Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય શરૂ; બંગાળમાં BJP-TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ; હાર્દિક-ઈશાન સામે વડોદરા પોલીસ સ્ટેશનમાં અરજી

    23 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો ફરી શરૂ થવા અંગે છે. જ્યારે હોર્મુઝથી બે ભારતીય જહાજો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે. બીજા સમાચાર પીએમ મોદીની રેલી પહેલા ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ અંગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેના કટિગોરા વિસ્તારના નતનપુર ગામની પણ મુલાકાત લેશે. 📰 કાલના મોટા સમાચારો 1. હોર્મુઝથી ભારતના બે જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પહોંચશે: 2-3 દિવસમાં ભારત આવશે; કુલ 92,700 ટન LPG લઈને ઈન્ડિયા આવી રહ્યા છે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ દરમિયાન ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલા ભારતના બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. આ જહાજો હવે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે અને 16 અથવા 17 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચી જવાની સંભાવના છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાના જણાવ્યા મુજબ, ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર 'શિવાલિક' અને 'નંદા દેવી' શનિવારે સવારે સુરક્ષિત રીતે સ્ટ્રેટ પાર કરી ગયા હતા. આ બંને જહાજો કુલ 92,700 ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ:સરકારે કહ્યું- ઉતાવળમાં બુકિંગ ન કરો; દિલ્હીની હોટલો-રેસ્ટોરન્ટ્સ કચરામાંથી ઉત્પાદિત ગેસનો ઉપયોગ કરે સરકારે પાંચ દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ ફરી શરૂ થઈ ગયું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો હતો. બિહારમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લાકડા-કોલસાની માગ વધી ગઈ છે. રાજસ્થાનમાં હોટલ લાકડા પર રસોઈ બનાવી રહ્યા છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. ઘણી જગ્યાએ 2 હજારનો કોમર્શિયલ સિલિન્ડર 4 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોલકાતામાં ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:મમતાના મંત્રીએ કહ્યું- મારા પર હુમલો કર્યો; PMએ કહ્યું- જંગલરાજવાળાનું કાઉન્ટડાઉન શરુ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે વિવાદ થયો છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો. પોલીસે ભીડને વિખેરી નાખી. પશ્ચિમ બંગાળના ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યમ મંત્રી શશિ પંજાએ આરોપ લગાવ્યો કે અથડામણ દરમિયાન મારા પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો. ભાજપ ગુંડા નહીં પણ હત્યારો છે. કોલકાતામાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે જંગલરાજ કરનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ નિર્મમ સરકારનો અંત નજીક આવી ગયો છે. પીએમએ કહ્યું કે પહેલા કોંગ્રેસ, પછી કમ્યુનિસ્ટ અને હવે ટીએમસી, આ લોકો એક પછી એક આવતા રહ્યા અને પોતાના ખિસ્સા ભરતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા, VIDEO:અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર શનિવારે T20 વર્લ્ડકપની ટ્રોફી સાથે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા. અહીં બંનેએ ભગવાન ગણેશના દર્શન કરીને ટીમની સફળતા માટે આશીર્વાદ લીધા. આ પહેલા 8 માર્ચે ચેમ્પિયન બન્યા બાદ તેમણે ટ્રોફી સાથે અમદાવાદના હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ખેલાડીઓના મંદિર જવા પર પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદે સવાલ પણ ઉઠાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્મા પણ 13 માર્ચે જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા અને માતા રાણીના દર્શન કરીને આશીર્વાદ લીધા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કેન્દ્રએ સોનમ વાંગચુક પર લાગેલો NSA હટાવ્યો:જોધપુર જેલમાંથી 170 દિવસ પછી મુક્ત થશે; લેહ હિંસા પછી અટકાયતમાં લેવાયા હતા કેન્દ્રએ શનિવારે લદ્દાખના સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક પર લાગુ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હટાવી દીધો. આ આદેશ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવશે. ગૃહ મંત્રાલય અનુસાર, સોનમે NSA એક્ટ હેઠળ પોતાની અટકાયતનો લગભગ અડધો સમય પૂરો કરી લીધો છે. લદ્દાખ પ્રશાસને 24 સપ્ટેમ્બર 2025ના રોજ લેહ હિંસા ભડકાવવાના આરોપમાં 26 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ વાંગચુકને અટકાયતમાં લીધા હતા. ત્યારથી તેઓ જોધપુર જેલમાં છે. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગભગ સાડા પાંચ મહિના થઈ ચૂક્યા છે. લગભગ 170 દિવસ પછી મુક્ત થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગેસની અછત બાદ હવે ઇન્ડક્શન-સગડીમાં વેઇટિંગ:રાજકોટમાં કોલસાની સગડીમાં 15 દિવસનું, સુરતમાં ઇન્ડક્શન લેવા 10નું વેઈટિંગ; અમદાવાદમાં L.D. કોલેજમાં ચૂલા સળગ્યા રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં L.D. એન્જિ.માં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું':'સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યું', તિરંગાના અપમાન બદલ ફરિયાદ દાખલ કરવા વડોદરામાં અરજી વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ બોલ્યા-DUમાં ઇન્ટરવ્યુથી વિદ્યાર્થીઓને બહાર કાઢે છે:દિલ્હી યુનિવર્સિટીએ કહ્યું- પહેલા હકીકત તપાસો, એડમિશન પ્રવેશ પરીક્ષાથી થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં જોરદાર બ્લાસ્ટ:યહૂદી સ્કૂલને નિશાન બનાવવામાં આવી, મેયરે કહ્યું- યહૂદી સમુદાયને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેગુસરાયમાં CM નીતિશની સુરક્ષામાં ચૂક:હેલિપેડમાં બળદ ઘૂસ્યો, પોલીસકર્મીઓને દોડાવ્યા; બચવા માટે ફાયર બ્રિગેડ પર ચઢ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને ઇસ્લામાબાદમાં 2 વિસ્ફોટક ડ્રોન તોડી પાડ્યા:અફઘાનિસ્તાને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા; પહેલાં પાકિસ્તાને કાબુલ પર એરસ્ટ્રાઈક કરી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 એપ્રિલથી ફાસ્ટેગ એન્યુઅલ પાસ મોંઘો થશે:₹3,000 ને બદલે ₹3,075 ચૂકવવા પડશે; 52 લાખથી વધુ યુઝર્સ પર અસર થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડકપ ટ્રોફી લઈને સૂર્યા-ગંભીર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા: અભિષેક શર્માએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા, કીર્તિ આઝાદે હનુમાન મંદિરે જવા પર સવાલ ઉઠાવ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મીન સંક્રાંતિની તારીખ અંગે પંચાંગ ભેદ:14ની મધ્યરાત્રિએ સૂર્ય રાશિ બદલશે, 15 માર્ચની સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવીને દાન-પુણ્ય કરો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મચ્છર મારવાની અગરબત્તીથી વ્યક્તિ જીવતો સળગી ગયો જબલપુરના સિહોરામાં ટાટા સુમોની અંદર મચ્છર ભગાડવા માટે સળગાવવામાં આવેલી અગરબત્તીને કારણે ગાડીમાં સૂઈ રહેલો એક વ્યક્તિ જીવતો સળગી ગયો છે. આ વાહન ઘણું જૂનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દરરોજ જુઓ આસારામ પર થ્રિલર વીડિયો સિરીઝ: 40 એપિસોડમાં એક બૂટલેગરમાંથી સંતની શેતાન બનવાની પૂરી કહાની 2. આજનું એક્સપ્લેનર: ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર કબજાની તૈયારી, બોમ્બમારા પછી 2,500 અમેરિકી કમાન્ડો પહોંચ્યા, શું ઓઈલ સપ્લાય 100% અટકી જશે? 3. ભાસ્કર એક્સક્લૂસિવ : જેમને કપડાં ઉતારીને ફેરવી, તે મણિપુરની યુવતીઓ ક્યાં ગઈ?: 3 વર્ષથી સુનાવણી ચાલુ, પીડિતાએ કહ્યું- જીવતી છું, પણ દુનિયા મને ભૂલી ગઈ 4. ભાસ્કર એક્સપ્લેનર : રોજ 75 લાખ સિલિન્ડરનું બુકિંગ, 50 લાખની ડિલિવરી:ભારત પાસે કેટલો રસોઈ ગેસ બાકી, સરકારે આગળ માટે શું વ્યવસ્થા કરી છે? 5. પારકી પંચાત : કુલપતિની ચેમ્બરમાં ડખો, સાહેબે ખૂણો પકડી લીધો:વિધાનસભા બહાર કોંગ્રેસનો ‘બાટલાફાડ’ વિરોધ; જીવાત નિકળી છાસમાં ને સેમ્પલ લીધા શાકના! ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ-સિંહ રાશિ માટે ધનલાભના યોગ, કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધ રહેવું! વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Surat Crime News | સુરતની કાંઠા સુગર મિલમાં કૌભાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી | Police | News18
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ ફ્યૂઅલ ચાર્જ રૂ.425 વધારતા એરફેર 20 ટકા વધ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment