Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વેકેશનમાં ધમધમતી શાળાઓનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો:ઉનાળુ વેકેશન શરૂ થયા બાદ DEO એ રજાનો પરિપત્ર કર્યો, શાળા સંચાલક મંડળે સ્કૂલોમાં શનિવારે છેલ્લા દિવસની જાહેરાત કરી

    6 days ago

    રાજકોટ શહેર અને જિલ્લામાં વેકેશન બેચના નામે ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાની ફરિયાદોના આધારે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી સ્કૂલ પર હલ્લાબોલની ચિમકી ઉચ્ચારી હતી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી અને સીએમ પોર્ટલમાં રજૂઆતો થતા સફાળા જાગેલા DEO એ ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું તેનો પરિપત્ર કર્યો. જોકે વેકેશનમાં અભ્યાસ ચાલુ રાખનારી શાળાઓ સામે શું કાર્યવાહી થશે તે જાહેર ન કરી ખાનગી શાળા સંચાલકોને છાવર્યા. જે બાદ આજે 7 મે એ રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળે તમામ શાળાઓને સૂચના આપી કે 10 મે થી 1 જૂન સુધી શાળાઓ બંધ રાખવી અને જો કોઈ શાળા રાખશે અને જોગવાઈ મુજબ સરકાર દ્વારા શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થશે તો તેમાં મંડળ સાથ નહીં આપે. ખાનગી શાળા સંચાલક મંડળના સૂચના પત્રમાં સરકારે નિયત કરેલા ઉનાળુ વેકેશનના અમુક દિવસોમાં તો અમે શાળા ચાલુ રાખશો જ તેવું છડેચોક સ્વીકાર્યું! જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ઉનાળુ વેકેશન 4 મેથી શરૂ થઈ ગયા બાદ 6 મે ના વેકેશનનો પરિપત્ર જાહેર કરતા આશ્ચર્ય જનમ્યું છે. સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ભંગ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવતી હોવાના મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કડક રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. રજુઆત બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને CM પોર્ટલ તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ફરિયાદોનો મારો શરૂ થયો હતો. સતત વધતા વિરોધ અને દબાણ વચ્ચે આજે તા.7 મે ના રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આવતી શનિવારથી તમામ ખાનગી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે. જેમા જણાવવામાં આવ્યું છે કે, બધા રાજકોટ શહેર તથા જિલ્લાના દરેક સંચાલકોને ખાસ જણાવવાનું કે હાલ વેકેશનમા ઘણી સ્કૂલોમા ધો.10 અને 12 ના વર્ગો ચાલુ છે એ બાબતે DEO સાથે વિસ્તૃત ચર્ચા થયા મુજબ આ બાબતની ફરિયાદો સીએમ પોર્ટલ અને જિલ્લા શિક્ષણ અધિકારીના ઓફિશિયલ ઈ મેઈલ આઇડીમાં ઘણા બધા વિદ્યાર્થી સંગઠનો, અલગ અલગ વાલી યુનિયન અને ખાસ આપડે જેને સારા પરિણામ માટે વધારે ભણાવવા માંગીએ છીએ તેવા વિધાર્થીઓ સતત ફરિયાદ કરે છે. એટલે આ બાબતને ગંભીરતાથી લઈને આપણે નિર્ણય કરીએ છીએ કે તા.9 મે, 2026ના શનિવારે આપણા બધા વિદ્યાર્થીઓ માટે છેલ્લો દિવસ રહેશે તા.10 મે, 2026ના રવિવારથી કોઈ પણ શાળા અને તમામ વિભાગો જેમ કે સાયન્સ/JEE/NEET ના વર્ગો/કોમર્સ કે અન્ય કોઈ પણ ધોરણ તા.1 જૂન,2026 ના સોમવાર સુધી ચાલુ કરવુ નહીં નહિતર જે કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા કરવામાં આવશે. જેમા માન્યતા રદ સુધીની જોગવાઈ છે એ સંચાલકને પોતાને બંધનકર્તા રહેશે. જેમાં સંચાલક મંડળ કોઈ મદદ નહીં કરે આવી વિનમ્ર અપીલ છે ઉલ્લેખનીય છે કે અનેક શાળાઓમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 બાદ વેકેશન બેચના નામે વિદ્યાર્થીઓને બોલાવી વધારાની ફી ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. કોંગ્રેસે આ સમગ્ર મામલાને શિક્ષણના વ્યાપારીકરણ સાથે જોડીને વિદ્યાર્થીઓ પર વધારાના માનસિક દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જરૂર પડ્યે તો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર સંસ્થાઓ પર હલ્લાબોલની ચિમકી પણ ઉચ્ચારી હતી. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે પોતાની રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, વેકેશનનો હેતુ વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક આરામ આપવાનો છે પરંતુ કેટલાક ફી લાલચુ શાળા સંચાલકો વેકેશનને પણ કમાણીનું સાધન બનાવી રહ્યા છે. તેમણે વેકેશન દરમિયાન ચાલુ રહેલી શાળાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી. નવાઈની બાબત એ છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ગઈકાલે વેકેશન અંગે પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં તેમાં ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખી શકાશે નહીં અથવા નિયમ ભંગ બદલ કાર્યવાહી થશે. જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચા છે કે સતત વિરોધ છતાં શિક્ષણ તંત્ર શાળા સંચાલકો સામે નરમ વલણ કેમ અપનાવી રહ્યું હતું.કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધની ચેતવણી અને વિદ્યાર્થીઓની ફરિયાદો બાદ આખરે ખાનગી શાળા સંચાલક મંડળને વેકેશન દરમિયાન શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.જો હજુ પણ કોઈ પણ શાળા વેકેશનમા શરૂ રહે છે તેવી ફરિયાદ મળશે તો અમે હલ્લાબોલ કરીશુ જ તેવી ચિમકી પણ આપી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ખનન રોકવા ગયેલી ટીમ પર હુમલો:ગોમા નદીના પટમાં ખનીજ માફિયાઓએ લાકડીઓ અને પાવડા વડે માર માર્યો, બે અધિકારીઓ ઈજાગ્રસ્ત
    Next Article
    હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીના લગ્નનો વિવાદ:મેટ્રો કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરવા આવતા હોવાની જાણ થતા VHP કોર્ટ પર પહોંચ્યું,લગ્ન નોંધણી મોકૂફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment