Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટ વિસ્તારમાં નવા બાંધકામ કે રિનોવેશન માટે હેરિટેજ એસેસમેન્ટ ફરજિયાત:AMC દ્વારા પોલિસી લાગુ કરવાની તૈયારી, હેરિટેજ એક્સપર્ટ કન્સલ્ટન્ટના સૂચન મુજબ બાંધકામ કરવાનું રહેશે

    3 days ago

    વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની વૈશ્વિક ઓળખ જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વોલ સિટી એરિયા અને તેની ફરતે આવેલા 200 મીટરના બફર ઝોનમાં કોઈપણ નવા સરકારી કે ખાનગી બાંધકામ કરતાં પહેલાં 'હેરિટેજ ઇમ્પેક્ટ અસેસમેન્ટ' (HIA) ફરજિયાત કરાવવું પડશે. HIA વિના નવા પ્રોજેક્ટ્સ કે હયાત બિલ્ડિંગના રિનોવેશન કામોને મંજૂરી મળશે નહીં. હેરિટેજ સ્થળો આસપાસ નવા પ્રોજેક્ટ્સની હાઇટ, સ્ટ્રક્ચર અને કલરની એકરૂપતા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ પોલીસી લાગુ કરવાને લઈ આ વિસ્તારોમાં નવા પ્રોજેક્ટસ પર રોક લગાવવામાં આવી છે. યુનેસ્કો દ્વારા હેરિટેજ ઈમ્પેક્ટ એસેસમેન્ટ કરાવવા સૂચન કરાયું હતું મધ્ય ઝોન ડેપ્યુટી મ્યુ. કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, હેરિટેજ વિસ્તારની આજુબાજુ કોઈપણ બાંધકામ જે હેરિટેજ બિલ્ડીંગ અથવા હેરિટેજ વિનાની બિલ્ડીંગ હોય તેમાં હેરિટેજ તરીકેની ઓળખ જળવાઈ રહે તેના માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરાવવામાં આવશે. જેમાં હેરિટેજ એક્સપર્ટ કન્સલ્ટન્ટ દ્વારા જે પ્રકારે હેરિટેજ પ્રકારની ઓળખ જળવાઈ રહે તેવા જ પ્રકારે આપવામાં આવનાર સૂચન મુજબ બાંધકામ કરવાનું રહેશે. યુનેસ્કો દ્વારા હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરાવવાનું સૂચન કરવામાં આવ્યું છે જેથી આગામી દિવસોમાં આ અંગેની પોલીસી બહાર પાડવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ખાતે માર્ચ 2026માં યુનેસ્કોની બે સભ્યોની ટીમ મુલાકાતે આવી હતી જેમાં કાલુપુર રેલવે સ્ટેશન, દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનસ જેવા મોટા પ્રોજેક્ટ્સની મુલાકાત લઈ કામગીરી દરમિયાન હેરિટેજ પર થયેલી અસરનું મૂલ્યાંકન કર્યું હતું. શહેરના હેરિટેજ ઓળખ ધરાવતા કોટ વિસ્તારમાં આવતાં અંદાજે 6 ચોરસ કિલોમીટરનો વોલ સિટી વિસ્તાર અને તેની બહારનો 2 કિલોમીટરનો બફર ઝોન આ નવી પોલિસી હેઠળ આવરી લેવાશે. નવા પ્રોજેક્ટ્સની હાઇટ, સ્ટ્રક્ચર અને કલરની એકરૂપતા જળવાઈ રહે તે માટે HIA પોલિસી આખરી તબક્કામાં છે. આ માટે પ્રતિષ્ઠિત એજન્સીઓની પેનલ બનાવવાની સાથે હયાત બિલ્ડિંગના રિપેરિંગ માટે રજિસ્ટર્ડ હેરિટેજ સ્ટ્રક્ચર એક્સપર્ટ્સને સત્તા આપવામાં આવનાર છે. 9 વર્ષમાં 200 હેરિટેજ હોમનું રિનોવેશન મંજૂર કરાયું શહેરના કોટ વિસ્તાર મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં નવ વર્ષમાં 200 જેટલા હેરિટેજ હોમનું રિનોવેશન મંજુર કરવામાં આવ્યું છે. જે પૈકી ઓલ્ડ સીટી એરિયાના 100થી વધુ હેરિટેજ હોમનું રિનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ હેરિટેજ મકાનોના રિનોવેશનની મંજુરીમાં તે અંગેના નિયમો નક્કી કરવામાં આવેલા છે. જેમાં હેરિટેજ હોમમાં ફસાડ સહિત અન્ય બાબતો અંગે સ્પષ્ટ ગાઇડલાઇન નક્કી કરવામાં આવેલી છે. આ વિસ્તારમાં હેરિટેજ ઈમ્પેક્ટ એસેમેન્ટ ફરજિયાત કરાયું શહેરના કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર સહિતના વિસ્તારોમાં આવતી 57 પોળોમાં આવેલા હેરિટેજ હોમના રિનોવેશન અંગેના નિયમો સ્પષ્ટ છે. જોકે, અમદાવાદ શહેરના વોલ સીટી એરિયા અને તેના 200 મીટરના બફરમાં હેરિટેજ હોમ સિવાયના અન્ય નવા બિલ્ડીંગ કે મકાનોના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગેના નિયમો નક્કી નથી. જેથી હવે વોલ સીટી એરિયા અને તેના 200 મીટરના બફરમાં આવતાં વિસ્તારોમાં નવા સરકારી કે ખાનગી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 'હેરિટેજ ઇમ્પેક્ટ અસેસમેન્ટ' (HIA) ફરજિયાત કરાયું છે. જેની અમલવારી છેલ્લાં એક મહિનાથી શરુ કરવામાં આવી છે. હાલમાં શહેરના વોલ સીટી એરિયા અને તેના 200 મીટરના બફરમાં આવતા વિસ્તારોમાં નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપર બ્રેક મારવામાં આવેલી છે. અંદાજે 20થી વધુ પ્રોજેક્ટ અટકી પડેલા છે. 'હેરિટેજ ઇમ્પેક્ટ અસેસમેન્ટ' (HIA) અંગેની સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરાશે જે પછી નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ડેવલપમેન્ટ મંજુરી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન ડેલ્ટા : વિખેરાશે પરિવાર:સિંહનો યુવક પર હુમલો, આખું શરીર ખાઇ ગયો, વરસાંદ લંબાતા તાત ચિંતામાં
    Next Article
    FBI Foiled Plot To Attack White House During UFC Event: Kash Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment