Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના કપાસિયા બજારમાં પથ્થર મારી આધેડની હત્યા:પોલીસે CCTVમાં દેખાતો અસ્પષ્ટ ચહેરો AIની મદદથી ક્લિયર કરી હત્યારાની ધરપકડ કરી

    8 hours ago

    આણંદ શહેરના કપાસિયા બજારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલી 55 વર્ષીય ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણની હત્યાના કેસનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે હત્યાના આરોપી મુકેશ શાંતિલાલ સરગરાની ધરપકડ કરી છે. આરોપી અને મૃતક વચ્ચે થયેલા ઝઘડાના પગલે આવેશમાં આવીને કોટાસ્ટોનનો વજનદાર પથ્થર મોઢા પર મારી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. AIની મદદથી સીસીટીવી ફૂટેજમાંથી મળ્યો મહત્વનો પુરાવો ઘટનાની જાણ થતાં જ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા. શરૂઆતમાં ફૂટેજમાં બે-ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા હોવા છતાં તેમના ચહેરા સ્પષ્ટ ન હોવાથી તપાસ આગળ વધી શકી નહોતી. ત્યારબાદ પોલીસે એઆઈ ટેક્નોલોજીની મદદથી સીસીટીવી ફૂટેજમાં ચહેરા સ્પષ્ટ કર્યા. આ આધારે ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી અને અંતે મુકેશ શાંતિલાલ સરગરા સુધી પોલીસ પહોંચી હતી. આકરી પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો પોલીસે મુકેશ સરગરાને તેના ઘરેથી ઝડપી પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો રહ્યો હતો. જોકે, સ્પષ્ટ થયેલા સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકો પાસેથી મળેલા પુરાવાના આધારે પોલીસે આકરી પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો અને કોટાસ્ટોનનો પથ્થર મારીને ઓમપ્રકાશ ચૌહાણની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દારૂના નશામાં થયેલા ઝઘડાને કારણે કરી હત્યા પોલીસના જણાવ્યા મુજબ મૃતક ઓમપ્રકાશ ચૌહાણને દારૂ પીવાની ટેવ હતી. ઘટનાની રાત્રે તેઓ દુકાનના ઓટલા પર બેઠા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા મુકેશ સરગરા સાથે તેમની બોલાચાલી થઈ હતી. ગાળાગાળી બાદ ઝઘડો ઉગ્ર બનતાં મુકેશે આવેશમાં આવી નજીકમાં પડેલો કોટાસ્ટોનનો પથ્થર ઉઠાવી ઓમપ્રકાશના મોઢાના ભાગે મારી દીધો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એકલવાયું જીવન જીવતા હતા મૃતક ઓમપ્રકાશ મૃતક ઓમપ્રકાશ ચૌહાણ પત્ની નિર્મળાબેનના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા હતા. તેઓ ક્યારેક તેમના પુત્ર અલ્પેશભાઈના રબારીવાસ સ્થિત ઘરે જતા અને ત્યારબાદ કોઈને જાણ કર્યા વગર નીકળી જતા હતા. ઘટનાના દિવસે સાંજે અલ્પેશભાઈએ પોતાના પિતાને વહેરાઈ માતા મંદિર નજીકથી રિક્ષામાં કપાસિયા બજાર તરફ જતા જોયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાના કેસમાં વધુ તપાસ ચાલુ પોલીસે આરોપી મુકેશ સરગરાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં એઆઈ ટેક્નોલોજીની મદદથી સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી પોલીસને મહત્વની સફળતા મળતાં આધુનિક ટેક્નોલોજી ગુનાઓ ઉકેલવામાં કેટલી અસરકારક બની રહી છે તે ફરી એકવાર સાબિત થયું છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ જમાદારની ફેંટ પકડીને મારામારી કરનાર 8 ઝડપાયા:પ્રભાત બસ સ્ટેન્ડ નજીક નાસ્તાની લારી બંધ કરવાનું કહેતા પોલીસ સાથે ઝપાઝપી કરી કરી હતી
    Next Article
    बरसात के मौसम में खुद ही तोड़ दी अपनी सड़क, आने जाने का रास्ता हुआ बंद

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment