Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તખતગઢના રામદેવ પીર મંદિરમાં ચોરી:બે તસ્કર ચાંદીનું છત્ર, દાનપેટી લઈ ફરાર, CCTVમાં કેદ

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામમાં આવેલા રામદેવ પીરના મંદિરમાં ચોરીની ઘટના બની છે. 7 મેની રાત્રિના સમયે મોઢું બાંધીને આવેલા બે તસ્કરોએ આ કૃત્ય આચર્યું હતું. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે તસ્કર રાત્રિના દોઢ વાગ્યાના સુમારે મંદિરમાં પ્રવેશ કરી ચાંદીનું છત્ર અને દાનપેટી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તખતગઢમાં જૂની પંચાયતથી વરવાડા-હડમતીયા રોડ પર આ રામદેવ પીરનું મંદિર આવેલું છે. નોંધનીય છે કે આ મંદિરમાં અગાઉ પણ બેથી ત્રણ વખત ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. આ ચોરી અંગે મંદિરના ટ્રસ્ટી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પ્રેમ પ્રકરણ છુપાવવા વિદ્યાર્થિનીએ રચ્યું ખતરનાક કાવતરું:પોતે જ ચપ્પુ ખરીદ્યું અને ઘરેથી લાવેલું ફિનાઈલ પીધું, પરિવાર-પોલીસને હુમલો થયાનું કહ્યું; અંતે ભાડો ફૂટ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રેલી:વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment