Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ‘ચૂંટણીલક્ષી’ રામનવમી, હિંદુઓની હત્યા મુદ્દો:BJP-હિંદુ સંગઠન 5 દિવસ જુલૂસ કાઢશે, TMC પણ તૈયાર, બોલી- રામ સૌના છે

    9 hours ago

    પશ્ચિમ બંગાળના આસનસોલમાં રામનવમીની તૈયારીઓ ચાલી રહી છે. રામનવમી 27 માર્ચે છે, પરંતુ અહીં 5 દિવસ સુધી કાર્યક્રમો થશે. BJPનો પ્લાન છે કે આ દરમિયાન હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવે. આમાં બાંગ્લાદેશમાં દીપુ દાસ, મુર્શિદાબાદમાં હરિગોબિંદ દાસ અને તેમના પુત્ર ચંદનની હત્યા પણ સામેલ છે. TMC પણ કાર્યક્રમ કરશે. પાર્ટી હુગલીમાં ‘અસ્ત્રહીન સંકીર્તન રેલી’ કાઢશે. તેનું કહેવું છે કે જયશ્રી રામ કહેવાથી રામ માત્ર BJPના નથી થઈ જતા. રામનવમીની તૈયારીઓ આખા બંગાળમાં થઈ રહી છે, પરંતુ આસનસોલનો ઉલ્લેખ એટલા માટે કારણ કે અહીં 2018માં રામનવમી પર હિંસા ભડકી હતી. રાનીગંજ અને આસનસોલના બજારોમાં 100થી વધુ દુકાનો અને ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. ત્રણ મોત થયા હતા અને કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ થવાનું છે. રામનવમી BJP અને TMC બંને માટે મોટી પરીક્ષા છે. અનુમાન છે કે રાજ્યમાં અંદાજે 20 હજાર શોભાયાત્રાઓ અને જુલૂસ કાઢવામાં આવશે. પહેલા હિંદુ સંગઠનોની તૈયારી… પશ્ચિમ બંગાળમાં હિંદુ સંગઠનો રામનવમી પર 12 વર્ષથી રેલીઓ કાઢી રહ્યા છે. આમાં RSS, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના લોકો સામેલ હોય છે. હવે આમાં પોલિટિકલ પાર્ટીઓ પણ સામેલ થવા લાગી છે. જોકે જુલૂસોમાં પાર્ટીનો ઝંડો હોતો નથી. રામનવમી પર મોટાભાગના કાર્યક્રમો હિન્દી ભાષી વિસ્તારોમાં હોય છે. આમાં આસનસોલ પણ છે. અમે આસનસોલ સાઉથના ધારાસભ્ય અને BJPના વાઇસ પ્રેસિડેન્ટ અગ્નિમિત્રા પાલને તૈયારીઓ વિશે પૂછ્યું. તેઓ કહે છે, ‘આ વખતે બર્નપુર, ચિત્રા મોડ, રાધાનગર, બલ્લાવપુર, મોશિલા, કાલી પહાડી અને એગરામાં રેલીઓ કાઢીશું. આમાં 10 હજારથી વધુ લોકો સામેલ થશે.’ રેલીઓ પર ચૂંટણીની અસર પણ થશે? અગ્નિમિત્રા કહે છે, ’ચૂંટણીની તો નહીં, પરંતુ લોકો પર થઈ રહેલા અત્યાચાર પર વાત થશે. બાંગ્લાદેશથી લઈને બંગાળ સુધી હિંદુઓને મારી નાખવામાં આવે છે, પરંતુ સરકાર કંઈ કરતી નથી.’ હથિયારોના પ્રદર્શન પર રોક, BJP નેતા બોલ્યા- હથિયાર લઈને જઈશું અમે પુરુલિયા પહોંચ્યા. અહીં અંદાજે 82% વસ્તી હિંદુ છે. અહીંની રઘુનાથપુર સીટ BJP પાસે છે. રામનવમીની તૈયારીઓ પર BJPના સંયોજક શાંતનુ ચેટર્જી જણાવે છે કે, ‘2005થી અહીં રામનવમીનું જુલૂસ નીકળી રહ્યું છે. આમાં પાર્ટીઓના લોકો સામેલ થાય છે, પરંતુ લીડ BJP કરે છે. અમે જુલૂસ માટે પોલીસને જણાવી દીધું છે. અમારો અખાડો રજિસ્ટર્ડ છે, એટલે જુલૂસ તો કાઢીશું.‘ રેલીના ખર્ચ પર તેઓ કહે છે, ‘અમે ઘરોમાંથી ફાળો લીધો છે. આ વખતે તૈયારીઓમાં ઘણો ખર્ચ થયો છે.‘ શાંતનુ થોડા ગુસ્સામાં કહે છે, અમને હથિયારની પરમિશન નથી મળી રહી. અમારા તમામ દેવી-દેવતા હથિયાર સાથે હોય છે, તેથી અમે લોકો હથિયાર સાથે રેલી કાઢીશું. 5 થી 6 કલાકનો કાર્યક્રમ હશે. અંદાજે 10 હજાર લોકો સામેલ થશે. હકીકતમાં, ગયા વર્ષે કલકત્તા હાઈકોર્ટે રામનવમીમાં જુલૂસ દરમિયાન હથિયારોના પ્રદર્શન પર રોક લગાવી હતી. આ છતાં પૂર્વ મેદિનીપુર જિલ્લાના તામલુકમાં નીકળેલા જુલૂસમાં લોકો હથિયાર લહેરાવતા જોવા મળ્યા હતા. આમાં BJP નેતા દિલીપ ઘોષ પણ હાજર હતા. આ વખતે પણ હાઈકોર્ટે હાવડામાં રામનવમી જુલૂસની પરમિશન આપતા હથિયારો પર પ્રતિબંધ લગાવ્યો છે. અંજની પુત્ર સેના નામના સંગઠને કોર્ટમાં અરજી કરી હતી કે પોલીસ જુલૂસ કાઢવાની પરમિશન નથી આપી રહી. કોર્ટે સંગઠનને 26 માર્ચે સવારે 8:30 વાગ્યાથી બપોરે 1 વાગ્યાની વચ્ચે જુલૂસ કાઢવાની પરમિશન આપી દીધી. રામનવમી પહેલા પોલીસે તમામ સમિતિઓ સાથે મીટિંગ કરી છે. પોલીસના એક અધિકારી જણાવે છે કે અમે કહ્યું છે કે સમિતિઓ શાંતિથી રેલીઓ કાઢે. જો કોઈ કાયદો તોડશે, તો કાર્યવાહી કરવામાં આવશે. માલદામાં 52 સંગઠન મળીને રેલી કાઢશે અમે નોર્થ બંગાળના માલદા જિલ્લામાં પહોંચ્યા. અહીં 10 વર્ષથી રામનવમી પર પ્રોગ્રામ થઈ રહ્યા છે. માલદામાં BJPની વાઇસ પ્રેસિડેન્ટ તંદ્રા રાય ચૌધરી જણાવે છે કે, ‘ગયા વર્ષે 12 જગ્યાએ નાની-મોટી રેલીઓ કાઢવામાં આવી હતી. માત્ર ઇંગ્લિશ બજારમાં અંદાજે 6 હજાર લોકો ભેગા થયા હતા. આ વખતે આનાથી પણ વધુ આવશે.‘ ‘રામનવમી માટે અમે બે વાર મીટિંગ કરી છે. આમાં 52 સંગઠન સામેલ થયા. સાફ છે કે આ વખતે વધુ ભીડ ભેગી થશે. 5 કિમી લાંબી રેલી હશે. પહેલા થાણામાં લેટર આપવો પડતો હતો, હવે બધી પ્રોસેસ ઓનલાઇન થઈ ચૂકી છે. રેલીનો રૂટ, લોકોની સંખ્યા અને લાઉડસ્પીકરની જાણકારી બધું ઓનલાઇન આપવામાં આવે છે.‘ પરમિશન વિશે હિંદુ જાગરણ મંચના સ્ટેટ પ્રેસિડેન્ટ અમિત સરકાર કહે છે, ‘અમારે રામનવમી માટે પરમિશન લેવી પડતી નથી, માત્ર જાણકારી આપવાની હોય છે. 2024-2025માં કલકત્તા હાઈકોર્ટે સશર્ત પરમિશન આપી છે. આ વખતે બિના ડીજે અને હથિયારના રેલી કાઢવામાં આવશે.‘ નોર્થ બંગાળના 8 જિલ્લામાં 150થી વધુ જુલૂસ નીકળશે સિલીગુડીમાં 92% વસ્તી હિંદુ છે. શ્રીરામનવમી જિલ્લા સમિતિના સચિવ લક્ષ્મણ બંસલ કહે છે, ‘નોર્થ બંગાળના તમામ આઠ જિલ્લામાં 150 શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. 27 માર્ચે સિલીગુડીમાં યાત્રા નીકળશે, જેમાં સાધ્વી પ્રાચી પણ હશે. ગયા વર્ષે અહીં જુલૂસમાં 6 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ વખતે આંકડો 7 લાખને પાર હશે.‘ ‘રેલીમાં અંદાજે 150 ઝાંખીઓ હશે. આમાં વંદે માતરમ્ની સફર, સંઘના 100 વર્ષ, હિંદુઓ પર અત્યાચારને બતાવશું. નોર્થ બંગાળના 8 જિલ્લામાં અંદાજે 35 લાખ લોકો શોભાયાત્રાનો હિસ્સો બનશે.‘ TMC અને BJPના નેતાઓની ભાગીદારી પર તેઓ કહે છે, ‘અહીં રામ ભક્તોનો જમાવડો હશે. આ વખતે ચૂંટણી છે, એટલે TMCના લોકલ નેતા જરૂર સામેલ થશે.’ TMCની તૈયારી ‘જુલૂસ હંમેશા નીકળે છે, બસ પાર્ટીનો ઝંડો હોતો નથી’ પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોથી રામનવમી પર થનારા કાર્યક્રમોમાં TMC પણ સામેલ થઈ રહી છે. અમે આસનસોલમાં પાર્ટીના એક લીડર સાથે વાત કરી. તેઓ ઓળખ જાહેર કરવા માંગતા નથી. તેઓ કહે છે, ‘પાર્ટી કોઈ પણ કિંમતે વોટ ખોવા માંગતી નથી. હિન્દી ભાષી વિસ્તારોમાં રામનવમી આસ્થા અને શૌર્યનો વિષય છે. હવે આ સિયાસી (રાજકીય) થઈ ચૂક્યું છે. એટલે TMC પણ જુલૂસ કાઢશે. આ પહેલીવાર નથી. પહેલા પણ પાર્ટી નેતાઓએ જુલૂસ કાઢ્યા છે, બસ તેમાં પાર્ટીનો ઝંડો હોતો નથી. એવું મોટે ભાગે હિન્દી ભાષી વિસ્તારોમાં જ કરીએ છીએ.‘ ‘BJP નેતા જિતેન્દ્ર તિવારી પહેલા TMCથી ધારાસભ્ય હતા. આસનસોલના મેયર રહી ચૂક્યા છે. તેઓ પોતે TMCના જુલૂસનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ભગવા પાઘડી સાથે અખાડામાં સામેલ થતા હતા. આ વખતે પાર્ટીના નામે ન સહી, પણ પાર્ટીના લીડર જરૂર રેલી કાઢશે.‘ ‘રામ સૌના, જય શ્રીરામ કહેવાથી માત્ર BJPના નહીં’ આસનસોલમાં TMC કાઉન્સિલર રંજિત સિંહ આને વધુ સારી રીતે સમજાવે છે. તેઓ કહે છે, ‘રામનવમી પર અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએથી રેલી નીકળે છે. મંદિરોથી થઈને બધા એક જગ્યાએ ભેગા થાય છે. આમાં BJP અને TMCનો કોઈ મામલો નથી. માત્ર જય શ્રીરામ કહી દેવાથી રામ BJPના નથી થઈ ગયા, તેઓ તો સૌના છે.‘ ‘આ રેલીઓમાં નેતાઓ સીધા સામેલ નથી થતા, પરંતુ મોટાભાગની કામગીરી પાર્ટીના કાર્યકર્તાઓ જ જોતા હોય છે. અમારા વોર્ડમાં પણ ઘણી જગ્યાએ રેલી નીકળે છે. આને હિંદુ ઉત્સવની જેમ મનાવવામાં આવે છે.‘ આવી રેલીઓ ક્યારથી નીકળી રહી છે, કોણ ફંડ કરે છે? જવાબમાં રંજિત કહે છે, ‘2014થી રેલીઓ કાઢી રહ્યા છીએ. ફંડ માટે લોકો પાસેથી ફાળો લઈએ છીએ. લોકલ નેતા પણ મદદ કરે છે.‘ એક્સપર્ટ બોલ્યા- ચૂંટણીના કારણે રામનવમી પર વધુ ફોકસ સીનિયર જર્નાલિસ્ટ વિનોદ જાયસવાલ કહે છે, 'આસનસોલ અને દુર્ગાપુરમાં મોટાભાગે વિશ્વ હિંદુ પરિષદ રેલી કાઢે છે. કેટલાક અખાડાઓને TMCના લોકો લીડ કરે છે, જેથી એ મેસેજ ન જાય કે TMC હિંદુ વિરોધી છે. આ વખતે ચૂંટણીનો માહોલ છે, એટલે પાર્ટીઓ વધુ ફોકસ કરી રહી છે.’ બીજા એક સીનિયર જર્નાલિસ્ટ નામ ન આપવાની શરતે કહે છે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં રામનવમી મનાવવાની રીતમાં ઘણો તફાવત આવી ગયો છે. લેફ્ટની સરકાર વખતે પણ RSSના લોકો જુલૂસ કાઢતા હતા. ત્યારે આનું રાજકીયકરણ થયું નહોતું.’ ‘લોકો ઘરો પર હનુમાનજીનો ઝંડો ચડાવતા હતા. કેટલાક લોકો જ જુલૂસનો હિસ્સો બનતા હતા. જેમ-જેમ હિંદુત્વનો પ્રચાર થયો, રામનવમીમાં ઝંડાનો રંગ બદલાવા લાગ્યો. તેમાં બજરંગ બલીના ફોટા પણ બદલાઈ ગયા. છેલ્લા 10 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં રામનવમીનો વધારે ક્રેઝ વધ્યો છે.’ 8 વર્ષમાં કેવી રીતે આગળ વધતી ગઈ BJP 2018માં રામનવમીના જુલૂસ દરમિયાન પશ્ચિમ બંગાળના રાનીગંજ, આસનસોલ અને પુરૂલિયા સહિત ઘણા વિસ્તારોમાં હિંસક અથડામણો અને રમખાણો થયા. આ પછી રાજ્યમાં પંચાયત ચૂંટણી થઈ. BJP બીજી મોટી પાર્ટી બનીને ઉભરી. TMCએ 38,118 ગ્રામ પંચાયત બેઠકો પર કબજો કર્યો. BJPએ 5,779 બેઠકો જીતી. 2019માં લોકસભા ચૂંટણી પહેલા રામનવમી પર ફરી હિંસા ભડકી. ચૂંટણીમાં રાજ્યની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા. આ ઘટનાઓએ રાજ્યમાં ધ્રુવીકરણ તેજ કરી દીધું. 2014માં 34 બેઠકો જીતનારી TMC 22 બેઠકો પર સમેટાઈ ગઈ. ત્યાં જ, 2 બેઠકો જીતનારી BJPએ 18 બેઠકો જીતી. રામનવમી પહેલા મૂર્તિ તોડવાનો વિરોધ નંદીગ્રામના રેયાપાડામાં 22 માર્ચે રામનવમી પહેલા ભગવાનની મૂર્તિ તોડી નાખવામાં આવી. પશ્ચિમ બંગાળના નેતા વિપક્ષ અને BJP લીડર શુભેન્દુ અધિકારીએ આના વિરોધમાં પ્રદર્શન કર્યું. તેમનો આરોપ છે કે આ બધું તૃણમૂલ કોંગ્રેસના ઈશારા પર થઈ રહ્યું છે. શુભેન્દુએ કહ્યું, ’મૂર્તિ તોડવા પાછળ જેહાદીઓનો હાથ છે. બંગાળમાં ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, આ ઘટનાઓ તણાવ વધારી રહી છે. જો આવા લોકોની ઓળખ કરીને તેમને જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે, તો સ્થિતિ બેકાબૂ થઈ શકે છે.’
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં કુદરત રૂઠી:ભુજ, અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ઝાપટા
    Next Article
    Remarks about woman MLA’s ‘physical appearance’ trigger outrage in Kerala, IUML leader suspended

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment