Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વારસિયાના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, CCTV:રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરાર, સેવકે ફરિયાદ નોંધાવી

    20 hours ago

    વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરમાં રહેલ મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મંદિરના સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું આ ઘટનાની વિગતો એવી છે કે ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનને અર્પણ કરેલા કિંમતી આભૂષણોની ચોરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરાર આ ચોરીની ઘટનામાં મંદિરમાંથી ચોર ઈસમે ચાંદીનું મોટું છત્ર, ચાંદીનું નાનું છત્ર, દાન પેટીમાંથી ચોરાયેલ રોકડ રકમ મળી કુલ 45,200ની મતા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને અજાણ્યા ચોર શખસ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી સિરામિક એસો.માં ચૂંટણી નિશ્ચિત:વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં
    Next Article
    Gir Somnath Education News | ઉનાના ખાપટ ગામે આવેલ પ્રાથમિક શાળા વિવાદમાં આવી | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment