Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS કોરીડોરમાં વાહનોની લાંબી લાઈન:વરાછા ઝોનમાં મ્યુ. કમિશનરે લોકોને અટકાવી સ્થળ પર જ શિસ્તનો પાઠ ભણાવ્યો

    16 hours ago

    આધુનિક સુરતની જીવાદોરી સમાન ગણાતી BRTS સેવામાં શિસ્ત જાળવવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. શહેરના ટ્રાફિક અને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી, કમિશનરે વરાછા ઝોન-એ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં BRTS કોરીડોરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા ખાનગી વાહનચાલકોને અટકાવી સ્થળ પર જ શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. મ્યુ. કમિશનર સફાઈની સ્થિતિ જોવા નીકળ્યા હતાં આજરોજ સવારે 8:00 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સુરતના વરાછા ઝોન-એ વિસ્તારમાં ચાલી રહેલા સફાઈ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સ્વચ્છ સુરત અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના માર્ગ પર સફાઈની સ્થિતિ જોતી વખતે કમિશનરનું ધ્યાન બાજુમાં આવેલા BRTS કોરીડોર પર ગયું હતું. વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે, પર્વત પાટિયા અને પુણા કેનાલ રોડ વચ્ચેના સમર્પિત BRTS કોરીડોરમાં, જે માત્ર સિટી બસો અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો માટે અનામત રાખવામાં આવ્યો છે, ત્યાં અનેક ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ બેરોકટોક પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોઈને કમિશનરે તુરંત જ પોતાનો કાફલો અટકાવ્યો હતો અને જાતે જ મેદાનમાં ઉતરીને આ ઘૂસણખોરીને અટકાવી હતી. BRTS કોરીડોરમાં વાહન ન ચલાવવા સમજાવ્યાં કમિશનરે કોરીડોરમાં ઘૂસી આવેલા વાહનચાલકોને અટકાવ્યા હતા. તેમણે માત્ર દંડકીય કાર્યવાહી પર ભાર મૂકવાને બદલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વાહનચાલકોને સમજાવ્યું હતું કે, BRTS કોરીડોર એ માત્ર બસોની ઝડપી અવરજવર માટે છે. જ્યારે કોઈ ખાનગી વાહન તેમાં પ્રવેશે છે, ત્યારે બસની ગતિ ધીમી પડે છે અને હજારો મુસાફરોનો સમય બગડે છે. સુરક્ષાકર્મીઓને પણ સૂચના આપી ઘટનાસ્થળે જ કમિશનરે સુરક્ષાકર્મીઓ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે, ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ના ચલાવે તેને લઈને તાકીદ કરવામાં આવ્યા છે. BRTS કોરીડોરમાં ખાનગી વાહનોનો પ્રવેશ એ માત્ર ટ્રાફિકની સમસ્યા નથી, પરંતુ તે જાનલેવા અકસ્માતોનું મુખ્ય કારણ પણ છે. સુરતમાં ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓમાં જોવામાં આવ્યું છે કે કોરીડોરમાં અચાનક આવી જતા વાહનોને કારણે ગંભીર અકસ્માતો સર્જાયા છે.
    Click here to Read More
    Previous Article
    ઓડિશામાં દાઢી-મૂછવાળા રામ:રઘુનાથ જીઉ મંદિરમાં શ્રીરામના ચરણોને જોઈ રહેલા માતા સીતાનું મોં વાકું
    Next Article
    ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટ:ગેસના ભાવ બમણા થતા 90% કારખાના બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment