Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV સામે આવ્યા:જાહેરમાં લઘુશંકા કરી, સિક્યુરિટીએ રાતે ન જવા વિનંતી કરી પણ યુવક માન્યો નહીં, ખભે બેગ રાખી વતન જવા નીકળી પડ્યો ને મોતને ભેટ્યો

    20 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં મૃત્યુ પામેલા યુવક પ્રકાશચંદ્રના ઘટના પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પ્રકાશચંદ્રને ખાનગી કંપનીની કોલોનીમાંથી રાત્રે લગભગ 1 વાગ્યે વતન ઉત્તરાખંડ જવા નીકળતા જોઈ શકાય છે. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને રાત્રે એકલા ન જવા વિનંતી કરી હતી, પરંતુ તે માન્યો ન હતો. મૃતક પ્રકાશચંદ્રના અલગ-અલગ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં કોલોની વિસ્તારના CCTVમાં તે રસ્તામાં લઘુશંકા કરતો પણ દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ તે રોડ પરની પાનની દુકાન પર પહોંચી કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરતા જોવા મળ્યો હતો. ઘટના સ્થળેથી તેની બેગ સલામત હાલતમાં મળી આવી હતી. અંદાજે અડધા કિલોમીટર દૂર પહોંચ્યા બાદ સિંહોએ તેના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. 16/6/26ના રોજ મૃતક યુવકનું માથું મળી આવ્યું હતું, ત્યારે ગતરોજ 19 જૂન ઘટનાના ચોથા દિવસે તેનો એક પગ મળી આવ્યો હતો. આ પગ એક શ્વાન દ્વારા ખાનગી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યો હતો, જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. જુઓ CCTV VIDEO કંપનીના ગેટથી લઈને ઘટના સ્થળ સુધીના અલગ-અલગ CCTV કેમેરાની ચકાસણી વનવિભાગ અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના CF રામ રતન નાલા અને શેત્રુંજી ડિવિઝનના DCF દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા ખાનગી કંપનીના ગેટથી લઈને ઘટના સ્થળ સુધીના અલગ-અલગ CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં મૃતક યુવાન ખભા પર બેગ લઈને પસાર થતો જોવા મળે છે. સિંહોના એક જૂથે હુમલો કર્યો હોવાની શક્યતા ઘટના સ્થળે જ્યાં શિકાર કરવામાં આવ્યો હતો, ત્યાં તેની બેગ સુરક્ષિત પડી હતી. મૃતક યુવાન હુમલા સમયે બેઠેલી કે સૂતેલી હાલતમાં હતો કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સિંહોના એક જૂથે હુમલો કર્યો હોવાની શક્યતા પણ તપાસનો એક ભાગ છે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેમજ ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલા સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહે યુવકનું માથું ધડથી અલગ કરી, આખું શરીર ફાડી ખાધું સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… અમરેલીમાં યુવકના શિકાર બાદ મિજબાની માણતો સિંહ કેમેરામાં કેદ અગાઉ આ ઘટનાના બે અલગ અલગ વીડિયો સામે આવ્યાં હતા. એક વીડિયોમાં યુવકના શિકાર બાદ સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે જોકે, સિંહે પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો તે વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી. બીજા એક વીડિયોમાં ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને આ દૃશ્ય લાઈવ જોતો હોવાનું જોવા મળ્યું છે. ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખી સતત કલાક સુધી આ દૃશ્ય જોતો રહ્યો એક વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે સિંહ યુવકનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતો એક ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને સતત એક કલાક સુધી આ દૃશ્ય લાઈવ જોતો રહ્યો હતો. સિંહ જ્યારે શિકાર કરીને ત્યાંથી દૂર જાય છે ત્યારે જ ટ્રકચાલક પણ ત્યાંથી નીકળે છે. હાલ વન વિભાગ અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને મામલે ગુપ્ત રાહે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… ઘટનાસ્થળેથી યુવકની બેગ મળી આવી. યુવકની બેગ જેમ હતી તેમ જ મળી આવતાં રહસ્ય ઘેરાયું આ ઉપરાંત ઘટનાસ્થળે રોડ કાંઠે ટાયર્સની બાજુમાં યુવકની બેગ જે રીતે વ્યવસ્થિત મૂકેલી મળી આવી છે તેનાથી પણ રહસ્ય ઘેરાયું છે. આ બેગની બરાબર પાછળ રોડ નીચે સિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાં સિંહના સગડ એટલે કે પગલાં પણ મળી આવ્યા છે, જેનાથી સિંહે જ હુમલો કર્યો હોવાનું નક્કી થાય છે. ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ વિસ્તારના સિંહોએ એક દિવસ પહેલા જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. વળી, આ વિસ્તારમાં સિંહો અવારનવાર વાહનો અને લોકોની સાવ નજીકથી મુક્તપણે પસાર થતા હોય છે, પરંતુ ક્યારેય માણસો પર અચાનક હુમલો કરવાની કે પાછળ દોડવાની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે. આવી સ્થિતિમાં સિંહે અચાનક આ યુવક પર કેમ હુમલો કર્યો તે વન વિભાગને હજુ સમજાતું નથી. આ મૃતક યુવક ઘટના પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેથી વન વિભાગ આ તમામ કડીઓને જોડીને ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યું છે. હુમલા બાદ યુવકના શરીરની 4 સાવજોએ મિજબાની માણી? આ ઘટના બાદ રાજુલા અને જાફરાબાદ વનવિભાગ દ્વારા સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં બે મોટા સિંહને ટ્રાન્ક્વીલાઈઝ કરીને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ મોડી રાત્રે વધુ બે પાઠડા સિંહને પણ મોટા રિંગ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા હતા. આમ, કુલ ચાર સિંહને રેસ્ક્યૂ કરીને પાંજરે પૂરવામાં આવ્યા છે. એક નહીં ચાર સિંહે મિજબાની માણી હોઈ શકે સામાન્ય રીતે માનવ મૃત્યુના બનાવોમાં એક કે બે સિંહને પાંજરે પૂરવામાં આવે છે. જોકે, આ કિસ્સામાં ઘટનાસ્થળથી અડધા કિલોમીટર દૂર રહેલા ચારેય સિંહને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વનવિભાગના અધિકારીઓને શંકા છે કે યુવકનો શિકાર માત્ર એક સિંહે નહીં, પરંતુ ચારેય સિંહે કર્યો હોઈ શકે છે, અથવા એક સિંહ દ્વારા શિકાર કરાયા બાદ અન્ય સિંહોએ પણ માંસ ખાધું હોઈ શકે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… હુમલાની ઘટનાની ગંભીરતાથી તપાસ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, સિંહોને તેમના કુદરતી આવાસમાં પૂરતો ખોરાક મળી રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ વન્યજીવ અને માનવ વચ્ચેના વધતા સંઘર્ષને ઘટાડવા માટે વિવિધ સ્તરે કામગીરીને વધુ ગતિ આપવામાં આવી રહી છે. પ્રવીણ માળીએ વધુમાં જણાવ્યું કે, હુમલાની ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. માનવ સુરક્ષા માટે વધારાના પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વન વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે સૂચના અપાઈ: વનમંત્રી અર્જુન મોઢવાડીયા આ સમગ્ર ઘટના અંગે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચૈયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. એની સાથે જે નાના બચ્ચાં હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) ----- આ પણ વાંચો અમરેલીની જેમ મહુવામાં યુવકને સિંહે ફાડી ખાધો અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકનું મોત થયું. જે બાદ 17 જૂને આવી જ ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બની હતી, જ્યાં મહુવા નજીક શ્રમિક યુવકને સિંહે ફાડી ખાધો હતો. અમરેલીની ઘટનાની જેમ જ મહુવાની આ ઘટનામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    અમેરિકી વૈજ્ઞાનિક જ કોરોનાનો અસલી માસ્ટરમાઇન્ડ...:વુહાન લેબને કોરોના રિસર્ચ માટે આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ, તુલસી ગબાર્ડે ખોલ્યાં સીક્રેટ ડોક્યુમેન્ટ્સનાં રહસ્ય
    Next Article
    "This Is Just A Trailer": Eknath Shinde Amid Team Thackeray Rebellion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment