Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં CM, ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની રેલી:રામોલમાં BJPનો ખેસ ફેંકી મત નહીં આપવા લોકોનો નિર્ણય, પ્રચારના છેલ્લા દિવસે એડીચોટીનું જોર

    13 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. પ્રચારના પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો – ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાશે. અમદાવાદમાં ભાજપના સાંસદ મનોજ તિવારી, હિતુ કનોડિયા સહિતના પ્રચાર કરશે અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બાપુનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાશે. દિલ્હીના સાંસદ મનોજ તિવારી અમરાઈવાડી વોર્ડમાં બપોરે 12 વાગ્યે ભાજપના ચારેય ઉમેદવાર સાથે રેલી કરશે. જ્યારે ચાંદખેડા વોર્ડમાં ભાજપના નેતા હિતુ કનોડિયા ઉમેદવારો સાથે રેલી કરશે. અમદાવાદમાં આજે તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા સવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. તો રાજકોટમાં AAPના મનીષ સિસોદિયા સહિતના નેતાઓ પ્રચાર કરશે. રાજકીય પક્ષોનો અંતિમ જંગ આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણીના છેલ્લા દિવસે આક્રમક પ્રચારની રણનીતિ અપનાવી રહી છે. રાજકોટમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સવારે 10.30 વાગ્યે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સંબોધિત કરશે. બીજી તરફ સુરતમાં AAPના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા આજે ત્રણથી વધુ વિશાળ રેલીઓ યોજી શક્તિપ્રદર્શન કરશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ છેલ્લી ઘડીએ ઘરે-ઘરે પહોંચીને મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં વ્યસ્ત છે. 'કીર્તિ સેતુ ફાઉન્ડેશન'ના આક્ષેપો ચૂંટણીના અંતિમ તબક્કે સુરતમાં રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે. 'કીર્તિ સેતુ ફાઉન્ડેશન' (KSF) દ્વારા આજે 24 એપ્રિલના રોજ સુરતના પાલ વિસ્તારમાં એક અનોખા પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા AAP વિરુદ્ધ આઘાતજનક ખુલાસાઓ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હી અને પંજાબમાં લોકોના મેન્ડેટ સાથે દગો કરનાર AAPનો અસલી ચહેરો અને તેમના 'નકલી આંદોલન'નો પર્દાફાશ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મણિપુરમાં મેઇરા પાઇબીની મહિલાઓ રસ્તાઓ પર ઉતરી:દિવસ દરમિયાન રસ્તાઓ રોકીને ધરણા, રાત્રે મશાલ રેલીઓથી કાયદો અને વ્યવસ્થા સંભાળી રહી છે
    Next Article
    પોશીનાથી NDPS ગુનાનો 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:કાલંદ ત્રણ રસ્તા પરથી દાંતા પોલીસે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment