Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધવા મહિલા બહાર જતાં ઘરનું તાળું તોડી નણંદ-નણંદોયાનો કબજો:કોર્ટ કેસ શરૂ હોવા છતાં ગેરકાયદે પ્રવેશ કર્યો, CCTV કેમેરા પણ ડિસ્કનેક્ટ કરી નાખ્યાં

    9 hours ago

    શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય વિધવા મહિલાના બંધ મકાનના તાળા તોડી, તેમના નણંદ અને નણંદોયાએ ગેરકાયદે પ્રવેશ કરી મકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ છે. વૃદ્ધા બહાર ગયા ને આરોપીઓ તાળા તોડ્યાં આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, અમીબેન આશિષભાઈ રૈયા (ઉં.વ.58, રહે.આંબાવાડી, મંગળામાતાના મંદિર પાસે) એકલા રહે છે. તેમણે પોતાની નણંદ જાગૃતિ અને નણંદોયા રાજીવ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના પતિના અવસાન બાદ તેઓ આ મકાનમાં રહે છે. આ મિલકત બાબતે અગાઉથી જ કોર્ટમાં વિવિધ કેસો પેન્ડિંગ છે. ​13 માર્ચના રોજ સાંજે જ્યારે અમીબેન પોતાના કામે બહાર ગયા હતા, ત્યારે પાછળથી નણંદ જાગૃતિ અને રાજીવએ મકાનના મુખ્ય દરવાજા અને ઉપરના ભાગના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અમીબેન જ્યારે સાંજે 6 વાગ્યે ઘરે પરત ફર્યા, ત્યારે ઘરને અંદરથી તાળા મારેલા હતા અને આરોપીઓ બાલ્કનીમાં જોવા મળ્યા હતાં. કોર્ટ મેટર ચાલુ હોવા છતાં ગેરકાયદે પ્રવેશ ​વધુમાં, અમીબેને આક્ષેપ કર્યો છે કે તેમના મોબાઈલમાં કનેક્ટ થયેલા ઘરના સીસીટીવી કેમેરા પણ આરોપીઓએ ડિસ્કનેક્ટ કરી નાખ્યા છે, જેથી ઘરમાં શું નુકસાન થયું છે તેની વિગત જાણી શકાઈ નથી. ​આ મિલકત બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ​નણંદે સાસુ પાસેથી ગિફ્ટ ડીડ કરાવી મકાન પચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે, જેની સામે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ​અમીબેને 'રાઈટ ટુ રેસિડેન્સ' હેઠળ પણ મનાઈહુકમ માંગેલો છે, જે ​તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો. વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી ​હાઈકોર્ટના આદેશ અને વિવિધ સિવિલ તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસો ચાલુ હોવા છતાં, આરોપીઓએ ગેરકાયદેસર રીતે મકાનમાં પ્રવેશ કરતા અમીબેને પોલીસની મદદ માંગી છે. અમીબેને ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસની કલમ 329(3) તથા 54 મુજબ જાગૃતિ રાજીવ મહેતા અને રાજીવ આર. મહેતા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિલિકોન વેલ્થના માલિક સામે વધુ બે ફરિયાદ:રોકાણનું કહીને અલગ અલગ લોકો પાસેથી 42 લાખ પડાવ્યા, શરૂઆતમાં વિશ્વાસ અપાવવા વળતર પણ આપ્યું
    Next Article
    "Arjun Is My Whole Heart, And Now...": Sara's Emotional Message To Saaniya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment