Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાગૃત નાગરિકે રોંગ સાઈડ આવતી BRTS બસ રિવર્સ કરાવી:વરાછામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતી બસને અટકાવી, તંત્રની નીતિ સામે સવાલો ઉઠાવ્યા

    1 week ago

    શહેરના વરાછા વિસ્તારમાં આવેલા નીલકંઠ પ્લાઝા નજીક ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય દિવસોમાં પણ વાહનોથી ધમધમતા આ રોડ પર રૂટ નંબર 903ની એક BRTS બસ નિયમોને નેવે મૂકીને રોંગ સાઈડમાં દોડી આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કિરણ ચોકથી નીલકંઠ પ્લાઝા સુધી આ બસ ચાલકો અવારનવાર 40થી 70 કિમીની ફૂલ સ્પીડે રોંગ સાઈડમાં વાહનો હંકારે છે. આ જોખમી દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિક અજય દુધાતે પોતાની સમયસૂચકતા અને હિંમત બતાવીને બસને અધવચ્ચે જ અટકાવી દીધી હતી. નાગરિકના સવાલથી ચાલકે બસ રિવર્સ લેવાની ફરજ પડી નાગરિકે મક્કમતા પૂર્વક રસ્તો ન આપતા અંતે બસ ચાલકે ગાડી ઊભી રાખવી પડી હતી. ત્યારબાદ અજયભાઈએ મોબાઈલ કેમેરો ચાલુ કરીને ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું અને સણસણતા સવાલો પૂછ્યા હતા કે, "જો આ ગફલતભરી ડ્રાઈવિંગના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક સાથે અકસ્માત થશે, તો તેની જવાબદારી કોણ લેશે?" નાગરિકના આ આક્રોશ સામે ઝંખવાણા પડેલા ડ્રાઈવર પાસે કોઈ જવાબ નહોતો. આખરે ભારે વિરોધ સામે ઝૂકીને બસ ડ્રાઈવરે ભારે ટ્રાફિક વચ્ચે જ આખી બસને લાંબે સુધી રિવર્સ લેવાની ફરજ પડી હતી. લોકજાગૃતિના હેતુથી વીડિયો શેર કર્યો અજય દુધાતે સુરત ટ્રાફિક પોલીસ અને તંત્રની બેધારી નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક પાસે હેલ્મેટ, પીયુસી, લાયસન્સ કે સીટ બેલ્ટ ન હોય અથવા તેની ગાડી પટ્ટાની સહેજ બહાર હોય, તો તંત્ર તેની પાસેથી મસમોટો દંડ ઉઘરાવે છે. પરંતુ સતત રોંગ સાઈડમાં દોડતી આ સરકારી બસો તંત્રના ધ્યાને કેમ નથી આવતી? તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં કોઈ પણ મોટું વાહન આવી રીતે રોંગ સાઈડમાં ન આવે અને સંભવિત અકસ્માતો અટકે તેવા લોકજાગૃતિના હેતુથી જ તેમણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના સાવજ અને MPના ટાઇગર પર સંક્રમણનું સંકટ!:ગંભીર બિમારીથી 12 સિંહોના મોત, તો CDV વાયરસથી 10 વાઘના મોતનો દાવો; કેન્દ્ર સરકાર સુધી મુદ્દો ગાજ્યો
    Next Article
    સિનિયર સિટીઝન સભ્યો દ્વારા છાસ વિતરણ:અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ગરમીમાં રાહત માટે કરાયું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment