Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ASI આપઘાત કેસ:એએસઆઈએ કામના તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ

    10 hours ago

    દંતેશ્વરમાં રહેતા એએસઆઈએ ગુરુવારે બેડરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. એક જ અઠવાડિયામાં 2 પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મકરપુરા પોલીસે એએસઆઈના આપઘાત કેસમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, તેઓને કામનું ભારણ હતું અને 4 મહિનાથી કહેતા હતા કે, કામનું ભારણ વધારે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનુ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય એએસઆઇએ ગુરવારે આપઘાત કરી લીધો હતો. મકરપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. સપ્તાહમાં 2 પોલીસ કર્મીઓના આપઘાતને કારણે પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. જેમાં પરિવારના નિવેદન સાથે સહકર્મચારીના નિવેદનો લેવામાં આવશે. પીએસઆઈ જે.એસ વસાવાએ જણાવ્યું કે, તેઓ 4 મહિનાથી કહેતા હતા કે, કામનું ભારણ છે. અધિકારી પર આક્ષેપ કર્યાનું બહાર આવ્યું નથી. તપાસ થઇ રહી છે. તેઓને હ્રદયમાં 2 સ્ટેન્ડ મુકાવ્યા હતા, તેઓની દવા ચાલી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ફોટોગ્રાફર અમિત મકવાણાનું સોલો એક્ઝિબિશન:‘થ્રૂ માય વિઝન’માં ગરબાની સંસ્કૃતિથી જીવનશૈલીથી કુદરતની ગેલેરી દર્શાવી
    Next Article
    પાલોદરનો વરતારો:જેઠના બીજા પખવાડિયામાં વાવણીલાયક વરસાદ થશે, ચોમાસું મધ્યમ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment