Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કર્મચારી BJPનો પ્રચાર કરતા હોવાનો આરોપ:કામદાર યુનિયન દ્વારા નિયમોનો ભંગ કરાતો હોવાના ફોટા સાથે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત, સસ્પેન્ડ કરવાની કરાઈ માંગ

    6 days ago

    રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને રાજકીય પક્ષનો પ્રચાર કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરી છે કે, મનપાના વોર્ડ નંબર-7માં કાયમી સફાઈ કામદાર તરીકે કાર્યરત ગૌતમ શ્રવણભાઈ ચૌહાણ સરકારી કર્મચારી હોવા છતાં ભાજપની ટોપી અને ખેસ પહેરીને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રીતે હાજરી આપી રહ્યા છે. કોઈપણ સરકારી કર્મચારી રાજકીય પ્રચાર કરી શકે નહીં આ પ્રકારની પ્રવૃત્તિ સિવિલ સર્વિસ રૂલ્સનો સીધો ભંગ હોવાનું જણાવ્યું હતું. ભારતીય સંવિધાનની કલમ-14 અને સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ્સ 1964 ના રૂલ નંબર 5 અને 6 મુજબ કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પ્રચાર કરી શકે નહીં તેમછતાં ભાજપના પદાધિકારીઓની ટર્મ પૂરી થયા બાદ પણ વહીવટદાર શાસનમાં આવા કર્મચારીઓ રાજકીય એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોય નિયમોનો ભંગ કરનાર કર્મચારી સામે ગુનો દાખલ કરી તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોના અવસાનના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની નવી માર્ગદર્શિકા રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોની મુદત પૂર્ણ થતા અને હાલ વહિવટદારની નિમણૂક થયેલ હોવાથી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોના કુદરતી અવસાનના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોર્પોરેટરના પ્રમાણપત્રના આધારે ફાયર સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવતી હતી, પરંતુ હાલ કોર્પોરેટરની મુદત પૂર્ણ થયેલ હોવાથી નવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. જે મુજબ જો 60 વર્ષથી વધુ વયના વૃદ્ધનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થાય તો સવારના 9:00થી સાંજના 06:00 કલાક દરમિયાન નજીકના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે. મેડિકલ ઓફિસર જરૂરી તપાસ બાદ મૃતકના સગાને મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર આપશે. જો અવસાન આ સમય સિવાયના ગાળામાં થાય, તો નજીકમાં પ્રેક્ટિસ કરતા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (ડૉક્ટર) પાસેથી તેમનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ પ્રમાણપત્ર નજીકના ફાયર સ્ટેશનમાં રજૂ કર્યા બાદ જ અંતિમવિધિ માટેની જરૂરી મંજૂરી મેળવી શકાશે. શહેરીજનોએ આ નવી પ્રક્રિયાનું પાલન કરવા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટમાં સફાઈ કામદારોની પ્રામાણિકતા રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓએ પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરનાં ગોપાલનગરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી દરમિયાન, એક વ્યક્તિ દ્વારા ભૂલથી સોનાની 2 નંગ કાનની બુટ્ટી કચરા સાથે ટીપરવાનમાં ફેંકાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતા જાગૃત નાગરિકે તાત્કાલિક વોર્ડ ઓફિસ ખાતે સેનેટરી ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોઠારીયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો. સેનેટરી ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ ટીપરવાન (GJ 06BX-6741) ના ડ્રાઈવર સિંગાળ અલ્કેશભાઈ અને હેલ્પર સિંગાળ બોલુંભાઈએ વાહન રોકી કચરામાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સોનાની બંને બુટ્ટીઓ સુરક્ષિત મળી આવી હતી, જેની યોગ્ય ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી. કિંમતી વસ્તુ પરત મળતા શહેરીજને મનપાના સ્ટાફ અને સફાઈ કામદારોની ઈમાનદારીની ભારોભાર પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. મનપાનાં સ્નાનાગારો અને રમતગમતની સુવિધાઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ રમતગમત સુવિધાઓ અને સ્નાનાગારોમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ સ્નાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા. 20 માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થશે. આ ઉપરાંત, સ્નાનાગાર સિવાયની તમામ રમતગમત સુવિધાઓ જેવી કે એથ્લેટીક ટ્રેક, ટેનીસ, બાસ્કેટબોલ, વોલીબોલ અને વિવિધ જીમ માટે ત્રિમાસિક તથા વાર્ષિક મેમ્બરશીપ તેમજ સ્નાનાગારનું ત્રિમાસિક રજીસ્ટ્રેશન 27 માર્ચનાં સવારે 11:00 કલાકથી શરૂ કરવામાં આવશે. ઈચ્છુક નાગરિકો RMCની વેબસાઈટ પર ઓનલાઇન અથવા તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતેથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વર્ષ 2025-26 દરમિયાન મનપાની સુવિધાઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે, જેમાં કુલ 36463 સભ્યો નોંધાયા હતા. આંકડાકીય વિગતો મુજબ, સિન્થેટીક એથ્લેટીક ટ્રેક પર 8450, વિવિધ જીમમાં 3784 અને મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની વિવિધ રમતોમાં 1865 સભ્યો નોંધાયા હતા. સ્વિમિંગ પુલની વાત કરીએ તો, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગારમાં સૌથી વધુ 7470, સરદાર પટેલ સ્નાનાગારમાં 5605, લોકમાન્ય તિલક સ્નાનાગારમાં 4773, સ્વામી વિવેકાનંદ સ્નાનાગારમાં 2108 અને જીજાબાઇ સ્નાનાગારમાં 1909 સભ્યોએ લાભ લીધો હતો. આ ઉપરાંત મવડી ખાતે કોચિંગ માટે અલગથી 39 સભ્યો નોંધાયા હતા. હપ્તા ન ભરતા રૂડા દ્વારા 9 લાભાર્થીઓનાં આવાસ રદ કરાયા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા આવાસો પૈકી 9 આવાસધારકોના આવાસ રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાભાર્થીઓ દ્વારા લાંબા સમયથી આવાસના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી જમા કરાવવામાં આવી ન હોવાથી સત્તામંડળ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રૂડાની બોર્ડ બેઠકમાં લેવાયેલા ઠરાવ મુજબ, જે આવાસધારકોએ વારંવારની સૂચના અને નોટિસ આપવા છતાં બાકી લેણાં ચૂકવ્યા નથી, તેમના આવાસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. રદ કરાયેલા આવાસોમાં આદિત્ય-79 સોસાયટીના 2, શિવશક્તિ સોસાયટીના 2, આદર્શ સોસાયટીના 2, તેમજ વૃંદાવન, ગોકુલમ અને એકલવ્ય હાઉસિંગ સોસાયટીના 1-1 આવાસનો સમાવેશ થાય છે. આ બાબતે મુખ્ય કારોબારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ આવાસધારકને આ નિર્ણય સામે વાંધો કે રજૂઆત હોય, તો તેમણે આજથી 7 દિવસમાં રૂડા કચેરીની આવાસ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદા બાદ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પ્રીમિયમ સ્પીડ પોસ્ટ સેવાનો પ્રારંભ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને વધુ ઝડપી અને આધુનિક સુવિધા પૂરી પાડવા માટે નવી પ્રીમિયમ સ્પીડ પોસ્ટ સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં "24 સ્પીડ પોસ્ટ", "24 સ્પીડ પોસ્ટ પાર્સલ" અને "48 સ્પીડ પોસ્ટ" સેવાઓનો પ્રારંભ કરાયો છે. પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા 6 મુખ્ય શહેરોમાં 24 થી 48 કલાકની અંદર ખાતરીપૂર્વકની ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવશે. આ નવી સેવામાં OTP આધારિત સુરક્ષિત ડિલિવરી, રિયલ ટાઈમ ટ્રેકિંગ, વિલંબ થવા પર 100 ટકા મની બેક ગેરંટી અને રવિવાર કે રજાના દિવસે પણ ડિલિવરી જેવી વિશેષતાઓ સામેલ છે. કોર્પોરેટ ગ્રાહકો માટે 'બુક નાઉ પે લેટર' અને સેન્ટ્રલ બિલિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સેવાઓના પ્રચાર માટે રાજકોટ રિજીયન ઓફિસના પોસ્ટમાસ્ટર જનરલ પવનકુમાર દાલમિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે "ગ્રાહક સંમેલન" યોજાયું હતું. જેમાં સ્થાનિક મુખ્ય ગ્રાહકોને પ્રીમિયમ સેવાઓના સર્વિસ સ્ટાન્ડર્ડ અને વ્યવસાયિક તકો વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. પવનકુમાર દાલમિયાએ ગ્રાહકો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ મેળવીને સેવાની ગુણવત્તા વધુ સુધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બાલીસણામાં મેગા આયુષ કેમ્પ યોજાયો:1516 લાભાર્થીઓએ સેવા લીધી, આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાઈ
    Next Article
    ચંદ્રુમાણા શાળામાં વ્યસનમુક્તિ કાર્યક્રમ:કન્વીનર નરેશ પટેલે વિદ્યાર્થીઓને વ્યસનોના નુકસાન સમજાવ્યા; એક વ્યક્તિએ તમાકુ છોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment