Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:પત્નીને કાંધ આપી અને સ્વજનોને ગળે મળી રડ્યા, CMએ સાંત્વના આપી; હિંમતનગરમાં અંતિમવિધિ કરાઈ

    2 days ago

    સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અવસાનના સમાચાર મળતા જ દેશભરના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ રાત્રે હિંમતનગરમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. પત્નીને અંતિમવિધિની તૈયારીઓ સમયે પ્રફુલ પટેલ સ્વજનોને ગળે મળીને રડી પડ્યા હતા. તેમજ તેમણે જીવનસાથીને અંતિમ વિદાય આપવા માટે કાંધ આપી હતી. આ અંતિમવિધિમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડ્યા સહિતના નેતાઓ પણ દુઃખની ઘડીમાં પ્રફુલ પટેલને સાંત્વના આપવા માટે આવ્યા હતા.જ્યારે દીવ-દમણ અને દાદરા નગર હવેલીના આધિકારીઓ અને પદાધિકારીઓ હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. પરિવાર શોકમગ્ન ભાવનાબેન પટેલના અવસાનથી પટેલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકો દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. PMએ X પર શોક વ્યક્ત કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. કોણ છે પ્રફુલ પટેલ અને કેટલો છે તેમનો દબદબો? એન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર મોદીના ખાસ એવા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના(તડીપાર) આદેશ અપાયા હતા, અને તે સમયે મોદી સરકાર પર આફત આવી પડી હતી તે જ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે 2010થી 2012 દરમિયાન તેમને રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા હતા.પ્રફુલ્લ પટેલની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે,તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને ગૃહ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.ત્યાર બાદ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એ પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતા. છતાં કામ કરવાની તેમની પદ્ધતિથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રભાવિત હતા. ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રી પદે હતા. અને તે સમયે સરકાર સામે એન્કાઉન્ટરનો વિવાદ સર્જાયો હતો. જેમાં તેમણે પણ એક ડેમેજ કંટ્રોલર તરીકે ભૂમિકા ભજવી હતી. ગુજરાતના સક્રિય રાજકારણમાં આવેલા પ્રફુલ પટેલ 2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના ધુરંધર ઉમેદવાર સી. કે. પટેલને પરાજય આપ્યો હતો અને પ્રથમ વખત હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા. નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધો અંગે ઉત્તર ગુજરાતના નેતાઓનું કહેવું હતું કે પ્રફુલ પટેલને રાતોરાત મંત્રી પદ મળ્યું ન હતું, પરંતુ તેમના પિતા ખોડાભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. મોદીનો તેમના સાથે વર્ષોથી ઘરોબો હતો.
    Click here to Read More
    Previous Article
    'સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં કરન ઔજલાનો હાથ છે':રેપરના પંજાબી સિંગર પર ગંભીર આરોપ, કહ્યું- 'પહેલાં હત્યારાને પૈસા આપ્યા, પછી શ્રદ્ધાંજલિનું ગીત ગાયું'
    Next Article
    આણંદના તત્કાલીન અધિક કલેક્ટર પાસેથી 3.35 કરોડની બિનહિસાબી સંપતિ મળી:આવકની સરખામણીએ 68.84 ટકા વધુ, ACBએ સિનિયર મહિલા અધિકારી કેતકી વ્યાસ સામે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment