Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ સ્પીડ જતા બાઇક ચાલકે વૃદ્ધને ટક્કર મારી, CCTV:15 ફૂટ ઢસડીને મોત આપ્યું, વડોદરામાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું- બાઇક ચાલક નશાની હાલતમાં હતો

    3 days ago

    વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક બેફામ રીતે જઈ રહેલા બાઈક ચાલકે વૃદ્ધને 15 ફૂટ ઢસડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બાઈક ચાલકની પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે. બાઈક ચાલક પીધેલી હાલતમાં હતો. વૃદ્ધ રસ્તા પર ચાલતા જઈ રહ્યા હતા ને જોરદાર ટક્કર મારી વડોદરાના પાણીગેટ સ્ટેશન પાસેથી એક 60 વર્ષીય વૃદ્ધ રસ્તા પર ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જનાર બાઇક પર બે યુવકો સવાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. 'બાઇક ચાલક નશાની હાલતમાં હતો' પ્રત્યક્ષદર્શી મોહમ્મદ ઝૈદે જણાવ્યું હતું કે, અકસ્માત ગતમોડી(16 જૂન) સાંજે લગભગ 7:30 વાગ્યે થયો હતો. તેઓ પાણીગેટ પાસે આવેલી સુલેમાની ચાલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાઇકની સ્પીડ ખૂબ વધારે હતી અને સ્પીડમાં આવીને તેણે ભાઈને અડફેટે લીધા હતા.બાઈક ચાલકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે અને હાલ તે પોલીસની કસ્ટડીમાં જ છે. યુવકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે એક નિર્દોષ વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. પરિવારજનોએ અકસ્માત સર્જનાર યુવકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકો બેફામ રીતે વાહનો ચલાવીને લોકોના અને પોતાના જીવ જોખમમાં મૂકે છે. ઘણા અકસ્માતોમાં લોકોના મોત પણ થાય છે. તેમ છતાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપામાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે !:પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત, તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ બીજો માળ ખડકાયો, સ્ટે. ચેરમેનનું તપાસનું રટણ
    Next Article
    પાલનપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વીજ પુરવઠો ખોરવાયો:મંત્રીઓ અને અધિકારીઓને અંધારામાં કાર્યક્રમ ચાલુ રાખવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment