Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં યુપી-બિહાર જેવા દૃશ્યો સર્જાયા, CCTV:7 શખસોએ દુકાનનું શટર ખોલી પાઈપ-દંડાથી વેપારીને ધોકાવ્યો, જૂની અદાવતનો ખાર રાખીને એકબીજા પર તૂટી પડ્યા

    11 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે. બાપુનગર વિસ્તારમાં મહાવીરનગરમાં વેપારી પર સાત જેટલા લોકોએ લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જુના ઝઘડાની અદાવત રાખીને સાત જેટલા લોકો વેપારીની દુકાને પહોંચી ગયા હતા અને તેની દુકાન ખોલી અને ઢોર માર માર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે ફરિયાદી દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. બાપુનગર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. મારામારીની ઘટના મહાવીરનગરમાં બની હતી બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે. ગઢવીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાવીરનગરમાં મારામારીની ઘટના બની હતી, જેમાં ફરિયાદી દ્વારા પોસ્ટ મારફતે અરજી કરવામાં આવી છે. અરજી અંગેની તપાસ કરતા ફરિયાદી દ્વારા 22 એપ્રિલના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરી હતી જે મામલે ફરિયાદ નોંધાતા તેમાં આરોપી છે અને ફરિયાદી અમારી સુધી આવ્યો નથી જેથી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જે આરોપીઓ દ્વારા મારામારી કરવામાં આવી હતી તેની પણ અમારા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 7 શખસોએ લાકડી-દંડા સાથે વેપારી પર હુમલો કર્યો મળતી માહિતી મુજબ સૈજપુર વિસ્તારમાં દિલ પર રેસીડેન્સીમાં મલખાનસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે રહે છે અને મહાવીર નગર રોડ પર સહજાનંદ એવન્યુમાં દુકાન ધરાવીને ટ્રેડિંગનો વેપાર કરે છે. 26 એપ્રિલ ના રોજ રાત્રિના સમયે જ્યારે મલખાનસિંહ તેમની દુકાન બંધ કરીને જતા હતા ત્યારે વિજય, રાહુલ, શાકા, પ્રમોદ, બરચી અને અન્ય શખ્સો મળી કુલ સાત જેટલા લોકો લોખંડની પાઇપો અને લાકડીઓ લઈને તેમની દુકાને આવ્યા હતા અને તને આજે જાનથી મારી નાખવાનું કહીને માર માર્યો હતો. રાહુલ મરાઠી નામના શખ્સે દંડા મારીને ઓફિસના કાચના દરવાજા પણ તોડી નાખ્યા હતા. યુપી-બિહાર જેવી ઘટનાના દૃશ્યો CCTVમાં કેદ મલખાનસિંહના મિત્ર આવી જતા તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 7 જેટલા શખ્સો જાનથી મારી નાખવાના ઇરાદે દુકાનમાં ઘુસી અને મારામારી કરી હતી. લાકડીઓ અને ડંડા વડે માર મારવામાં આવ્યો હોવા અંગેની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી અને યુપી બિહાર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે બાપુનગર પોલીસ દ્વારા વીડિયો સામે આવ્યા બાદ હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે જાહેરમાં તલવાર અને ડંડા નો ઉપયોગ હવે સામાન્ય બની ગયો હોય તેમ બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાડતી ઘટના ચૂંટણીના દિવસે રાત્રે બની હતી જે બાદ પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે પોલીસ દ્વારા ફરિયાદી ન મળતો હોવાથી ફરીયાદ નોંધી નથી.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 1,000 અંકનો ઉછાળો:77,900 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 300 અંક વધ્યો; ઓટો અને IT શેરોમાં વધુ ખરીદી
    Next Article
    ઊર્જા, કૃષિ, શિક્ષણ, પ્રવાસન, તબીબી પ્રવાસન સેક્ટરને ફાયદો થશે:ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ આપવા ICTC ગુજરાત અને આલ્બર્ટા ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે MoU થયા, વેપાર અને રોકાણની પ્રક્રિયા સરળ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment