓ કાર્યરત રહેશે. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોમાં 'રીજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' બનાવવામાં આવશે. આ કેન્દ્રો માત્ર ગુના ઉકેલવા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં થનારા હુમલાઓને રોકવા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. સાયબર ફ્રોડના 60 કરોડ રૂપિયા પીડિતોને પરત અપાયા પોલીસની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવ્યા છે. DGPએ ગર્વ સાથે જણાવ્યું કે 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 50 થી 60 કરોડ રૂપિયા ભોગ બનનાર લોકોને પરત કરવામાં આવ્યા છે. હવે આ અભિયાનનું 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. બેંકો સાથે સંકલન સાધીને ફ્રીઝ થયેલા એકાઉન્ટ્સમાંથી રકમ મેળવી મૂળ માલિકને પહોંચાડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને ટેકનિકલ ટીમ હવે 24x7 કાર્યરત રહેશે જેથી નાણાં ટ્રાન્સફર થતાની સાથે જ તેને અટકાવી શકાય. આગામી 3 વર્ષમાં નશાના દૂષણને નેસ્તનાબૂદ કરાશે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત વિઝન મુજબ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. DGPએ જણાવ્યું કે જે રીતે નક્સલવાદને ખતમ કરવાની નેમ લેવાઈ છે, તે જ રીતે માદક દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવામાં આવશે. કચ્છના દરિયાકાંઠાથી લઈને સુરત અને ભરૂચ જેવા 'વલ્નરેબલ' ડિસ્ટ્રિક્ટ્સ (સંવેદનશીલ જિલ્લાઓ) પર વિશેષ નજર રાખવામાં આવશે. ડ્રગ્સ પેડલર્સ અને મોટા માફિયાઓ વચ્ચેની કડી તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટને વધુ સ્ટાફ અને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવશે. સુરતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની નવી ઓફિસ નશાના વ્યવસાય સામે લડવા માટે સ્પેશિયલ 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (ANTF) ને મજબૂત કરવામાં આવી છે. રાજ્યના બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. સુરતમાં પણ ટૂંક સમયમાં ANTFની રીજનલ ઓફિસ શરૂ કરવામાં આવશે, જેમાં એસપી લેવલના અધિકારીઓ તૈનાત હશે. આ ફોર્સ માત્ર રાજ્યની અંદર જ નહીં પરંતુ આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈન પર પણ ત્રાટકશે. યુવા પેઢીને નશાના ખપ્પરમાંથી બચાવવા માટે પોલીસ શાળાઓ અને કોલેજોની આસપાસ પણ વોચ રાખશે અને કડક પેટ્રોલિંગ કરશે. 112 હેલ્પલાઈનનો રિસ્પોન્સ ટાઈમ ઘટ્યો ટેકનોલોજીના ઉપયોગથી પોલીસિંગને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે. DGPએ માહિતી આપી કે સુરતમાં 112 હેલ્પલાઈનનો રિસ્પોન્સ ટાઈમ ઘણો સુધર્યો છે. પહેલા જે મોબાઈલ પીસીઆર વાન ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવા માટે 20 મિનિટ લેતી હતી, તે હવે માત્ર 10-12 મિનિટમાં પહોંચી જાય છે. શહેરી વિસ્તારોમાં તો પોલીસ માત્ર 7 થી 8 મિનિટમાં મદદ માટે પહોંચી રહી છે. આ ઉપરાંત, સાયબર ક્રાઈમ અને પોલીસ મોનિટરિંગ માટે નવી એપ્લિકેશન્સ ડેવલપ કરવામાં આવી રહી છે, જે પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં વધારો કરશે. પોલીસ સ્વાસ્થ્ય અને ટ્રાફિકનું થશે ઓટોમેશન સુરત પોલીસ અને ખ્યાતનામ એન્જિનિયરિંગ કોલેજ SVNIT વચ્ચે 'સ્પંદન' પ્રોજેક્ટ હેઠળ સમજૂતી થઈ છે. આ પ્રોજેક્ટમાં બે મહત્વના પાસાઓ છે. પ્રથમ, પોલીસ કોન્સ્ટેબલોના સ્વાસ્થ્ય અને શારીરિક કસોટીના પેરામીટર્સ રિયલ ટાઇમમાં મોનિટર કરવા માટે એપ બનાવવી. બીજું, ટ્રાફિકના 'હોટસ્પોટ્સ' આઇડેન્ટિફાય કરી અકસ્માતો ઘટાડવા. આ એપ દ્વારા પોલીસ જવાનોની તબિયત પર નજર રાખી શકાશે, જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે સજ્જ રહી શકે. ટ્રાફિક રેગ્યુલેશન માટે આ એકેડેમિક ઇનપુટ ખૂબ જ અસરકારક સાબિત થશે. વિપક્ષના આક્ષેપો પર પોલીસનો જવાબ દારૂના વેપાર અને બુટલેગરો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં DGPએ જણાવ્યું કે, તમામ જાણીતા બુટલેગરો પોલીસની રડારમાં છે. છેલ્લા કેટલાક સમયમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે પોલીસ વધુ સક્રિય બની છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્ટેટ લેવલની એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે. જે લોકો સંગઠિત રીતે દારૂનો વેપાર કરે છે તેમના પર ગુજસીટોક જેવી કલમો લગાવી જેલ ભેગા કરવામાં આવશે. તડીપાર અને પાસાની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. POCSO કેસમાં તાત્કાલિક ડિટેક્શનના આદેશ કોન્ફરન્સના અંતે સામાજિક સુરક્ષા પર ભાર મુકતા DGPએ જણાવ્યું કે, POCSO અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, ધાડ અને ઘરફોડ ચોરીમાં તાત્કાલિક ધરપકડ કરવા સૂચના અપાઈ છે. સુરત આર્થિક રાજધાની હોવાથી અહીં આર્થિક ગુનાઓ પણ વધુ બને છે, તેના માટે સ્પેશિયલ ઈકોનોમિક ઓફેન્સ વિંગને વધુ સતર્ક કરવામાં આવી છે. પોલીસ હવે માત્ર ફરિયાદ નોંધવા પૂરતી નહીં, પરંતુ ન્યાય અપાવવા સુધી પીડિતની સાથે ઉભી રહેશે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ:સ્ક્રીન પાસેના દરવાજા ને બારીના ભાગે આગ લાગતા અફરાતફરી, આજના તમામ શો રદ્દ કરાયા
    Next Article
    Nawazuddin Siddiqui To NDTV On Filling The "Vaccum" Left Behind By Irrfan Khan: "Have My Own Journey, Did Not Come Here For Anyone"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment