Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગોડફાધર ઓફ AI' બોલ્યા- માનવજાતને ખતમ કરી દેશે AI:હાલમાં જોખમોનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ, 30-50 વર્ષનો ખતરો હવે 10 વર્ષ પર આવ્યો

    6 hours ago

    છેલ્લાં કેટલાક વર્ષોમાં AI ઝડપથી વિકસ્યું છે, પરંતુ તેના લાંબા ગાળાના જોખમોને લઈને ટેક્નોલોજીના શરૂઆતના દિગ્ગજોની ચિંતા વધી રહી છે. AIના 'ગોડફાધર' તરીકે ઓળખાતા નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિન્ટને ચેતવણી આપી છે કે આગામી એક દાયકામાં એટલે કે 10 વર્ષના સમયગાળામાં AI માનવ સભ્યતાનો અંત લાવી શકે છે. એક કાર્યક્રમમાં વાત કરતાં કમ્પ્યુટર વૈજ્ઞાનિક હિન્ટને કહ્યું કે આવું થવાની શક્યતા આશરે 10% છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે આ જોખમનો ચોક્કસ અંદાજ લગાવવાની કોઈ મજબૂત રીત નથી. હાલ જોખમનું ચોક્કસ આકલન કરવું મુશ્કેલ હિન્ટને કહ્યું કે 10% જોખમનો અંદાજ મારા મતે ખોટો નથી. તેમણે આગળ કહ્યું કે જોખમનો આંકડો આનાથી ઘણો ઓછો રાખવો પણ યોગ્ય નહીં હોય, કારણ કે હાલમાં કોઈને ખબર નથી કે આ જોખમનું ચોક્કસ આકલન કેવી રીતે કરવું. 30-50 વર્ષનો ખતરો હવે 10 વર્ષ પર આવ્યો હિન્ટને ખુલાસો કર્યો કે એઆઈથી પેદા થતા જોખમોની સમયમર્યાદામાં હવે મોટો ફેરફાર આવ્યો છે. પહેલાં તેમનું માનવું હતું કે એઆઈથી માનવ અસ્તિત્વને ખતરો ઊભો થવામાં 30થી 50 વર્ષ લાગશે. બાદમાં તેમણે આ સમયગાળો ઘટાડીને 10થી 20 વર્ષ કર્યો. હવે તેમનું માનવું છે કે આ ખતરો આગામી 10 વર્ષમાં અથવા તેનાથી પણ ઓછા સમયમાં સામે આવી શકે છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે ઘણા સંશોધકોનો અંદાજ આનાથી પણ ઓછા સમયનો છે. એઆઈ કંપનીઓ પર ‘માનવજીવન સાથે ચેડાં’ કરવાનો આરોપ એઆઈના જોખમોને લઈને હિન્ટનની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ મુદ્દે વૈશ્વિક ચર્ચા તેજ બની ગઈ છે. તાજેતરમાં એન્થ્રોપિકના પૂર્વ સંશોધક જેકબ કૉક્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. કૉક્સને અનુમાન વ્યક્ત કર્યું હતું કે 10 વર્ષમાં એઆઈ દ્વારા માનવોનો નાશ થવાની સંભાવના 10 ટકાથી વધુ છે. તેમણે એઆઈ કંપનીઓ પર આરોપ લગાવ્યો કે તેઓ પોતાની જાતને સુધારી શકતી સુપરઇન્ટેલિજન્સ બનાવવાની હોડમાં માનવજીવન સાથે ચેડાં કરી રહી છે. આ ઉપરાંત, એન્થ્રોપિકના સેફ્ટી સંશોધક ઇવાન હ્યુબિંગરે પણ જોખમની સંભાવના 10 ટકાથી વધુ ગણાવી છે. વૈશ્વિક નિયમોની જરૂરિયાત: આંતરરાષ્ટ્રીય સહયોગ જ ઉકેલ હિન્ટનનું કહેવું છે કે ભવિષ્ય બે અલગ દિશામાં જઈ શકે છે. જો જોખમોનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે, તો એઆઈથી સમાજને મોટા ફાયદા પણ થઈ શકે છે. આ માટે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિયમો અને સહયોગ સ્થાપિત કરવાની માંગ કરી છે. હિન્ટનના અનુસાર, એડવાન્સ્ડ એઆઈ સિસ્ટમ્સને મનુષ્યોના નિયંત્રણની બહાર જતી અટકાવવામાં તમામ દેશોનું સમાન હિત છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું દુનિયાની સરકારો યોગ્ય સમયે એકસાથે મળીને તેના નિયમો બનાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    Meerut की Central Market में Bulldozer Action, फूट-फूटकर रोईं महिलाएं | Market Demolished | UP |Yogi
    Next Article
    મોદીનું સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન પૂરું ન થતાં ભત્રીજાને મોકલ્યો:જિતેન્દ્રએ બાલાચડી મૂકવા આવતા ત્યારનો કિસ્સો કહ્યો; નાનપણના મિત્ર બોલ્યા- 'પગરખાંનો પાળિયો'માં બાપુનું પાત્ર ભજવ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment