Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સગીરાની છેડતી મામલે ક્રેડિટ લેવાનો ખેલ થયો હોવાની આશંકા:CCTVમાં કેદ મેહુલ પોલીસ સ્ટેશનમાં શું કરતો હતો?, ભાજપ કાર્યાલય પર હુમલાનું હતું કાવતરું

    12 hours ago

    24 એપ્રિલના રોજ અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી સગીર બાળકીની છેડતીની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ સંવેદનશીલ મામલામાં પોલીસની ત્વરિત કામગીરી છતાં ફાટી નીકળેલા જનઆક્રોશ પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા દૃઢ બની છે. ઘટનાના CCTV ફૂટેજમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કાર્યકરની હાજરી અને વોર્ડ નંબર 29ના ઉમેદવારના સાગરીતો વાઇરલ થયેલી ઓડિયો ક્લિપે સુરત પોલીસને ચોંકાવી દીધી છે. એસીપી ઝેડ. આર. દેસાઈના જણાવ્યા અનુસાર, આ માત્ર આક્રોશ નહીં પણ ક્રેડિટ લેવાની રાજનીતિ અને હિંસા ભડકાવવાનું આયોજન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસની ત્વરિત કાર્યવાહી છતાં આટલો વિરોધ કેમ? ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ગત 24 એપ્રિલ 2026ના રોજ અઠવા પોલીસ સ્ટેશનની હદમાં એક સગીર બાળકીની છેડતીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસે તુરંત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરી પંચનામું પણ કરવામાં આવ્યું હતું. જોકે, ગુનો નોંધાયા બાદ પણ લોકોમાં જે આક્રોશ જોવા મળ્યો હતો, તે વિશે અમને પણ આશ્ચર્ય થયું હતું કે પોલીસની ત્વરિત કાર્યવાહી છતાં આટલો વિરોધ કેમ? જોકે, દીકરી સાથે જોડાયેલી આ સંવેદનશીલ બાબત હોવાથી શરૂઆતમાં અમને આ આક્રોશ સ્વાભાવિક લાગ્યો હતો. મેહુલ ઉર્ફે રાવણ નામનો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો પરંતુ, ગઈકાલે એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં ખાસ કરીને 'આમ આદમી પાર્ટી'ના એક ઉમેદવારે કોઈને આ અંગે બ્રીફિંગ આપતા સાંભળી શકાય છે. તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે "આપણે ઢીલા નથી પડવાનું, ક્રેડિટ બીજા કોઈને ન મળવી જોઈએ, આપણને જ મળવી જોઈએ. આપણે એગ્રેસિવ થયા એટલે જ પોલીસે ન્યાય આપ્યો છે." પરંતુ આ વાતો વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. આ ઉપરાંત, એક વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં મેહુલ ઉર્ફે રાવણ નામના એક વ્યક્તિ, જે AAP સાથે જોડાયેલો હોવાનું મનાય છે, તે પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે. પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજમાં પણ તે કેદ થયો છે. આ ઓડિયો વાઇરલ થતાં જ સુરત પોલીસ કમિશનર સાહેબે આ અંગે ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. 'પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હુમલોનું કાવતરું' સાયબર સેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ આમાં કાર્યરત છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેઓ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હુમલો કરવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડી રહ્યા હતા, જે પોલીસે સમયસર રોકી દીધું છે. આ ઉમેદવાર વોર્ડ નંબર 29ના જીવાકાકા છે, જેઓ આમ આદમી પાર્ટીના છે અને તેમની વાતચીત પરથી લાગે છે કે તેઓ SPG ગ્રુપ સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે. દીકરીના નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ? આ ઘટના પાટીદાર બહુલ વિસ્તારમાં બની હોવાથી ભાવનાઓ ખૂબ જ તીવ્ર હતી. અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ અને રિકન્સ્ટ્રક્શન વખતે થયેલો જનઆક્રોશ જે રીતે મેનેજ કરવામાં આવ્યો, તેનાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનાર ટોળામાં ખરેખર પીડિત પરિવારના હિતેચ્છુઓ હતા કે પછી રાજકીય પક્ષના મોકલેલા માણસો? તે તપાસનો વિષય છે. પોલીસે જણાવ્યું કે દીકરી સાથેની છેડતી એ સંવેદનશીલ બાબત છે, પરંતુ તેના નામે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં. 'આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કાવતરું': ગોપાલ ઇટાલિયા આ સમગ્ર વિવાદ વચ્ચે AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ તમામ આરોપોને નકારી દીધા છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે, "આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કે નેતા સામેલ નથી. ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા અને AAPની વધતી જતી લોકપ્રિયતાથી ડરીને અમને બદનામ કરી રહી છે." જોકે, એક બાજુ ઇટાલિયાનો ઇનકાર છે અને બીજી બાજુ પોલીસ પાસે રહેલા ઓડિયો-વીડિયો પુરાવા છે, જે આગામી દિવસોમાં AAP માટે મુશ્કેલીઓ વધારી શકે છે. સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી સુરત પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે પુરાવાઓ સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. વાઇરલ ઓડિયો ક્લિપની સત્યતા તપાસવા માટે તેને એફએસએલ (FSL) માં મોકલવામાં આવી શકે છે. સાયબર સેલ એ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યું છે જેના દ્વારા ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવવામાં આવ્યા હતા. જો કાવતરું સાબિત થશે, તો AAP ઉમેદવાર જીવાકાકા અને મેહુલ ઉર્ફે રાવણ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મેલી વિદ્યાના વહેમમાં નાના ભાઈની હત્યા:નર્મદાના ભૂછાડ ગામે યુવકનું ધારિયાથી ગળું કાપી નાખ્યું, જીવલેણ હુમલામાં બે ભત્રીજીઓ ઘાયલ, પરિવારમાં ત્રીજી હત્યા કરાઈ
    Next Article
    નર્મદા જિલ્લા પંચાયતમાં 84.49 ટકા મતદાન:રાજપીપલા નગરપાલિકામાં 75.62, તાલુકા પંચાયતોમાં સાગબારા તાલુકો 87.14 ટકા મતદાન સાથે મોખરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment