Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વહીવટી ફેરફાર: મનીષ ગુરવાની નવા કલેક્ટર:DDO, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓની પણ બદલી

    14 hours ago

    રાજ્ય સરકારે વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ ફેરબદલ અંતર્ગત નવસારી જિલ્લાના વહીવટી માળખામાં મોટા ફેરફારો થયા છે, જેમાં જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના મુખ્ય હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. નવસારી જિલ્લાના નવા કલેક્ટર તરીકે IAS મનીષ ગુરવાનીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ પણ વિવિધ મહત્વના પદો પર કાર્યરત રહી ચૂક્યા છે. શહેરના વિકાસ અને નગરપાલિકાના વહીવટ માટે જે.બી. ઉપાધ્યાયને નવસારીના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે કાર્તિક જીવાણીની નિમણૂક કરાઈ છે, જેઓ ગ્રામીણ વિકાસના કાર્યોનું સંચાલન કરશે. નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારોના વિકાસ પર ભાર મૂકતા, વાંસદાના ટ્રાયબલ એરિયા સબ પ્લાન (TASP) ના એડમિનિસ્ટ્રેટર તરીકે સ્વપ્નિલ મહાદેવ સીસલે (IAS) ની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નવસારી જિલ્લાના વહીવટીતંત્રમાં અધિકારીઓની નવી ટીમ કાર્યરત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    મુળીમાં 57,113 દારૂ-બિયરની બોટલોનો નાશ કરાયો:ચોટીલા SDMની અધ્યક્ષતામાં રૂ.1.57 કરોડનો મુદ્દામાલ નષ્ટ
    Next Article
    ભૂ-માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ:અમરોલીમાં રમતનું ગ્રાઉન્ડ બચાવવા યુવાનો મેદાને, ‘સુજલામ સુફલામ’ યોજનાના નામે તળાવ ખોદી માટી કૌભાંડનો રહીશોનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment