Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મહિલાને મળેલું બે તોલા સોનાનું મંગળસૂત્ર પરત કરાયું:મહેતા જ્વેલર્સ બહાર મળેલું મંગળસૂત્ર CCTVની મદદથી માલિકને સોંપાયું

    11 hours ago

    સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને આશરે બે તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢ ગામના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે તાત્કાલિક મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના CCTV કેમેરા તપાસતા, આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં રાધિકાબા અજયરાજસિંહજીએ દાખવેલી પ્રમાણિકતાની નોંધ લેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધાંગધ્રા મેળામાં કમલેશ મિસ્ત્રીનું સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર:વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ પ્રદર્શિત કરી, લોકોને ખૂબ પસંદ પડી
    Next Article
    પાટણ શહેરમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત:જૂની અદાવતમાં નીલમ સિનેમા પાસે હુમલો, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment